SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 105 પેકથી અભિષિક્ત થઈ ચુક્યા ત્યારે તે સિંહાસન પરથી ઉઠયા. ઉઠીને તે પછી તે અભિ પેક સભાના પૂર્વ દિશાના દરવાજે થઈને બહાર નીકળ્યા. જ્યાં અલંકારિક સભા હતી. ત્યાં આગળ આવ્યા. પછી પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસી ગયા તે પછી વિજય દેવના સામાનિક દેવોએ આભિનિયોગિક દેવોને બોલાવ્યા. તે અભિયોયોગિક દેવો એજ સમયે અલકારિક ભાંડોને ત્યાં લઇ આવ્યા તે પછી દિવ્ય અને સુગંધિ વાળા એવા કષાય દ્રવ્યોથી બનાવવામાં આવેલ હોવાથી વિશેષ પ્રકારના સુગંધવાળા એવા એક નાના એવા રૂમાલથી પોતાના શરીરને લૂછયું ગોશીષચંદનનો લેપ કર્યો. દેવદૂષ્ય યુગલને ધારણ કરીને તે પછી તેણે અઢાર સેરવાળો બહુમૂલ્યહાર ગળામાં પહેર્યો પછી એકાવલિ હાર વિશેષને ધારણ કર્યો આ રીતના સઘળા આભરણોને યોગ્ય સ્થાને પહેરીને તે પછી તેણે પ્રન્ચિમ- માળાથી વેષ્ટિમ માળાથી પૂરિમ માળાઓથી અને સંઘાતિમ- ને માળાથી આ રીતે આ ચાર પ્રકારની માળાઓથી પોતાને અલ કારિત કરીને વિભૂષિત ક્યાં તે પછી વિજયદેવે કેશોને સુંદર બનાવવાવાળા અલંકારથી વસ્ત્રોને સુંદર લગાડવાવાળા. અલંકારથી તેમજ આભૂષણોને પણ વિશેષ પ્રકારથી શોભાવવાવાળા અલંકારથી આ પ્રમાણેના ચાર પ્રકારવાળા અલંકરોથી પોતાને દિવ્ય રીતે શોભાયમાન કરી લીધા અને સિંહાસન પરથી ઉભો થયો તે પછી તે જ્યાં વ્યવસાય સભા હતી ત્યાં આગળ તે આવ્યા. પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કયો જ્યાં સિંહાસન હતું ત્યાં તે ગયો. તે ઉત્તમ સિંહાસનની ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસી ગયો. તે પછી તે વિજયદેવને આભિયોગિક દેવોએ ત્યાં તેને એક પુસ્તક રત્ન અર્પણ કર્યું. પુસ્તક રત્નને ખોલીને પુસ્તક-રત્નને વાંચવા લાગ્યા. વાંચીને તે પછી તેણે ધાર્મિક વ્યવસાય ગ્રહણ કરવાની ઈચ્છા કરી. ધાર્મિક વ્યવસાય કરીને તે પછી તેણે એ પુસ્તક રત્નને મૂકી દીધું. તે સિંહાસન પરથી નીચે ઉતર્યો. એ વ્યવસાય સભાના પૂર્વ દિશાના દ્વારે થઈને બહાર નીકળ્યો. જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં ગયા. તેમાં પ્રવેશ કર્યો. હાથ પગ ધોયા. નંદા પુષ્કરણીમાંથી બહાર નીકળીને તે પછી જ્યાં સિદ્ધાયતન હતું તે તરફ ચાલવા લાગ્યા. ત્યાં જઈને તેણે જિનાલયનીઅર્થાત સિદ્ધાય તનની પ્રદક્ષિણ કરી અને તે પછી તેના પૂર્વ દિશાના દ્વારેથી તેણે તેમાં પ્રવેશ કર્યો ત્યાં જઈને તેણે જીન પ્રતિમા અર્થાત અરિહંત પ્રતિમાને પ્રણામ કરીને તેણે મોર પછી થી બનાવેલ મુષ્ટિ ને ઉઠાવી પ્રમાર્જ કર્યું તે પછી તેણે સુગંધવાળા ગંધોદકથી અભિષેક કર્યો દિવ્ય અને સુગન્ધવાળા ગંધથી યુક્ત ટુવાલથી પ્રતિમાના શરીરને લૂછ્યું ગોશષ ચંદનથી તેના સંપૂર્ણ શરીર પર લેપ કર્યો તે પછી તેણે અહત, અપરિમર્દિત જૈત અને દિવ્ય એવું દેવ દૂષ્ય યુગલ અરિહંત પ્રતિમાઓને પહેરાવ્યું શ્રેષ્ઠ સુગંધવાળી એવી અપરિમિત મુક્તામાળાઓથી તેનું અર્ચન કર્યું અર્ચના કર્યા પછી તેણે તે અરિહંત પ્રતિમાની ઉપર પુષ્પો ચડાવ્યા. ગંધ અને ધૂપ દ્રવ્યોથી પુષ્પમાળાઓથી ચૂર્ણ દ્રવ્યોથી તેમજ આભૂષણોથી તેની અર્ચના કરી. રજતમય ચોખા આઠ આઠ મંગલદ્રવ્યોનું એ પ્રતિમાઓની આગળ આલેખન કર્યું પાંચ-વર્ણના પુષ્પોનો તેણે ત્યાં ઢગલો કયો ધૂપદાનીને લઇને ઘણી જ સાવધાની પૂર્વક ધૂપ કરીને જીનવરો ની 108 વિશુદ્ધ અને મોટા મોટા અર્થવાળા અપનરૂક્ત એવા છંદોથી સ્તુતિ કરી સાત આઠ ડગલા આગળ ખસી ગયા. તેણે પોતાનો ડાબી બાજુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy