SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 125 છે માટે યાવતુ તેવું નામ નિત્ય છે શાશ્વત છે માટે તેને કાલોદ સમુદ્ર કહે છે. [231-234] તે કાલોદ સમુદ્રમાં 42 ચંદ્ર, 42 સૂર્ય. 1076 નક્ષત્રો, 696 મહાગ્રહો, 28,12,50 કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે શોભશે. ૨૩પ-૨૩૬ કાલોદધી સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ પુષ્કરવદ્વીપ નામનો દ્વીપ છે, આ દ્વીપ ગોળ છે. તેનો આકાર વલયનો જેવો આકાર હોય છે તેવો છે. આ દ્વીપ પણ સમચક્રવાલ સંસ્થાનવાળો છે.વિષામચક્રવાલ સંસ્થાનવાળો નથી. પુષ્કર વર દ્વીપનો. ચક્રવાલ વિઝંભ સોળ લાખ યોજનાનો છે. અને તેની પરિધિ 19289894 યોજનથી કંઈક વધારે છે. પુષ્કરાઈ દ્વીપ એક પાવર વેદિકાથી અને એક વર્ષથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ બન્નેનું વર્ણન જેબૂદ્વીપ વિગેરેના પ્રમાણેનું સમજી લેવું. પુષ્કર વિર દ્વીપના ચાર દરવાજાઓ કહેવામાં આવેલા છે.વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત પુષ્કરવર દ્વીપની પૂવર્ષના અંત માં પુષ્કરવર સમુદ્રની પશ્ચિમ દિશામાં પુષ્કરવર દ્વીપનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ દ્વારનું વર્ણન જબૂદ્વીપના વર્ણન પ્રમાણેનું કરી લેવું. પરંતુ રાજધાનીના વર્ણનમાં બીજા પુષ્કરવર દ્વીપમાં રાજ ધાની છે તેમ કહેવું જોઇએ. તથા સીતા અને સીસોદા એ બે મહાનદીયોનો સદુભાવ અહી કહેવો ન જોઇએ. પુષ્કરવર દ્વીપના પ્રત્યેક દ્વારોનું પરસ્પરમાં 4822469 યોજનનું કહેવામાં આવેલ છે. [239] હે ભગવનું આ પુષ્કરવર દ્વીપનું નામ શા કારણથી થયેલ છે? હે ગૌતમ! પુષ્કરવર દ્વીપમાં તે તે સ્થાનો પર અનેક પદ્મવૃક્ષ પધવન ખંડ સર્વદા કુસુમિત પલ્લવિત અને સ્તબક્તિ તથા ફળોના ભારથી નમેલા રહે છે. તથા અહીંયા પ અને મહાપા નામના જે બે વૃક્ષો છે તેના પર પદ અને પુંડરીક નામના બે દેવો કે જેઓ મહર્દિક વિગેરે વિશેષણોવાળા છે, અને જેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તે કારણથી આ દ્વીપનું નામ પુષ્કરવર દ્વીપ કહેવામાં આવેલ છે. એ નામ નિત્ય છે. આ પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્રમાઓએ પહેલાં પ્રકાશ આપેલ છે ? આપે છે? આપશે. [240-242] હે ગૌતમ! 144 ચંદ્રમાઓએ પહેલાં ત્યાં પ્રકાશ કર્યો છે. કરે છે અને કરશે. 144 સૂર્યો ત્યા તપ્યા છે. તપે છે.અને તપશે. 4032 નક્ષત્રો નો ત્યાં યોગ થયો હતો. થાય છે. અને થશે. 12672 મહાગ્રહોએ ત્યાં ચાલ ચાલી હતી ચાલે છે. ચાલશે. 96,44,400 તારાઓ ત્યાં શોભિત થયા હતા. શોભે છે. શોભશે. [243-245] પુષ્કરવરદ્વીપના બહુમધ્યદેશભાગમાં-માનુષોત્તર નામનો પર્વત છે. આ પર્વત ગોળ છે. પુષ્કરવરદ્વીપની બરોબર મધ્યમાં આવેલ છે. તેજ કારણથી પષ્ફરવરદ્વીપના બે ભાગ થયા છે. તે ખંડોના નામ આભ્યત્તર પુષ્કરાઈ અને બીજાં બાહ્ય પુષ્કરાઈ.આભ્યત્તર પુષ્કરાર્ધનો ચક્રવાલ 8000 યોજનાનો છે. અને તેની પરિધિ 14230249 યોજનની છે. એજ પરિધિ મનુષ્ય ક્ષેત્રની છે. આભ્યત્તર પુષ્કરાઈની. ચારે બાજુ માનુષોત્તર પર્વત છે. તે કારણથી તેનું નામ પુષ્કરાઈ છે. આ નામ યાવત્ નિત્ય છે. [246-249] પુષ્કરાર્ધમાં 72 ચંદ્રમાએ પ્રકાશ આપ્યો હતો આપે છે. અને આપશે. 72 સૂય તપેલા હતા તપે છે. અને તપશે. 6336 ગ્રહોએ ત્યાં ચાલ ચાલી છે. ચાલે છે. અને ચાલશે. 2016 નક્ષત્રોએ ત્યાં હતા છે અને રહેશે. 4822200 તારા ઓની કોટી કોટી ત્યાં શોભિત થયેલ છે. થાય છે. અને શોભિત રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy