SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 124 જીવાજીવાભિગમ - ૩ઢી સ.૨૨૪ કહેવાશે કાલોદ સમુદ્રના કહેવાશે નહીં એજ પ્રમાણે કાલોદ સમુદ્રના જે પ્રદેશો ધાત કીખંડ દ્વિીપને સ્પર્શેલા છે, તે કાલોદ સમુદ્રના જ કહેવાશે. ધાતકીખંડ દ્વીપના કહેવાશે નહીં કેટલાક જીવો કે જેઓ ધાતકીખંડમાં મર્યા હોય તેઓ ધાતકીખંડ સમુદ્રમાં જન્મ ધારણ કરે છે. અને કેટલાક જીવો ત્યાં જન્મ લેતાં નથી. એજ પ્રમાણે કાલોદ સમુદ્રમાં મરેલા કેટલાક જીવો કાલોદ સમુદ્રમાં જ જન્મ લે છે. અને કેટલાક જીવો ત્યાં જન્મ લેતાં નથી. ધાતકી ખંડ દ્વીપમાં સ્થળે સ્થળે ધાતકી એ નામના વૃક્ષો, ધાતકીના વનો અને ધાતકીના વનખંડો સદા કુસુમિત રહે છે. એ કારણથી આ દ્વીપનું નામ ઘાતકીખંડ દ્વીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ ધાતકીખંડના પૂર્વાદ્ધમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલગિરીની પાસે ધાતકી નામનું વૃક્ષ છે. તથા ધાતકીખંડના પશ્ચિમાધિમાં ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલ મહાગિરિની પાસે મહાધાતકી વૃક્ષ છે. આ કારણથી પણ આ દ્વીપનું નામ ધાતકી ખંડ દ્વીપ એ પ્રમાણે થયેલ છે અથવા આ દ્વીપનું એ પ્રમાણેનું નામ અનાદિ કાળથી જ ચાલ્યું આવે છે. કેમકે-આ દ્વીપ પહેલાં એ નામ વાળો ન હતો તેમ નથી. વર્તમાનમાં પણ તે એવા નામ વાળો નથી તેમ પણ નથી. તથા ભવિષ્યકાળમાં એ આવા નામ વાળો રહેશે નહીં તેમ પણ નથી. તેથી તે નિત્ય યાવતુ શાશ્વત છે. ૨૨પ-૨૨૭] ધાતકીખંડમાં બાર ચંદ્રમાઓએ પહેલાં પ્રકાશ આપેલ છે. વર્તમાનમાં આપે છે. અને ભવિષ્યકાળમાં આપશે. એજ પ્રમાણે ત્યાં બાર સૂર્યો પહેલાં તપ્યા હતા. તપે છે. તપશે. 336 નક્ષત્રો 1056 ગ્રહો તથા 83000 કોડાકોડી તારાઓ ત્યાં પહેલાં શોભેલા છે શોભે છે. અને શોભિત થશે. એ રીતે ચારે દ્વારોનું વર્ણન જંબુદ્વીપ અનુસાર જાણવું. ફક્ત રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય હજાર યોજનો સીધું જવાથી આવે છે. બાકીનું કાલોદ સમુદ્રનું વર્ણન આદિ લવણ સમુદ્ર મુજબ જાણવા. હે ભગવંત કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે? [228] ધાતકીખંડ દ્વીપને ચારે બાજુએથી ઘેરીને કાલોદ સમુદ્ર રહે છે. આ સમુદ્ર ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના આકાર જેવો છે. કાલોદ સમુદ્રનો આકાર સમચક્રવાલવાળો છે, વિષમચક્રવાલવાળો નથી. કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્ઠભ આઠ લાખ યોજનાનો છે. અને તેની પરિધિનું પ્રમાણ ૯૧૧૭૬૭પ યોજનથી કંઈ વધારે છે. આ કાલોદ સમુદ્ર ચારે બાજુથી એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ઘેરાયેલ છે. કાલોદ સમુદ્રના ચાર દ્વારો છે. વિજય; વૈજયન્ત, જયન્ત અને અપરાજીત. કાલોદ સમુદ્રના પૂર્વાન્ત ભાગમાં જે પુષ્પકવર દ્વીપ છે. તેના પૂર્વાર્ધથી પશ્ચિમમાં સીતોદા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું વિજય નામનું દ્વાર છે. આઠ યોજનાની ઉંચાઈ વાળું છે. વિગેરે કાલોદ સમુદ્રની દક્ષિણ દિશાના અંત માં પુષ્કરવરદ્વીપના દક્ષિણાર્ધની ઉત્તરમાં કાલોદ સમુદ્રનું વૈજયન્તદ્વાર કહેવામાં આવેલ છે. ધાતકીખંડ દ્વીપના દરેક દ્વારનું પરસ્પરમાં અંતર ૧૦૨૭૭૩પ યોજન અને ત્રણ કોસનું છે. [229 2292646 યોજના અને ત્રણ કોસ બે દ્વાર વચ્ચેનું અંતર છે. [23] કાલોદ સમુદ્રના પ્રદેશો પુષ્કરવર સ્પર્શે છે વગેરે વર્ણન કરી લેવું જોઇએ. હે ભગવનું તેને કાલોદ સમુદ્ર નામ કેમ કહ્યું છે ! હે ગૌતમ! કાલોદ સમુદ્રનું જળ આસલ માસલ પેસલ કૃષ્ણ ભાસ રાશિના વર્ણની સમાન છે. પ્રકૃતિથી તેનું જળ તેવા પ્રકારનું છે. વળી કાળ અને મહાકાળ એવા બે મહર્લિંકદેવ યાવતું પલ્યોપમની સ્થિતિવાળા ત્યાં રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy