SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર 13 383 કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજ્જ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવો અને દેવીઓ પોતપોતાની ઋદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજ્જ કરી બરાબર વખતસર સૂયભિદેવની સમક્ષ હાજર થયાં. [૧૪]પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સુભદેવ ખુશખુશ થઈ ગયો. પછી તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિયો ! લાખ યોજનના વિસ્તારવાળું એક મોટું. યાન વિમાન તમે જલદી તયાર કરો. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડો તંભો ગોઠ વવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શોભે એ રીતે વરુ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્યમગર, પક્ષી, સર્પ કે વાઘ, કિન્નર, શરમ, ચમરી ગાય, હાથી, વનવેલો અને કમળવેલો એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જોડલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રો તે વિમાનમાં ગોઠવવાનાં છે. હજારો કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારો રુપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જોનારની આંખને શિતળ કરે એવું. અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું ટાંગેલી અનેક ઘંટડીઓના મધુર રણકારાવાળું દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિ વાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દેવો! તેવા તે યાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.” [૧૫]આભિયોગિક દેવોને સુયટિવે પૂર્વોક્ત પ્રકારનું યાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્દઘાત કર્યો અને તે દ્વારા સંખ્યય યોજના લાંબો દંડ કાઢ્યો, ડાં પુદ્ગલોને મૂકી સૂક્ષ્મ પુદ્ગલોને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુદ્રઘાત કર્યો અને પછી તે આભિયોગિક દેવો દિવ્ય એવા તે વિમાન બનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા. તે દેવોએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજુઓ ત્રણ મોટા સુંદર સોપાન ગોઠવ્યો H એક સોપાન પૂર્વમાં, બીજાં ઘક્ષિણમાં અને ત્રીજાં ઉત્તરમાં. તે સોપાનોની ભોંય વધુમય બનાવી તેનાં પ્રતિષ્ઠાનો રિઝરત્નોનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભો વૈડુર્યરત્નમાંથી ઘડ્યા. સોપાનોનાં પાટિયો સોનાપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈઓ લોહિતાક્ષરત્નોમાંથી નીપજાવી સાંધાના ભાગો વજથી જડ્યા, અવલંબનોને અનેક પ્રકારનાં મણિઓમાંથી બનાવ્યાં, અવલંબન બાહુઓને-સોપાનોની બન્ને બાજુની કઠેડાવાળી ભીંતોને પણ મણિઓ માંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવોએ યાન વિમાનની ત્રણ બાજુએ મૂકેલાં સોપાનો અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં. તે ત્રણે સુંદર સોપાનોની આગળ સુંદર તોરણો બાંધ્યાં. તે તોરણો પણ ચંદ્રકાંત. અને સૂર્યકાંત વગેરે અનેક મણિઓથી ભરેલાં હતાં, મણિમય તંભો ઉપર ગોઠવેલાં હોવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો પાડેલી હતી, હાથી, ઘોડા, મગર, પક્ષી, વનવેલો અને કમળવેલો વગેરે અનેક પ્રકારનાં ચિત્રો એ તોરણોમાં કોરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રો પણ એમાં ભરેલાં હતાં અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy