SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 114 જીવાજીવાભિગમ - ૩હી.સ.૨૦૦ જાય છે અને કેટલાક જીવો એવા હોય છે કે-જેઓ મરીને લવણસમુદ્રમાં જ ઉત્પન્ન થઇ જાય છે. એ જ પ્રમાણે જે જીવો ધાતકીખંડમાં મરે છે તે ધાતકીખંડમાં પણ ઉત્પન્ન થાય છે અને લવણસમુદ્રમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ ધાતકીખંડમાં પણ ઉત્પન્ન થતા નથી અને લવણસમુદ્રમાં પણ ઉત્પન્ન થતા નથી, પરંતુ , બીજે જ સ્થળે ઉત્પન્ન થઈ જાય છે. હે ભગવન્! લવણસમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કયા કારણથી થયેલ છે? હે ગૌતમ! લવણસમુદ્રમાં પાણી અવિલ છે, લેલેણ છે, ખારી મીઠી એવી ઉષર ભૂમિના જેવું છે, લિંદ છે, લવણ જેવું ખારૂં છે, આ જ કારણથી લવણસમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે થયેલ છે, લવણસમુદ્રનું લવણ સમુદ્ર એ પ્રમાણેનું નામ થવામાં એક બીજું કારણ એ પણ છે લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવ છે કે જેઓ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને આ લવણ સમુદ્રમાં રહે છે, ત્યાં રહેતા પોતાનો સમય સુખપૂર્વક વિતાવે છે. તે કારણથી હે ગૌતમ ! આ સમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કહેલ છે, અથવા હે ગૌતમ ! લવણ સમુદ્ર શાશ્વત છે. કેમકે એ પહેલાં ન હતો તેમ નથી. વર્તમાનમાં નથી તેમ પણ નથી, તથા આગળ પણ તેનું વિદ્યમાનપણું રહેશે નહીં તેમ નથી. તેથી જ તે ધ્રુવ યાવતુ નિત્ય છે, તેથી તે અનિમિત્તિક છે. f201] હે ભગવનું ! લવણસમુદ્રમાં કેટલા ચંદ્રમાઓએ પ્રકાશ કર્યો હતો ? પ્રકાશે છે?પ્રકાશ આપશે?એજ રીતનો પ્રશ્ન પાંચેયના સંબંધમાં કરી લેવો તે હે ગૌતમ ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રમાઓએ પ્રવેશ કર્યો હતો. કરે છે, અને કરશે, એજ પ્રમાણે ત્યાં ચાર સૂર્યો તપ્યા હતા, તપે છે, અને તપશે, એકસો બાર નક્ષત્રોએ ત્યાં ચંદ્રમા વિગેરેની સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. ૩પર મહાગ્રંહોએ ત્યાં ચાલ ચાલી હતી. ચાલે છે અને ચાલશે. 26790 કોડાકોડી તારાઓ શોભિત થયા હતા. થાય છે, અને શોભશે. [202] હે ભગવનું લવણસમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પુનમ એ તિથિયોમાં જે અત્યંત વધેલું જણાય છે. તેનું શું કારણ છે? અને પાછળથી ઓછું થઈ જાય છે, તેનું શું કારણ છે ? હે ગૌતમ! જંબુદ્વીપની ચારે દિશાઓમાં બહારની વેદિકાના અંતભાગથી લવણસમુદ્રમાં 5002 યોજન અંદર જવાથી. ત્યાં એક મોટા કુંભ ઘડાના સંસ્થાન-આકારવાળા મહાપાતાલ કલશો છે વલયામુખ, કચૂપ ચૂપ અને ઈશ્વર આ પાતાલ કલશો એક લાખ યોજન પાણીની અંદર ઉંડા પ્રવેશેલો છે. મૂળમાં એ દસ હજાર યોજના જેટલા પહોળા છે. ત્યાંથી એક એક પ્રદેશની શ્રેણીથી વૃદ્ધિ થતાં થતાં એ મધ્યમાં એક એક લાખ યોજન પહોળા થઈ ગયેલ છે. તે પછી ત્યાંથી એ એક પ્રદેશની શ્રેણીથી હાની થતાં થતાં તે ઉપરની તરફ દસ હજાર યોજન પહોળા થઈ જાય છે. પાતાલ કલશોની ભીંતો બધેજ સરખી છે. આ ભીંતોમાં અનેક પૃથ્વીકાયિક જીવો નિકળે છે અને ઉત્પન્ન થાય છે ત્યાં પુદ્ગલોનો ઉપચય અને અપચય થતો રહે છે. એ કૂડય દ્રવ્યાર્થિક નાની અપેક્ષાથી શાશ્વત કહેલ છે. અને પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત કહેલા છે, આ ચાર મહાકલશોમાં ચાર મહર્બિક વિગેરે વિશેષણોવાળા દેવો રહે છે. એ દેવોના નામો કાળ. મહાકાલ, વેલંબ અને પ્રભંજન એ પ્રમાણે છે. આ મહાપાતાલ કલશોના દરેકના ત્રિભાગ છે. જે આ પ્રમાણે છે. એક નીચેનો ત્રિભાગ, બીજો મધ્યનો ત્રિભાગ, અને ત્રીજો ઉપરનો ત્રિભાગ તેમાંથી દરક ત્રિભાગ 33333-13 મોટા નીચેનો જે ત્રિભાગ છે, તેમાં વાયુકાયિક જીવો રહે છે. મધ્યનો જે ત્રિભાગ છે. તેમાં વાયુકાયિક અને અધ્યાયિક Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy