SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૬૭ 421 ભેરીને વગાડે તો હે પએસી ! ભેરીનો અવાજ બહાર નીકળે ખરો? હાં, ભંતે નીકળે. હે પએસી! એ ઓરડીમાં કયાંય એક પણ કાણું છે ખરું? ના ભંતે, એ ઓરડીમાં કયાંય પણ કાણું નથી. પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની. કુંભામાંથી જીવ બહાર નીકળી શકે છે, અર્થાતુ પૃથવીને શિલાને કે પર્વતને ભેદીને સોંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરાવામાં આવે તો પણ તે બહાર નીકળી જ જવાનો. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બન્ને એક નથી. વળી, પએસી બોલ્યો - હે ભંતે! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળો મારા કોટવાળોએ પકડી આણેલા ચોરને હું જીવથી મારી નાખ્યું. પછી તે મારી નાખેલા ચોરને લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું ઐસારી, તેને રેવરાવી અને પાકી ચોકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઉં છું તો તેને કીડાઓથી ખદબદતી કુંભી જેવી જોઉં છું. એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કપડા ક્યાંથી પેસી ગયા? હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદા જુદાં હોય તો એ કુંભમાં મેં જોએલા એ જીવો બહારથી શી રીતે આવી શકે? કેશી કુમાર બોલ્યા- હે પએસી! તેં પહેલાં કોઈવાર ધમેલું લોઢું જેએલું છે ખરું? કે તે જાતે કોઈવાર લોઢું ધમાવેલું ખરું? ભંતે! હા, ધમેલું, લોઢું મેં જોએલું છે અને તેને ધમાવેલું પણ છે. પએસી! એવું એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગએવું હોય છે, એ વાત ખરીને? હા, ભંતે! એ વાત ખરી છે. તો હેપએસી! એ નક્કર લોઢામાં તે અગ્નિ શી રીતે પેઠો? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિરુદ્ધ ગતિ શક્તિવાળો છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે. હે પએસી! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંબીમાં પણ તે જે જીવો જોયા છે તે બધાય તેમાં બહારથી પેઠેલા છે, માટે તું એમ માન કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી. [68] રાજા પએસી બોલ્યો - હે ભંતે! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલો કુશળ હોય. પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળો બાળક હતો ત્યારે એવી કુશળતા ધરાવી શકતો હોત તો હું એમ માનત કે જીવ જુદે છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક એવી કુશળતા બતાવી. શકતો નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે. કેશીકુમાર બોલ્યા :- હે પએસી! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જાનું ખવાઈ ગએવું ધનુષ તેવી જ ઘેરી અને તેવુંજ બૂઠું ફળું હોય, તો તે એક સાથે પાંચ ફળાંને ફેંકી શકે ખરો? ભંતે ન ફેંકી શકે. હેપએસી! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણોની ન્યૂનતા ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડત રુપ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળો. બાળક જ્યારે તરુણ થઈ આવડતપ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy