SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાવાભિગમ- ૩હી.સ. ર૦૫ નામનો આવાસ પર્વત છે. આ પર્વત 1721 યોજન જેટલો ઉંચો છે. 4301 યોજનની તેની ઉંડાઈ છે. તે મૂળમાં 1022 યોજન લાંબો પહોળો છે. વચમાં 723 યોજન લાંબો પહોળો અને ઉપરની તરફ 424 યોજન જેટલો લાંબો પહોળો છે. મૂળમાં ૩ર૩૦ યોજનમાં કંઈક ઓછી તેની પરિધિ છે. વચમાં 2284 યોજનથી કંઇક ઓછી તેની પરિધિ છે. ઉપરમાં તેની પરિધિ 1341 યોજનમાં કંઈક ઓછી છે. હે ભગવન્! આ * પર્વતનું નામ ગોસ્તંભ આવાસ પર્વત એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત પર સ્થળે સ્થળે ઘણી નાની મોટી વાવો છે. યાવતુ અહીયાં ગોસ્તુભ નામના દેવ રહે છે. તે કારણથી આ પર્વતનું નામ “ગોસ્તૂપ’ એ પ્રમાણે કહેવામાં આવેલ છે, “ગોસ્તંભ” એવું જે આ પર્વતનું નામ છે તે અનાદિ કાલિક છે. આ ગોસ્તંભ નામના નાગરાજેન્દ્ર ચાર હજાર સામાનિક દેવોનું સપરિવાર ચાર અઝમહિ ષ્યિોનું ત્રણ પરિષદાઓનું સાત અનીકોનું સાત અનીકાધિપતિયોનું 16000 આત્મ રક્ષક દેવોનું ગોસ્તૃભ પર્વતનું ગોસ્તંભ રાજધાનીનું અને એ રાજધાનીમાં રહેવાવાળા અન્ય અનેક દેવોનું અને દેવિયોનું અધિપતિપણે કરતા સુખપૂર્વક રહે છે. ગોખુભ નામ ના દેવનો તેમાં અધિકાર હોવાથી. આ પર્વતનું નામ ગોસ્તૂપ પર્વત એ પ્રમાણે થયેલ છે. - હે ભગવદ્ ગીતૂભદેવની ગોસ્તૃભા નામની રાજધાની ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તંભ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્યઅસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આવેલા અન્ય લવણ સમુદ્રમાં ગોસ્તૃભદેવની મોસ્તુપા નામની રાજધાની આવેલ છે. તેનું વર્ણન વિજયા રાજધાની મુજબ જાણવું. હે ભગવન ! શિવક વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનોમાં શિવ નામના વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ ગૌસ્તુભ પર્વતનું જે પ્રમાણ બતાવેલ છે. એજ પ્રમાણે વિશેષતા કેવળ આ દગભાસ પર્વતના કથનમાં એટલી જ છે કે-આ પર્વત સર્વ રીતે અંક રત્નમય છે. તે સ્વચ્છ અને પ્રતિરૂપ છે. હે ગૌતમ ! આ પર્વત લવણસમુદ્રમાં ચારે બાજુ પોતાની સીમાથી આઠ યોજન ક્ષેત્રમાં જેટલું પાણી છે. તેને અત્યંત વિશુદ્ધ અંક રત્નમય હોવાથી ઉદીપ્તિ કરે છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને કાંતિ યુક્ત કરે છે. તથા અહીંયા મહર્દિક વિગેરે વિશેષણો વાળા શિવ નામના દેવ રહે છે. આ પર્વત સંબંધી બાકીનું તમામ કથન ગોસ્તૂપ પર્વતના કથન પ્રમાણે જ છે. હે ભગવનુ શંખ નામના વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની પશ્ચિમ દિશામાં 42000 યોજન આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં વેલંધર નાગરાજ શંખનો શંખ નામનો આવાસ પર્વત છે. પર્વતની ઉંચાઈ વિગેરેના સંબંધનું વર્ણન ગોસ્તૂપ આવાસ પર્વતના વર્ણન પ્રમાણે જ છે. હે ભગવનું મન શિલક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસપર્વત કયાં સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે તે મંદર પર્વતની ઉત્તર દિશામાં લવણ સમુદ્રને 42000 યોજન પાર કરીને આગતા સ્થાનમાં મનઃશિક વેલંધરનાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત છે. આ પર્વતના વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy