SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-પ૯ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! આપણો ચિત્તસારથિ જેમની વાટ તો રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગોત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશ કુમારના આગમનની હકીકત જણાવીએ. એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્ત સારથિને ઘેર ગયા, તેને પ્રમાણ પૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છો તે કેશીકુમારશ્રમણ આપણી સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા છે. ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી- ઊભો થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મોજડીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કહી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ગયો અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવાલાગ્યોઃ નમોડલ્થણે અરિહંતાણં ભગવંતાણ વગેરે. આ શકસ્તવ પૂરું કરતાં છેવટે તે બોલ્યો કે -અહીંના મિયવણ ઉધાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધમોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદુ છું. એ રીતે પોતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમનો આગમન સંદેશો કહેવા આવનાર તે ઉદ્યાનપાલ કોનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાં સુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યો. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકર્મ, કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શોભાવી તૈયાર થઈ ગયો. પછી રથમાં બેસી મોટા જનસમુદાય સાથે કેશી કુમારશ્રમણ દશનાર્થે તે ગયો. [૬૦કેશી શ્રમણની ધમદિશના સાંભળી હરખાએલો અને તોષ પામેલો સારથી બોલ્યો કે હે ભગવન્! અમારો રાજા પએસી અધાર્મિક છે અને પોતાના દેશનો ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કોઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓનો આદર કરતો નથી, અને સર્વ કોઈને હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય! તમે એ રાજાને ધમોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય. ૬૧]ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશ કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પર્યાપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રશનોના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. જે મનુષ્યો ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરતા નથી, તેમની પાસે જઈ કશો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી. જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકાર નો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાના અધિકારી થઈ શકતા નથી. તેમજ જે મનુષ્યો તેમજ જે મનુષ્યો શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy