SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 112 જીવાવાભિગમ-૩હી.સ. 191 એક સિદ્ધાયતન છે, આ સિદ્ધાયતનનું વર્ણન જંબુસુદર્શનાની શાખા પર આવેલ સિદ્ધાયતન મુજબ જાણવું. આ સિદ્ધાયતનમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર એક દેવચ્છત્ત્વ છે. દેવચ્છન્દકમાં પોતપોતાના શરીરની અવગાહનાના પ્રમાણવાળી અરિ. હંત ભગવંતોની પ્રતિમાઓ છે, જેબૂસુદર્શનાની પૂર્વ દિશામાં આવેલ જે ભવન છે. એ ભવનની દક્ષિણ દિશામાં તથા વાયવ્ય વિગેરે દિશાઓમાં આવેલ જે પ્રાસાદાવતંસક છે તેની ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે, આ કૂટની ઉપર એક સિદ્ધાયતન છે. જબૂસુદર્શનાના દક્ષિણના ભવનથી પૂર્વ દિશામાં અને અગ્નિ ખૂણામાં આવેલ છે પ્રાસાદાવતંસક છે તેની પશ્ચિમ દિશામાં એક ઘણોજ મોટો ફૂટ આવેલ છે. એજ પ્રમાણે જંબુસુદર્શનાની દક્ષિણ દિશામાં જે ભવન છે તેની પશ્ચિમ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદાવકની પૂર્વ દિશામાં એજ પ્રમાણેનો જંબુસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની દક્ષિણ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદા વર્તાસકની ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે. એ જ પ્રમાણે જંબુસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની ઉત્તર દિશામાં અને વાયવ્ય ખૂણાના પ્રાસાદવર્તસકની દક્ષિણ દિશામાં એક વિશાળ કૂટ આવેલ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર પશ્ચિમ ખૂણાના પ્રાસાદાવતંકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વ દિશામાં અને ઉત્તર ખૂણામાં આવેલ પ્રાસાદાવતંતકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વદિશામાં અને ઉત્તરપૂર્વના ખૂણાના પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં એક વિશાળ કૂટ છે. અહીયાં એ બધા કૂટનું સિદ્ધાયતનનું તથા તેમાં બિરાજમાન 108 અરિહંત પ્રતિમાઓનું અને ત્રણ દરવાજાઓ વિગેરેનું પ્રમાણ પહેલાં જેમ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે સમજી લેવું. [192-193] સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધ યશોધરા વિદેહજેબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમનીતિકા આ પ્રમાણે આ જ બૂસુ દર્શનાના બાર નામો કહ્યા છે. [19] હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો કે આ જંબૂસદર્શના છે? હે ગૌતમ ! જંબુસુદર્શના પર જંબુદ્વીપના અધિપતિ જે મહદ્ધિક વિગેરે વિશેષણોવા અનાદૃત નામના દેવ છે. તે નિવાસ કરે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તે ત્યાં 4000 સામાનિક દેવોનું, ચાર અગ્રમહિષિયોનું સાત અનીકાધિપતિયોનું 16000 આત્મરક્ષક દેવોનું અને બીજા પણ અનેક વાનવન્તર દેવોનું અને દેવિયોનું તથા બૂદ્વીપનું જબૂસુદર્શનાનું અને અનાદૃતા રાજધાનીનું અધિપતિપણે કરતા. સુખ પૂર્વક ત્યાં નિવાસ કરે છે. હે ભગવન્! અનાવૃતદેવની અનાતા રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! વિજયા રાજધાનીના કથન પ્રમાણેનું જ સઘળું કથન આ અનાદ્રત રાજ ધાનીનું છે. હે ગૌતમ! તેની આગળ જંબૂદ્વીપમાં અનેક સ્થળોએ અનેક જંબૂવૃક્ષો અને બૂવર્ણ વાળા છે. જંબૂવનખંડ સર્વિદા કુસુમિત રહે છે. યાવત્ પોતાની સુંદરતાથી સુશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ! જંબુદ્વીપનું જંબદ્વીપ એવું જ નામ કહેલ છે. અથવા હે ગૌતમ આ દીપનું જંબૂદીપ એવું જે નામ છે, તે શાશ્વત છે-કોઈપણ કારણને ઉદ્દેશીને નહીં તે નામથી આ નામ પહેલાં ક્યારેક ન હતું તેમ નથી. વર્તમાનમાં પણ તે નામ નથી તેમ નથી. તથા ભવિષ્યમાં પણ આ નામ હશે નહીં તેમ પણ નથી. તેથી આ જંબુદ્વીપ શાશ્વતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy