SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 115 પ્રતિપતિ -3, દ્વીપસમુદ્ર એ બે જીવ રહે છે. તથા જે ઉપરનો ત્રિભાગ છે. તેમાં અખાયિક જીવો રહે છે. તથા તેના સિવાય હે ગૌતમ ! લવણસમુદ્રમાં બીજા પણ અનેક નાની નાની જગ્યાએ અલિજરના આકાર જેવા, મહાકલશોના આકાર જેવા. પાતાલ કલશો છે. આ બધા પાતાલ કલશો મળીને લવણસમુદ્રમાં 7884 થાય છે. એ મહાપાતાલ કલશોના અને શુદ્રપાતાલ કલશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઉર્ધ્વગમનના સ્વભાવવાળા વાયુકાય ઉત્પન્ન થવાના સન્મુખ હોય છે. સામાન્ય પણાથી કંપિત થાય છે. વિશેષપણાથી કંપિતા થાય છે. ઘણાજ જોરથી ચાલે છે. યાવતું વાયુઓને અને જલને પ્રેરણા કરે છે. તથા દેશકાળને યોગ્ય તીવ્ર અને મધ્યમ ભાવથી જ્યારે પરિણામને પ્રાપ્ત કરે છે. પૂવક્ત દિવસોમાં તેમાં જળ વધે છે. અને જ્યારે એ મહાપાતાલ કલશોની અને શુદ્ધ પાતાલ કલશોની નીચેની બાજુના મધ્યના ત્રિભાગો માં અનેક ઉદાર વાયુકાયિક જીવો ઉત્પન્ન થવાના નજીકજ હોય છે. સંમૂશ્કેન જન્મથી આત્મલાભ કરતા નથી. યાવતું તે તે ભાવ માં પરિણત થતા નથી. ત્યારે જલ વધતું નથી. તેમાંથી પાણી ઉછળતું નથી. આ પ્રમાણે રાત દિવસમાં બે વાર વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારે પાણી બે વાર ઉંચુ ઉછળે છે. તથા પક્ષની વચમાં ચૌદશ વિગેરે તિથિયોમાં અધિકપણાથી વાયુકાયિક જીવ ઉત્પન્ન થાય છે. ત્યારે તે તિથિયોમાં વધારે પ્રમાણમાં ઉંચે ઉછળે છે. એ કારણથી હે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ; આઠમ અમાસ અને પુનમ એ તિથિયોમાં પાણીની અત્યંત વૃદ્ધિ થાય છે. અને હાનિ થાય . [23 હે ભગવંત લવણ નામનો સમુદ્ર ત્રીસ મુહૂર્તમાં કેટલીવાર વધે છે? અને કેટલીવાર ઘટે છે? હે ગૌતમ! બે વાર વધે છે. અને બે વાર ઘટે છે. હે ગૌતમ ! નીચેના અને મધ્યના ત્રિભાગ માં રહેલ વાયુના સંક્ષોભથી પાતાલ કલશોમાંથી જ્યારે પાણી ઉંચુ ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે. અને જ્યારે એ પાતાળ કલશો વાયુથી ભરાયેલા રહે છે. ત્યારે પાણીની હાની થાય છે. એ કારણથી હે ગૌતમ! લવણ સમુદ્ર એક રાત દિવસમાં બે વાર અધિકાધિક વધે છે અને ઘટે છે. [204] હે ભગવનું લવણ સમુદ્રની શિખા ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ કેટલી પહોળી છે? અને તે કેટલીક વધે છે અને કેટલી ઘટે છે ? હે ગૌતમ! 10000 યોજના જેટલી પહોળી છે. તથા કંઈક ઓછી અધયોજન સુધી તે વધે છે. અને ઘટે છે. હે ભગવનું લવણ સમુદ્રની આભ્યન્તરિક વેલાને શિખરની ઉપરના જલને અને શિખાને કે જે અગ્રભાગમાં પડે છે. કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? હે ગૌતમ ! 42000 નાગકુમાર દેવો ધારણ કરે છે. 72000 નાગકુમાર દેવો બહારની વેલાને ધારણ કરે છે. તથા 60000 નાગકુમાર અગ્રોદકને ધારણ કરે છે. આ બધા નાગકુમારો મળીને કુલ ૧૭૪૦૦૦થાયછે. [25] હે ભગવન વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે? હે ગૌતમ! ચાર કહેલા છે. ગૌસ્તુભ, શિવક શંખ, અને મનઃશિલા. હે ભગવનું એ ચાર વેલંધર નાગરાજાઓના કેટલા આવાસ પર્વતો કહેલા છે? ચાર આવાસ પર્વતો કહેલા છે. ગૌસ્તુભ, ઉદકાવા, શંખ અને દફસીમા હે ભગવદ્ ગોસ્તૃભ વેલંધર નાગરાજનો ગોટૂભ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબૂદીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રથી 42000 યોજન આગળ જવાથી ગૌસ્તુભ વેલંધર નાગરજનો ગોસ્તંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy