SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 420 રાયધ્વસાયિં-(દદ) થએલી તારી ઘી અહીં આવી તને પોતાનાં સુખો કહેવાને ઈચ્છે, તો પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજે ઉત્પન્ન થએલો દેવ, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. એ દેવ, સ્વર્ગના દિવ્ય કામ ભોગોમાં ખૂબ મશગલ બની જાય છે અને માનવીસુખોમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે. એ દેવનો મનુષ્ય સાથેનો પ્રેમસંબંધ તૂટી ગએલો હોય છે અને સ્વર્ગના દેવદેવીઓ સાથેનો નવો પ્રેમ સંબંધ તેમાં સંમેલો હોય છે, એ બીજું કારણ છે. દિવ્ય કામસુખો ભોગવવાની લાલચ માં પડેલો એ દેવ, હમણાં જઉં, હમણાં જઉં એમ વિચારે તો છે, પણ તેના આવતાં આવતાં તો મનુષ્યલોકનાં તેનાં અમ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘડી એટલે આપણાં હજારો વર્ષ અથતુ એની એક ઘડીમાં તો આપણી કેટલીએ પેઢીઓ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું કલ્પી લઈએ તોપણ એ એના ખરા સંબંધીઓને મળી શકતો નથી, એ ત્રીજું કારણ છે, ચોથું કારણ મનુષ્ય લોકની માથું ફાડી નાખે એવી ભયંકર ગંદકી છે. એ ગંદકી ઉચે પણ ચારસો પાંચસો યોજન સુધી ફેલાય છે અને એ એવી તીવ્ર હોય છે કે દેવ એને સહી શકતો નથી. દેવ એની પોતાની ઈચ્છા હોવા છતાં ઉપરનાં ચાર કારણોને લીધે અહીં આવી શકતો નથી. માટે, હે પએસી! "શરીર સાથે જ જીવ અહીં બળી જાય છે. એથી મરેલો માણસ ફરી અહીં કયાંથી આવી શકે? એવી તારી સમજ બરાબર નથી. મરીને સ્વર્ગમાં ગએલો પ્રાણી અહીં નથી આવી શકતો, તેનું કારણ સ્વર્ગના મોજશોખો તરફ તેની વિશેષતમ અભિરુચિ છે, નહિ કે તે નથી જ, તેથી હે પએસી! તું એમ સમજ કે જીવ જુદો છે અને શરીર જુદું છે, પણ તે બન્ને એક નથી. ( 67 વળી ફરીને પએસી બોલ્યોઃ હે ભંતે! જીવ અને શરીર જુદ્ધ જુદાં નથી તે માટે આ એક જુદો પુરાવો ધ્યાનપૂર્વક સાંભળો હે ભંતે! તમે એમ સમજો કે કોઈ એક દિવસે મારી બહારની ઉપસ્થાનશાળામાં મારા મંત્રી વગેરે પરિવારથી ઘેરાએલો હું રાજસિંહાસનમાં બેઠો હોઉં, તે વખતે મારા કોટવાળો કોઈ એક ચોરને પકડી લાવે, હું તે ચોરને જીવતો ને જીવતો લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર લોઢાનું ઢાંકણું સજ્જડ ઢાંકી દઉં, તેને લોઢા સીસાના રસથી રેવરાવી દઉં અને તેના ઉપર મારા વિશ્વાસુ સૈનિકોની ચોકી મૂકી તે લોહકુંભીની સાચવણ કરાવું. પછી વખત જતાં હું પોતે જાતે તે કુંભીને બોલાવું તો તેમાં પેલા પૂરેલા પુરુષને મરેલો જોઉં છું. જીવ અને શરીર જુદાં જુદાં હોય તો એ પુરુષનો જીવ કુભીમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કયાંય રાઈ જેટલું પણ કણું નથી. જેથી જીવને બહાર જવાનો માર્ગ મળી શકે. કુંભી ક્યાંય જરા પણ કાણી હોત તો એમ માની પણ શકાત કે જીવ બહાર નીકળી ગયો છે અને તેથી એમ પણ થાત કે શરીર અને જીવ જુદાં જુદાં છે, પણ આ કુંભી તો કયાંય કાણી જ નથી એટલે જીવ જુદો હોય તો એમાંથી નીકળી શી રીતે શકે? માટે જીવ અને શરીર બને એક છે અને શરીર અક્રિય થતાં જીવ પણ અક્રિય થાય છે, એ મારું ધારવું બરાબર છે. કશી કુમારશ્રમણ બોલ્યા - હે પએસી! તું એમ સમજ, જે ચારે કોર લીંપેલી હોય, જેનાં બારણાં સજ્જડ વાસેલાં હોય અને જેમાં જરાય હવા પણ ન પેસી શકે એલી તે ઉડી હોય, તેમાં કોઈ પુરુષ ભેરી અને એને વગાડવાનો દંડો લઈને પેસે, પેસીને એનાં બારણાં સજજડ રીતે બંધ કરે. પછી તે, ઓરડીની વચ્ચોવચ્ચે બેસીને મોટા મોટા અવાજથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy