SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 98 જીવાજીવાભિગમ - ૩ી.સ.૧૭પ જ છે. અર્થાત એક યોજનાનો છે. એ દરવાજાઓની ઉપરનો ભાગ સફેદ અને ઉત્તમ એવા સોનાનો બનેલ છે. એ દરવાજાઓની સામે મુખ મંડપ છે. એ બધાજ મુખ મંડપો 12aa યોજનની લંબાઈ વાળા છે. અને એક કોસથી વધારે છે યોજનની પહોળાઈ વાળા છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ છે. બધા મુખમંડપો સેંકડો સ્તંભોથી યુક્ત છે. દરેક મુખમંડપોની આગળ પ્રેક્ષાગૃહ મંડપો બનેલા છે. એ દરેક પ્રેક્ષાગૃહ મંડપો સાડા બાર યોજનની લંબાઈવાળા છે. તે દરેકની ઉંચાઈ બળે યોજનની અહીંયા પ્રેક્ષાગૃહોના ભૂમિભાગનું વર્ણન મણિયોના સ્પર્શના વર્ણન સુધી જેવી રીતે પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે કરીલેવું બહુસમ રમણીય ભૂમિભાગવાળા પ્રેક્ષાગૃહોની વચમાં દરેકે દરેકમાં વજ રત્નના અખાડગો છે. એ વજરત્નમય અખાડગોના બહુ મધ્યદેશ ભાગમાં અલગઅલગ મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ એક યોજનાની લંબાઈ પહો ળાઈ વાળી છે. અધ યોજનાના વિસ્તારવાળી છે. તથા નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. એ મણિપીઠિકાઓની ઉપર પૃથક પૃથક સિહાસનો કહેલાં છે. એ સિંહાસનો અને માળા ઓનું વર્ણન પૂર્વવત્. એ દરેક મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ ચૈત્યસ્તૂપો છે. એ ઐત્યસ્તૂપો બે યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. અને ઉંચાઈમાં એ કંઈક વધારે બે યોજનના છે. તે બધા ચેત્યસ્તૂપો એકદમ સફેદ વર્ણના છે. એ બધા ચૈત્યરૂપો સર્વ રીતે રત્નમય છે. યાવત્ પ્રતિરૂપ છે. એચૈત્યસ્તૂપોની આગળ આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અનેક કાળા રંગની ચામરો છે. અને ધાઓ છે. ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં જુદી જૂદી ચાર મણિપીઠિકાઓ કહેલી છે. તે એક યોજનાની લંબાઈ પહોળાઈ વાળી એને અધયોજનના વિસ્તાર વાળી છે. તથા તે બધી મણિપીઠિકાઓ સર્વાત્મના મણિમય છે એ મણિ પીઠિકાઓની ઉપર જિનની અર્થાતુ અરિહંત પ્રતિમા છે. જેનો ઉત્સવ ઉત્કૃષ્ટથી 500 ધનુષનો છે. અને જઘન્યથી સાત હાથનો છે. એ બધી જીનપ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. તે બધી પ્રતિમાઓનું મુખ સ્તૂપની તરફ છે. તે પ્રતિમાઓના નામો ઋષભ, વિદ્ધમાન ચંદ્રાનન અને વારિસેન આ ચારે નાહક અરિહંતોના શાશ્વન નામો છે. ચૈત્યસ્તૂપોની આગળ દરેક દિશામાં મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ લંબાઈ પહોળાઈમાં બબ્બે યોજનની છે. તથા વિસ્તારમાં એક યોજનની છે. એ તમામ મણિપીઠીકાઓ નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે મણિપીઠિકાઓની. ઉપરના ભાગમાં અલગ અલગ ચૈત્ય વૃક્ષો છે. એ ચૈત્ય વૃક્ષો આઠ યોજનની ઉંચાઈવાળા છે. અને ઉદ્ધઘની અપેક્ષાએ એ અર્ધા યોજનાના ચારે દિશાઓમાં જે તેનો ફેલાવો છે. તેને બે યોજન પર્યન્ત તેના સ્કંધ-ડાળીયોનો વિસ્તાર છે. અધ યોજનનો તે સ્કંધનો વિસ્તાર છે. યોજનની તેની શાખાઓ છે. જે શાખાઓ વૃક્ષના બરોબર વચમાંથી નીકળીને ઉંચે જાય છે. તે શાખાને વિડિમાં કહેવામાં આવે છે. એ ડાળોની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. અને એ વિડિમા ડાળ અધ યોજનાના વિસ્તારવાળી છે એ બધા ચૈત્યવક્ષો મળીને કંઈક વધારે આઠ યોજનાના વિસ્તારવાળા કહેલા છે. એ ચૈત્યવૃક્ષોનો મૂળ ભાગ વજ રત્નનો છે. તેની વિડિમા શાખા ચાંદીની છે. રિઝ રત્નમય તેના વિપુલ સ્કંદો છે. વૈર્ય રત્નોના તેના રૂચિર સ્કંધો છે. તથા તેની જે મૂળ રૂપ પહેલી શાખાઓ છે, તે શુદ્ધ અને ઉત્તમ એવા સોનાની છે. તેની અનેક પ્રકારની જે પ્રશાખાઓ છે તે અનેક પ્રકારના મણિયોની અને રત્નોની છે. તેના પાન વૈડૂય રત્નના છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy