SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 13 પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર નામવાળો છે. [195] હે ભગવન્! આ જંબુદ્વીપમાં કેટલા ચંદ્રમાઓએ પ્રકાશ કરેલ છે? તેમજ વર્તમાનમાં કેટલા ચંદ્રમાં પ્રકાશ કરે છે? ને ભવિષ્યકાળમાં પણ કેટલા ચંદ્રમાં પ્રકાશ કરશે? કેટલા સૂર્ય આ જંબદ્વીપમાં તપ્યા છે? તપે છે? અને તપશે? હે ગૌતમ! આ જંબુદ્વિપ નામના દ્વીપમાં બે ચંદ્રમાઓએ પ્રકાશ આપ્યો હતો. આપે છે, અને આપશે એજ પ્રમાણે બે સૂર્ય તપ્યા તપે છે. તપશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો છે. કરે છે. અને કરશે. 176 ગ્રહોએ અહીયાં ચાલ ચાલી છે. ચાલે છે. અને ચાલશે. [196-197 133950 કોડાકોડી, તારાગણો અહીયાં શોભિત થયેલા છે. શોભે છે. શોભિત થશે. [198] હે ભગવન્! લવણસમુદ્ર શું સમચક્રવાલ સંસ્થાનવાળો છે કે વિષમ ચક્રવાલ સંસ્થારવાળો છે? હે ગૌતમ ! લવણસમુદ્રનું સંસ્થાન સમ છે વિષમ નથી લવણસમુદ્ર ચક્રવાળની અપેક્ષાથી બે લાખ યોજન જેટલો પહોળો છે અને 1581139 યોજનથી કંઈ વિશેષાધિક તેની પરિધિ છે. આ લવણ સમુદ્ર એક પઘવરવેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલ છે. લવણસમુદ્રનું વનખંડ કંઇક કમ બે યોજન પહોળું છે. લવણસમુદ્રના ચાર દ્વાર કહેલા છે. વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરા જીત આ દ્વારા પૂર્વ વિગેરે દિશાઓમાં છે, લવણસમુદ્રનું વિજયદ્વાર ક્યાં આવેલ છે? હે ગૌતમ ! લવણસમુદ્રની પૂર્વદિશાના અંતમાં તથા ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધથી પશ્ચિમ દિશામાં અને સીતા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ હાર આઠ યોજન ઉંચું છે, ચાર યોજન પહોળું છે. વિજયદ્વારની પૂર્વ દિશામાં તિરછા અસંખ્યાતદ્વીપ સમુદ્રોને ઓળખીને ત્યાં આવેલ અન્ય લવણસમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી આ વિજયદેવની વિજયા નામની રાજધાની આવે છે, લવણ સમુદ્રની દક્ષિણ દિશાના અંતરમાં અને ધાતકી ખંડના દક્ષિણાર્ધની ઉત્તર દિશામાં લવણસમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર આવેલ છે. આ દ્વારની ઉપર વૈજયંત. નામના દેવ નિવાસ કરે છે. તેની રાજધાનીનું નામ વૈજયંતી છે. આ વૈજયંતદેવ આ રાજધાનીમાં સુખપૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. એ કારણથી આ દ્વારનું નામ વૈજયંત દ્વાર કહેલ છે, વૈજયંતી દ્વારની દક્ષિણદિશાના તિછ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને પાર કરવાથી ત્યાં આગળ આવેલ બીજા લવણ સમુદ્રમાં 12000 યોજન આગળ જવાથી વૈજયંત નામની રાજધાની છે, જયન્તદ્વારના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન છે, અપરાજીત દ્વારના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન કહેવું. હે ભગવનું ! લવણ સમુદ્રના એક એક દ્વારના અંતરાલની અવ્યાઘાતરૂપ અબાધાથી કેટલું અંતર કહેલ છે? [19] હે ગૌતમ ! એક કોસ અધિક ત્રણ લાખ પંચાણું હજાર બસો એંસી યોજનનું એક દ્વારથી બીજા દ્વાર સુધીનું અંતર કહેલ છે. [200] હે ભગવન્! લવણસમુદ્રના જે પ્રદેશો ધાતકીખંડને સ્પર્શેલા છે, તે ધાતકીખંડના છે? કે લવણસમુદ્રના છે? હે ગૌતમ! જંબૂદ્વીપ અને લવણસમુદ્રના સ્પર્શ કરેલા પ્રદેશોના કથનાનુસાર સમજી લેવું. હે ભગવન! લવણસમુદ્રમાં જે એકેન્દ્રિય વિગેરે જીવો છે તે શું મરીને ધાતકીખંડમાં જન્મ લે છે? કે નથી લેતા? હે ગૌતમ! કેટલાક જીવો એવા હોય છે જે લવણસનુકથા મરાને જન્માન્તરમાં ધાતકીખંડમાં ઉત્પન્ન થઇ Jalur education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy