SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર પાનના ડીંટાઓ તપાવ વામાં આવેલ પરમશુદ્ધ સોનાના છે. જંબૂ સુવર્ણ વિશેષના લાલવર્ણવાળા કોમળ અને મનોજ્ઞ પ્રવાલ કૂંપળો અને પત્રો છે. અને તેની પાસેના અંકુરો સુંદર અને સુશોભિત જણાય તેની શાખાઓ ડાળો વિચિત્ર મણિરત્નોના સુગંધવાળા પુષ્પો અને ફળોના ભારથી નમેલી છે. તેની છાયા ઘણીજ ભવ્ય છે. પ્રભા યુક્ત છે. કિરણોથી યુક્ત છે. ઉદ્યોત સહિત છે. તેના ફળો એક સરખા રસવાળા છે અને તેનો એ રસ અમૃત રસના જેવો સ્વાદીષ્ટ છે, એ બધા નેત્રો અને મનને ઘણાજ અધિક પણે શાંતી પમાડવાવાળા છે. પ્રસન્ન કરવા વાળા છે. જોવાલાયક છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. એ ચૈત્યવૃક્ષો બીજા પણ ઘણા એવા વૃક્ષોથી ચારેબાજુથી ઘેરાયેલા તિલક વક્ષથી લઈને નંદીવૃક્ષ સુધીના એ બધા વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા અને પ્રશસ્ત કંદવાળા છે. યાવતું સુરમ્ય છે. 176] એ બહુ સમરણીય ભૂમિભાગના એક ઘણી વિશાળ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા લંબાઈ પહોળાઈમાં બે યોજનાની બતાવેલ તથા તેનો વિસ્તાર એક યોજન નો છે. એ સર્વ પ્રકાથી મણિયોની જ બનેલ છે. એ મણિપીઠિકાની ઉપર એક માણવક નામનો ચૈત્યસ્તંભ 7 યોજનાની ઉચાઈ વાળો છે. નીચેની ભૂમિભાગમાં તેનો વિસ્તાર અર્ધા કોશનો છે તેના ખૂણાઓ છે. છ સંધિયો છે. છ સ્થાન છે. તે વજનું અતિરમણીય બનેલ છે. ગોળ છે. અને સુંદર એ ઘણોજ સુશ્લિષ્ટ છે. ખરસાણથી ઘસેલા પાષાણના જેવો ચિકણો છે. અને સુપ્રતિષ્ઠિત છે. વિશિષ્ટ છે. યાવતુ એ માણ વક ચૈત્યસ્તંભની ઉપર છે કોસ આગળ જઈને અને નીચેના ભાગના છ કોસ છોડીને બાકી રહેલ વચલા સાડાચાર યોજનમાં સોના અને ચાંદીના અનેક કલાત્મક પાટિયાઓ છે. આ ફલકોનું વર્ણન પહેલાની જેમ જ છે. ત્યાં ગોળ આકારવાળા સમુકો છે. આ વજના બનેલ ગોળાકારના સમુદ્ગકોમાં અનેક શ્રીજીનેન્દ્ર ભગવાનના, હાડકા ઓ રાખેલા એ જીનેન્દ્રદેવોના હાડકાઓ દેવાધિદેવપતિ વિજય દેવ તથા વાનવ્યન્તર દેવો અને દેવિયો દ્વારા અર્ચના કરવા યોગ્ય છે. વંદના કરવા યોગ્ય છે. પૂજા કરવાને યોગ્ય છે. એ પર્યપાસ નીય મણવક ચૈત્ય તંભની ઉપર આઠ આઠ મંગલદ્રવ્ય છે. તથા કૃષ્ણ, નીલ, લોહિત, હરિ, અને સફેદ વર્ણની ધજાઓ છે. અને છત્રાતિછત્રો છે. એ માણવક ચૈત્યતંભની પૂર્વદિશામાં એક વિશાળ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા બે યોજનની લાંબી પહોળી છે. તથા એક યોજનાના વિસ્તારવાળી મણિપીઠિકા સવત્મિના મણીમયી છે. અને યાવતું પ્રતિરૂપ છે. વિશાલ સિંહાસન રાખેલ છે. અહિંસા સિંહાસનનું વર્ણન પહેલાં જેમ કરવામાં આવેલ છે. ચૈત્યસ્તંભની પશ્ચિમ દિશામાં એક વિશાળમણિ પીઠિકા છે તે મણિપીઠિકા એક યોજનની લાંબી પહોળી છે. અને અધ યોજનાના વિસ્તારવાળી છે. આ મણિપીઠિકા સર્વ પ્રકારે મણિયોની છે. અને આકાશ અને સ્ફટિક મણિયો ના જેવી નિર્મળ છે એ મણિપીઠિકાઓની ઉપર એક વિશાળ દેવ શય્યા છે. અનેક મણિયોના તેના પ્રતિપાદ - છે. તેના મૂળ પાદ સોનાના બનેલા છે. તેના પગની ઉપરનો ભાગ અનેક મણિયોનો બનેલ છે. સંપૂર્ણ શરીર સોનાનું બનેલ છે. તેની સંધી વજરત્નની બનેલ છે. તેની નિવાર રત્નોની બનેલ છે. તેના તકીયા લોહિતાક્ષમણિયોના બનેલા છે. તપેલા સોનાના બનેલા ગાલોની નીચે રાખવામાં આવનારા તકિયા છે. એ દેવશયનીય બન્ને બાજુ ઉપધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy