SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ใน વેદિકા અને પાવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વારૂણવર સમુદ્રના જે પ્રદેશો વરૂણવર દ્વીપને સ્પર્શેલા છે, તે પ્રદેશો વારૂણવર સમુદ્રના કહેવાશે. અહીના જીવો મરીને આ દ્વીપમાં પણ ઉત્પન્ન થાય છે અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. વરૂણોદ સમુદ્રનું જલ લોક પ્રસિદ્ધ ચંદ્રપ્રભા નામની સુરા જેવું હોય છે, મણિશલાકા નામની સુરા જેવી હોય છે, વરવારૂણી જેવી હોય છે. પત્રાસવ જેવો હોય છે. જેવો પુષ્પાસવ હોય છે, ફળાસિવ જેવો હોય છે. સોયાસવ જેવો હોય છે, અર્જર સાર જેવો હોય છે, મદ્વીકાસાર જેવો હોય છે. કાપિ શાયન જેવું હોય છે. સારી રીતે પકાવેલ ક્ષોદ રસ જેવો હોય છે, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પર્યન્તના વિશેષણોથી યુક્ત સુરા-શરાબ-દારૂ જેવો હોય છે. એજ પ્રમાણે મિઠાશ વિગેરેથી યુક્ત તે સમુદ્રનું જળ હોય છે. તેથી આ મીઠાશ વિગેરે નિમિત્તને લઈને આનું નામ વારૂણી પર સમુદ્ર એવું કહેવાયું છે. પ્રભુના આ પ્રમાણે કહેવાથી ફરીથી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે ભગવનું વારૂણોદક સમુદ્રનું જળ આવા પ્રકારના વર્ણવાળું છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે વરૂણ સમુદ્રનું જળતો સ્વાદમાં આ સુરા વગેરેના સમૂહથી વિશેષ ઈષ્ટતર છે. કાનડતર છે, પ્રિયતર છે. મનોજ્ઞતર છે. અને મન આમતર છે આ કારણથી હે ગૌતમ! આ સમુદ્રનું નામ વરૂણવર સમુદ્ર એ પ્રમાણે કહેવાયેલ છે. એ વરૂણવર સમુદ્રમાં વારૂણ અને વરૂણકાંત એ નામના બે દેવો રહે છે. તેથી આ દેવોનો ત્યાં સભાવ હોવાના કારણથી આ સમુદ્રનું નામ એ પ્રમાણે થયેલ છે. તથા આ સમુદ્રનું નામ યાવત્ નિત્ય છે, અહીયાં સઘળા જ્યોતિષ્ક દેવો સંખ્યાત જ છે. તેમ સમજી લેવું. [22] વણવર સમુદ્રને ક્ષીરવર નામનો દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગોળ છે. અને ગોળ વલયના આકારવાળો છે. તેથી એને સમચક્રવાલ સંસ્થાનવાળો કહેવામાં આવેલ છે. તેનો સમચક્રવાલ વિધ્વંભ એક લાખ યોજનનો કહેવામાં આવેલ છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ કહેલ છે. હે ભગવનું લીવર દ્વિીપના જેટલા પ્રદેશો ક્ષીર સમુદ્રને સ્પર્શેલો છે. તે પ્રદેશો ક્ષીરવર દ્વીપના કહેવામાં આવશે ? કે ક્ષીરવર સમુદ્રના કહેવાશે ? હે ગૌતમ ! એ પ્રદેશો ક્ષીરવર દ્વીપનાજ કહેવામાં આવશે. હે ભગવનું ક્ષીરવર દ્વીપના જીવો જ્યારે મરે છે તો મરીને તેઓ શું ત્યાંજ ઉત્પન્ન થાય છે? અથવા તે સિવાયના કોઈ બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! એવોક કોઈ નિયમ નથી કે ત્યાં મરેલા જીવો ત્યાંજ ઉત્પન્ન થાય બીજે ઉત્પન્ન થાય નહીં. હે ભગવનું ક્ષીરવર દ્વીપ એ પ્રમાણેનું આ દ્વીપનું નામ શા કારણથી થયેલ છે ? હે ગૌતમ ! ક્ષીરવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવો છે. યાવતુ બિલપંકિતયો છે. તેમાં દૂધના જેવું પાણી ભરેલું છે. તેમાં ઉત્પાદ પર્વતો છે. પર્વતોની ઉપર આસન છે. મંડપો છે. મંડપોમાં પૃથ્વીશિલાપટ્ટકો છે. આ શિલાપટ્ટકો સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં આગળ અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો ઉઠે છે, બેસે છે. સુવે છે. યાવતુ પૂર્વક વિહાર કરે છે અહીંયાં પુંડરીક અને પુષ્પદંત એ નામના બે દેવો રહે છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. તેમજ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. આ દ્વીપ આ નામવાળો અનાદિ કાળથીજ પ્રસિદ્ધ થયેલ છે. પહેલાં પણ એજ નામથી પ્રસિદ્ધ હતો, વર્તમાન માં પણ એ એજ નામથી પ્રસિદ્ધ છે પછી પણ રહેશે. અહીયાં પણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા એ બધા સંખ્યાત છે. આ ક્ષીરવર સમુદ્રને ચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy