SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 106 જીવાવાભિગમ- હી.સ. 180 જાનુ ને પગની ઉપર ચડાવી અને એ રીતે ઉઠાવીને જમણા જાનુ ને પગથી નીચે જમીન પર રાખ્યો. તે પછી પોતાના મસ્તકને ત્રણવાર જમીન તરફ નમાવ્યું કંઈક ઉચો થયો તે પછી તેણે પોતાની કટક અને ત્રટિત થી ભિતુ એવી બને ભુજાઓ ને ફેલાવી. હાથ ફેલાવીને તેની અંજલી બનાવી વંદના કરી જ્યાં સિદ્ધાયતનનો મધ્યભાગનો પ્રદેશ હતો ત્યાં તે આવ્યો. ત્યાં જઈને તેણે દિવ્ય એવી ઉદક ધારાથી તેનું સિંચન કર્યું સીંચન કરીને તે પછી તેણે ત્યાં ગોશીષ ચંદનથી હાથ પર લેપ કરીને પાંચે આંગળીયોથી યુક્ત છાપા લગાવ્યા. તે પછી એક મંડલ લખ્યું અર્ચના કરી સિદ્ધાયતનની દક્ષિણ બાજુનું દ્વાર હતું ત્યાં તે આવ્યો ત્યાં આવી પ્રમાર્જન આદિ કર્યું. 181 પછી એ વિજય દેવના ચાર હજાર સામાનિક દેવ અનુક્રમથી ઉત્તર વિગેરે ચારે દિંભાગોમાં-ઈશાનાદિ વિદિશાઓમાં આવીને એક એક પહેલેથી રાખેલા ભદ્રાસનો પર બેસી ગયા. તે પછી એ વિજય દેવની ચાર પટરાણિયો પૂર્વ દિશામાં એક એક પહેલેથી રાખલા ભદ્રાસન પર બેસી ગયા. તે પછી તે વિજય દેવની અગ્નિદિશામાં આભ્યન્તરિક પરિષદના આઠ હજાર દેવો એક એક ભદ્રાસન પર બેસી યા ગયા. એજ રીતે દક્ષિણદિશામાં મધ્યમ પરિષદામાં દસ હજાર દેવો બેસી ગયા. નૈઋત્ય વિદિશામાં બાહ્ય પરિષદાના બાર હજાર દેવો એક એક પહેલા રાખેલ સિંહાસનોની ઉપર બેસી ગયા. તે પછી એ વિજય દેવની પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિયો એક એક સિંહાસન પર બેસી ગયા. તે પછી એ વિજયદેવની પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં સોળ હજાર આત્મરક્ષક દેવ પહેલેથી રાખેલા એક એક ભદ્રાસન પર ચારે બાજુ બેસી ગયા. ભદન્ત ! વિજય દેવની સ્થિતિ કેટલા કાળના કહેવામાં આવી છે ? હે ગૌતમ ! વિજયદેવની સ્થિતિ એક પલ્યોપમની કહેલ છે. હે ભગવન વિજય દેવોના સામાનિક દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ એક પલ્યોપમની કહેલ છે. વિજ્ય દેવની એવી મહા અદ્ધિ છે. એ રીતની મહાતિ છે. એ પ્રમાણે મહાબળ છે. એ પ્રમાણે મહાયશ છે. એ પ્રમાણે મહાસૌખ્ય છે. અને એ રીતનો એનો મહાપ્રભાવ છે. [182] હે ભગવન્ જબૂદ્વીપનું વૈજયન્ત દ્વાર ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ! આ જંબુદ્વિપ નામના દ્વીપ છે અને તેમાં જે સુમેરૂ પર્વત છે, એ સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં ૪પ૦00 યોજન આગળ જવાથી એ દ્વીપના દક્ષિણ દિશાના અંત ભાગમાં તથા દક્ષિણ દિશાના લવણ સમદ્રથી ઉત્તરમાં જબુદ્વીપ નામના. દ્વીપનું વૈજયન્ત નામનું દ્વાર કહેલું છે. એની ઉંચાઈ આઠ યોજનની છે. અને તેની પહોળાઈ ચાર યોજનની છે. તેનું સમગ્ર કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે. યાવતુ તે નિત્ય છે. હે ભગવન વૈજયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ ! વૈજયન્ત દ્વારની પશ્ચિમ દિશામાં તિર્યઅસંખ્યાત દ્વીપો અને સમુદ્રને ઓળંગીને બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં બાર હજાર યોજન પ્રમાણ સમુદ્રની અંદર જવાથી વૈજયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની આવેલ છે. આ રાજધાનીની લંબાઈ 12000 યોજનની છે. તથા તેની પહોળાઈ પણ 12000 યોજનની છે. તથા તેનો પરિક્ષેપ પરિધિ-ઘેરાવો 37948 યોજનથી પણ કંઈક વધારે છે. આ રાજધાની ચારે બાજુથી એક પ્રાકાર-કોટથી વીંટળાયેલી છે, એ પ્રાકાર ૩ણા યોજનાની ઉંચાઈવાળો છે. મૂળ ભાગમાં તેનો વિસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy