SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 130 જીવાજીવાભિગમ - ડાહી../૨૮૮ પાંચ સામાનિક દેવોએ સ્થાન પર ઈદ્રના જે તેમની સંભાળ રાખે છે. તેમના ઈકનું એ સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી દ્ર વિનાનું ખાલી રહે છે. [28] પુષ્કરવર દ્વીપને પુસ્કરવરોદ નામના સમુદ્ર ચારે બાજુથી ઘેરેલ છે અને એ સમુદ્ર ગોળ છે. તથા વલયનો આકાર હોય છે. હે ભગવનું આ પુષ્કરવારોદ સમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ કેટલો છે? અને તેનો પરિક્ષેપ કેટલો હે ગૌતમ ! તેનો ચક્રવાલ વિખંભ અને તેનો વિખંભ બંને સંખ્યાત લાખ યોજનોનો છે. પુષ્કરોદ સમુદ્રના ચાર દ્વારા કહેવામાં આવેલા છે. આ બધા દ્વારોનું પરસ્પરનું અંતર સંખ્યાત લાખ યોજનાનું થાય છે. પુષ્કરવા સમુદ્રના પ્રદેશ અરૂણવર દ્વીપને સ્પર્શેલા હોવા છતાં પણ પુષ્કરવર સમુદ્રનાજ કહ્યા છે. ત્યાં મરેલા જીવો ત્યાં પણ ઉત્પન્ન થાય છે, અને બીજે પણ ઉત્પન્ન થઈ જાય છે. પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ છે. પથ્ય છે. જાતિવંત છે. હલકું છે. અને સ્વભાવથી જ તે સ્ફટિક રત્નના જેવું નિર્મળ અને પ્રકૃતિથીજ તે મધુર રસવાળું છે. અહીંયા શ્રીધર અને શ્રી પ્રભ નામના બે દેવો કે જેઓ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને એક પલ્યો પમની સ્થિતિવાળા છે તેઓ રહે છે. એજ કારણથી હે ગૌતમ! તેનું નામ પુષ્કરોદ સમુદ્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. યાવતુ એ નિત્ય છે. ત્યાં સંખ્યાત ચંદ્રમાઓએ પહેલા પ્રકાશ આપ્યો હતો આપે છે અને આપશે. યાવતું સંખ્યાત કોડા કોડી તારાગણો પહેલાં ત્યાં સુશોભિત થયા હતા થાય છે. અને થશે. [29] પુષ્કરોદ સમુદ્રની ચારે બાજુ વરૂણવર દ્વીપ છે. આ દ્વીપ ગોળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળો છે. તેનો સમચક્રવાલ વિધ્વંભ પહોળાઈમાં સંખ્યાત લાખ યોજનાનો છે. અને પરિક્ષેપ પણ તેની સંખ્યાત લાખ યોજનાનો છે. તેની ચારે બાજુ પાવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વરૂણદ્વીપના જે પ્રદેશો વણવર સમુદ્રને સ્પર્શે છે તે વરૂણ દ્વીપના કહેવાશે. અને જે વરૂણ સમુદ્રના પ્રદેશો અરૂણદ્વીપને સ્પર્શેલા છે તે વરૂણ સમુદ્રના જ કહેવાશે. એજ પ્રમાણે વરૂણવર દ્વીપમાં મરેલા જીવો ત્યાં પણ ઉત્પન્ન થાય છે. અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. અહીંયાં નાની મોટી અનેક વાવો આવેલ છે, યાવતું બિલ પંક્તિયો છે એ બધી આકાશ અને સ્ફટિકના જેવી સ્વચ્છ છે. તથા એ દરેક બિલપંક્તિયો પાવર વેદિકાઓથી અને વનખંડોથી ઘેરાયેલ છે. એ પદ્રવર વેદિકાઓ મદિરાના જેવા પાણીથી ભરેલ છે. એ પ્રાસાદીય છે, દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. આ નાની મોટી વાવોમાં વાવતું બિલપંક્તિયોમાં અનેક ઉત્પાત પર્વતો છે. યાવતું ખડગ છે. એ બધા સ્ફટિકમય છે. અચ્છ-સ્વચ્છ છે. આ દ્વીપમાં વરૂણ અને વરૂણ પ્રભ નામના બે દેવો રહે છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણો. વાળા છે. અને યાવતુ તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. આ કારણથી તેનું નામ વરૂણવર એ પ્રમાણે કહેવાયેલ છે. અથવા યાવતું તે નિત્ય છે. અહિંયા જ્યોતિષ્કોનું પ્રમાણ સંખ્યાત ગણું છે. અને તારાઓનું પ્રમાણ કોડા કોડીનું છે. [291 વરૂણવર દ્વીપની ચારે તરફ વરૂણોદધિ સમુદ્ર છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયના આકાર જેવો છે. આ દ્વીપ સમચક્રવાલ વિધ્વંભ વાળો છે. વિષમચક્રવાળ વિકંભવાળો નથી. વિગેરે તેનો વિખંભ અને પરિક્ષેપ સંખ્યાત હજાર યોજનાનો છે. તેના ચારે દ્વારોનું પરસ્પરનું અંતર સંખ્યાત હજાર યોજનાનું છે. તેની ચારે બાજુ એક પદ્મવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy