SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 132 જીવાવાભિગમ - વલસ./૨૯૨ બાજાથી ઘેરીને ક્ષીરોદ નામનો સમુદ્ર આવેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયનો જેવા આકારવાળો છે. સમચક્રવાલ સંસ્થાનવાળો છે. વિષમ ચક્રવાલ સંસ્થાનવાળો નથી એ સંખ્યાત હજાર યોજનાના વિસ્તારવાળો છે. અને સંખ્યાત યોજનનીજ તેની પરિધિ છે. હે ભગવનું આ સમુદ્રનું નામ “ક્ષીરોદ સમુદ્ર એ પ્રમાણે શા કારણથી થયેલ છે? હે ગૌતમ ! . ક્ષીરોદ સમુદ્રનું જલ ખાંડ ગોળ અને સાકર મેળવીને ચાતુરત ચક્રવર્તિ માટે ધીમી એવી અગ્નિ પર ઉકાળવામાં આવેલ દૂધનો જેવો સ્વાદ હોય છે, તેવો તેનો સ્વાદ છે અથવા વિશેષ પ્રકારના સ્વાદવાળો છે દીપનીય છે સમસ્ત ઈન્દ્રિયો શરીર અને મનને આનંદ આપનાર થાય છે, વિશેષ પ્રકારના વર્ણથી, રસથી અને સુકોમળ સ્પર્શ વિગેરેથી યુક્ત છે તેથી તેનું એ પ્રમાણેનું નામ કહેવામાં આવેલ છે. હે ભગવનું ક્ષીરસમુદ્રનું જલ ચક્રવતિ માટે તૈયાર કરવામાં આવેલ દૂધનાજ જેવું હોય છે ? હે ગૌતમ ! આ અર્થ બરોબર નથી.કેમકે ક્ષીરોદ સમુદ્રનું જળ તો આ દૂધથી પણ વધારે ઈષ્ટતર યાવતુ આસ્વાદનીય છે. અહિયાં વિમલ અને વિમલપ્રભ નામના બે દેવો નિવાસ કરે છે. આ કારણથી આ સમુદ્રનું નામ “ક્ષીરોદસમુદ્ર એ પ્રમાણે છે. અહીયાં ચંદ્ર સૂર્ય વિગેરે પાંચ પ્રકારના જ્યોતિષ્કદેવો સંખ્યાત છે. [23] ક્ષીર સમુદ્રને ચારે બાજાએ વીંટળાઇને ધૃતવર નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપનો આકાર ગોળ છે. આ વૃતવરદ્વીપ સમચક્રવાલ વિધ્વંભથી યુક્ત છે. વિષમ ચક્રવાળથી યુક્ત નથી, તેનો ચક્રવાલ વિભ સંખ્યાત હજાર યોજનનો છે. અને તેની પરિધિ ત્રણ ગણાથી અધિક છે. હે ભગવનું આ દ્વીપનું નામ ધૃતવરદ્વીપ એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! આ વૃતવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની, મોટી વાવો છે યાવતુ તે બધી વાવો છૂતના જેવા પાણીથી ભરેલ છે. તેમાં ઉત્પાત પર્વતથી લઈને ખડ હડ સુધીના પર્વતો છે. આ સઘળા પર્વતો સર્વાત્મના અચ્છ-સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. કનક અને કનકપ્રભ નામના બે દેવો અહીં રહે છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું છે. તેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા છે. ત્યાં ચંદ્ર વિગેરે જ્યોતિષ્ઠ દેવો સંખ્યાત છે. આ વૃતવર દ્વીપને ચારે બાજુથી ઘેરીને બૃતોદક નામનો સમુદ્ર આવેલા છે. આ સમુદ્ર ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના જેવા આકારવાળો છે. તેનો ચક્રવાલ સમ છે વિષમ નથી. દ્વાર પ્રદેશ અને જીવોના સંબંધનું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. ધૃતોદક સમુદ્રનું જલ એવું છે કે-જેવું શરદ્ કાળનું ગોઘમંડ હોય છે. આ ગોધૃત મંડ શલ્લી વિમુક્ત અને ફુલેલા કરેણના પુષ્પો જેવું કંઈક કંઈક પીળું હોય છે. તથા સરસવના ફુલ જેલું તથા કોરેટની માળા જેવું પીળા વર્ણનું હોય છે. સ્નિગ્ધતા વાળું હોય છે. હે ગૌતમ ધૃતોદકનું જલતો તમોએ કહેલા પ્રકારથી પણ વધારે ઈષ્ટ હોય છે. અને અધિકતર આસ્વાદ્ય હોય છે. આ દ્વીપમાં કાંત અને સુકાંત એ નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. અને તેઓની સ્થિતિ એક પત્યની છે. એ કારણથી આ સમુદ્રનું નામ ધૃતોદક એ પ્રમાણે થયેલ છે. અથવા તો નિત્ય છે. અહીયાં તારાગણ સુધીના જ્યોતિષ્ક દેવો અસંખ્યાત છે. આ વૃતોદક સમુદ્રને ઈક્ષરસ નામનો દીપ ચારે બાજુએ ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગોળ છે તેથી તેને વલયના જેલા ગોળ આકરવાળો કહેવામાં આવેલ છે. આ દ્વીપના. વર્ણનમાં જેમ બીજા દ્વીપોનું પહેલા વર્ણન કરવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણેનું કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy