SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 162 જીવાવાભિગમ-પ-૩૬૦ છે. ત્યારે તેઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની જ હોય છે. અને જ્યારે તેઓ પર્યાપ્ત અવસ્થા વાળા હોય છે. ત્યારે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત કમ કરીને સમજવી. બાદરકાયિક બાદ કાયિક અવસ્થામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. બાદર પૃથ્વીકાયિકની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટી સિતેર સાગરોપમ કોટી કોટીની છે. આ જ પ્રમાણેની કાયસ્થિતિ બાદર અપ્લાયિક, બાદર તેજસ્કાયિક, અને બાદર વાયુકાયિક જીવોની પણ છે. સામાન્ય બાદર વનસ્પતિ કાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ થી અસંખ્યાત કાળની છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવસર્પિણીયોનો સમાવેશ થઈ જાય છે. તથા આંગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશો છે. એ પ્રદેશોને એક એક સમયમાં એક એક પ્રદેશ ત્યાંથી ખાલી કરવામાં જેટલો કાળ પૂરેપૂરા ખાલી કરવા લાગે છે. એટલા કાળમાં તે સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયની સ્થિતિ બાદર પૃથ્વીકાયિકની જેમ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તર કોડા કડી સાગરની છે. સામાન્ય નિગોદ જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળની છે. આ અનંત કાળમાં અનંત ઉત્સર્પિણીયો અને અનંત અવસર્પિણીયો થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અઢી પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. બાદર નિગોદ જીવની કાયસ્થિતિનો કાળ જધન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી સિત્તેર કોડા કોડી સાગરનો છે. બાદર ત્રસકાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમની છે. બાદર પર્યાપ્તની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ અંતર્મુહૂર્તનો છે. આ રીતે આ દસેની અપર્યાપ્તાવસ્થામાં કાયસ્થિતિનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક એક અંત મુહૂર્તનો છે. બાદર પયતની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પૃથકત્વનો છે. પર્યાપ્તક બાદર પૃથ્વોકાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હજાર વર્ષની છે. પર્યાપ્તક અકાયિકની કાયસ્થિતિ પણ એજ પ્રમાણેની છે. પર્યાપ્તક તેજસ્કાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત રાત દિવસની છે. પર્યાપ્ત વાયુકાયિકની સામાન્ય બાબર વનસ્પતિકાયિકની અને પ્રત્યેક બાદર વનસ્પતિ કાયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બાદર પયપ્તિક પૃથ્વીકાયિકના સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેની છે. સામાન્યથી નિગોદની કાયસ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની છે. બાદર ત્રસ પર્યાપ્તકની કાયસ્થિતિ જઘન્ય થી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પ્રથકૃત્વની છે. 3i61-364) સામાન્યબાદરનો, બાદરવનસ્પતિકાયિકનો, નિગોદનો અને બાદર નિગોદનો આ ચારેનો અંતકરકાળ પૃથ્વીકાળ પ્રમાણનો યાવતું અસંખ્યાત લોક પ્રમાણ થાય છે. બાકીના બાદર પૃથ્વીકાયિક વિગેરેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પરિમાણ છે. બાદર પૃથ્વીકાયિકના કથન પ્રમાણે બધાજ પર્યાપ્તકોનું અંતર સમજી લેવું. સામાન્યપણાથી બાદર વનસ્પતિકાયિકોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy