SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 141 પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર માછલાઓ, અને કાચબાઓથી વ્યાપ્ત છે? હે ગૌતમ ! ત્રણ જ સમુદ્રો એવા કહ્યા છે લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, અને સ્વયંભૂરમણ સમુદ્ર, બાકીના જે સમુદ્રો છે. તે બધા થોડા માછલા અને કાચબાઓથી યુક્ત છે. લવણ સમુદ્રમાં મચ્છ જાતવાળા જીવોની જાતિ પ્રધાન કુલ કોટિયોની યોનિઓ સાત લાખ કહેવામાં આવેલ છે. કાલોદસમુદ્રમાં મચ્છ જાતિના જીવોની કુલ કોટિયની યોનિયો નવ લાખ કહેવામાં આવેલ છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છુ જતીના જીવોની કુલ કોટિની યોનિયો સાડાબારલાખ કહેવામાં આવેલ છે. લવણ સમુદ્રમાં માછલાઓના શરીરની અવગાહના જઘન્યથી તો આંગળ ના અસંખ્યાતમા ભાગ પ્રમાણની કહેલ છે. અને ઉત્કૃષ્ટથી પાંચસો યોજનની કહેવામાં એજ પ્રમાણે કાલોદ સમુદ્રમાં જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની કહેલ છે. અને ઉત્કૃષ્ટથી 700 યોજનની કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્રમાં મોના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ઉત્કૃષ્ટ થી ૧૦૦યોજન છે [304] હે ભગવન્ દ્વીપો અને સમુદ્રો કેટલા નામોવાળા છે? હે ગૌતમ ! લોકમાં જેટલા શુભ નામો છે. શુભવર્ણ, શુભગન્ધ શુભસ્પર્શ છે. એટલાજ નામવાળા દ્વીપો અને સમુદ્રો છે. હે ભગવનું ઉદ્ધાર પલ્યોપમ સાગરોપણ પ્રમાણથી કેટલા દ્વીપ સમદ્રો કહેવામાં આવેલ છે. અઢાઈ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય હોય છે એટલા ઉદ્ધાર સમય પ્રમાણના દ્વીપો અને સમુદ્રો કહેલા છે. [305] હે ભગવનું દ્વીપ સમુદ્રો શું પૃથ્વીના પરિણામ રૂપ છે? ઈત્યાદિ હે ગૌતમ! દ્વીપ સમુદ્ર પૃથ્વીના પરિણામરૂપ પણ છે અપકાયના પરિણામરૂપ પણ છે. જીવ પરિણામરૂપ પણ છે. અને પુદ્ગલના પરિણામ રૂપ છે. દ્વિીપ સમુદ્રોમાં સઘળા પ્રાણી સઘળાભૂતો સઘળાજીવો, અને સઘળાસત્વો અનંતીવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે. પ્રતિપત્તિ ૩-દ્વીપસમુદ્રની અનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયા | (પ્રતિપત્તિ ૩-ઈન્દ્રિયવિષયાધિકાર) [૩૦]હે ભગવન્! ઈન્દ્રિયોના વિષયભૂત જે પુદ્ગલ પરિણામ છે, તે કેટલા પ્રકારના કહેલ છે. ઈન્દ્રિયોના વિષયભૂત થયેલા પુદ્ગલો પકારના કહેલ છે. તે પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. શ્રોત્રેજિયના વિષયભૂત પુદ્ગલપરિણામ યાવતુ સ્પર્શેન્દ્રિયના વિષયભૂત પુદ્ગલપરિણામ શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત જે પુદ્ગલ પરિણામો છે, તે બે પ્રકારના છે. એક સુરભિશબ્દ પરિણામ અને બીજું દુરભિશબ્દ પરિણામ, ચક્ષુ ઈદ્રિયના વિષયભૂત પુગલ પરિણામો પણ શુભ પરિણામ અને અશુભ રૂપ પરિણામ ના ભેદથી બે યાવતું એજ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિયના વિષયભૂત પુદ્ગલ પરિણામ પણ સુસ્પર્શ પરિણામ અને દુસ્પર્શ પરિણામના ભેદથી બે પ્રકારના થાય છે. હે ભગવન્! જે પુગલ પરિણામ જૂદી જૂદી ઈદ્રિયોના વિષયપણાથી ઉત્તમ અને અધમ અવસ્થામાં પરિણમિત થયેલ છે. એજ પુગલ પરિણામ શું દ્રવ્ય, ક્ષેત્ર વિગેરે સામગ્રીની સહાયતાથી અન્ય રૂપમાં પરિણમી શકે છે? હા ગૌતમ! જેમ તમે પૂછેલ છે, એજ પ્રમાણે થાય છે. હે ભગવનું તે શું આ કથન અનુસાર સુરભિ શબ્દ રૂપ પદ્ગલ દુરભિશબ્દ પણાથી. પરિણમી જાય છે ? હા ગૌતમ ! સુરભિ શબ્દ દુરભિશબ્દપણાથી અને દુરભિશબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy