SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ * સુત્ર-૭ 427, અને સવાર થતાં જ એ રાજ રાજ કણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ અભિગમ પૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યો અને તેમને વાં નમી પોતાની અવિનય સંબંધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી. . કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણી સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધમદિશના કહી સંભળાવી. ધદિશના સાંભળી પોતાને સ્થાને જવાની ત્વરા વાળા રાજાને કેશી કુમારે કહ્યું - હે પએસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો પહેલાં પહેલાં તો રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તું પહેલાં રમણીય થઈ પછી અરમણીય ન થતો. પએસી બોલ્યો - હે ભતે ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો એ પહેલાં પહેલાં તો રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ? કેશી બોલ્યા: -પએસી! સાંભળ. વનખંડ જયાંસુધી પત્રવાળા ફૂલવાળો ફળવાળો અને ઘટાધર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાં સુધી રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલો કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકો ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણો લાગે છે. નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકો હસતાં રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજાં ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે શેરડીના વાઢમાં ચિંએંડા ચાલતા હોય, શેરડી પીલાતી. હોય, લોકો તેનો રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય કે દેતા હોય, ત્યારે તે વાઢ ભયોં ભર્યો- રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિંચોડા બંધ હોય, શેરડી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે - અળખામણો દીસે છે. ખોળના વાડામાં જ્યારે ઘાણીઓ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજા પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણીઓ જ બંધ હોય, કોઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ હે પએસી! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમણીય ન થતો. રાજા પએસી બોલ્યો - હે ભંતે! તમે જણાવેલાં ઉદ્યહરણોની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણીય નહિ થઉં. મેં તો એવો વિચાર કર્યો છે કે હાલ મારા તાબામાં સેવિયા પ્રમુખ જે સાત હજાર ગામો છે તેના ચાર ભાગ પાડું એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સોંપે એક ભાગ કોઠાર માટે રાખું એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિવહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કુમારશાળા બનાવું. તેમાં અનેક પુરુષોને પગારદર, ભાડે રોકી ખાન પાન ખાદિમ સ્વદિમ તૈયાર કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું તથા હું શીલ વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પોષધોપવાદ્વારા જીવનયાપન કરતો રહું. હે ભંતે! મારી આ ધારણા છે. [૩૯]એમ કહી તે રાજા પોતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. નગરીમાં આવી રાજાએ જે ધારણા કેશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પોતે પણ તે રીતે આચરવા લાગ્યો. [8] હવે તો રાજા પએસી શ્રમણોપાસક થયો, જીવ અજીવ વગેરે તત્ત્વોનું તેને. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy