SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 382 રાયખ્યસેવિયં-(૧૦) કરવાની જે આજ્ઞા આપી હતી. તે પ્રમાણે અમે બધું કરી આવ્યા છીએ [૧૧]ત્યારપછી તે સૂર્યાભદેવ, એ અભિયોગિક દેવો પાસેથી તેમણે કહેલી ઉકત હકીકતને સાંભળીને અવધારીને હર્ષિત થયો, તુષ્ટ થયો યાવતુ પ્રફુલ્લ હૃદયવાળો થયો. ત્યારબાદ તેણે પોતાના સેનાપતિ દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિય ! સૂયભવિમાનમાં આવેલી સુધમ સભામાં એક મોટી સારા રણકારવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવો યોજન પ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું શીધ્ર ઉલાળતો ઉલાળતો-ઉંચા ઘોષથી ઉદ્યોષણ કરતો કરતો આ હકીકતને જાહેર કરઃ હે દેવો ! સૂયભવિમાનમાં રહેનારા પ્રત્યેક દેવદેવીઓને સૂયભદેવ આજ્ઞા કરે છે કે હે દેવો ! જમ્બુદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલકપ્પા નગરીના અંબસાલ વણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમોસયાં છે, તેને વાંદવા માટે સૂર્યાભદેવ જનાર છે તો હે દેવાનુપ્રિયો! તમે પણ તમારી સર્વ શોભા-ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે અને પોતપોતાના પરિવાર સાથે સંપારિવૃત થઈ પોતપોતાનાં યાન વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓઃ આ માટે વિલંબ ન કરતાં તમે બધાં સૂર્યદેવની સમક્ષ હાજર થઈ જાઓ.” ૧૨]એ પ્રકારની આજ્ઞા કરવાની સૂયભદેવની સૂચના સાંભળીને તે સેનાપતિદેવ હર્ષિત થયો અને તે આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સેનાપતિદેવ સૂયભિવિમાનમાં આવેલી સુધમાં સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારાવાળી અને વગાડતાંજ મેઘની પેઠે ગાજતી એવી યોજનપ્રમાણ ઘેરાવા વાળી ઘંટા ટાંગેલી છે ત્યાં જઈ તેણે તેને ત્રણ વાર ઉલાળી. એ ઘંટાને ત્રણ વાર ઉલાળતાંજ સૂયભવિમાનમાં એક મોટો જબરદસ્ત અવાજ થયો. તે અવાજ થતાંજ તે વિમાનમાં રહેલા બધા મહેલો અવાજના પડછંદાથી ગાજી ઉઠ્યા. એ મહેલોમાં રહેનારા દેવો અને દેવીઓ પરસ્પર કીડામાં મશગુલ હતાં, રીતિમાં આસકત હતાં અને અનેક પ્રકારના વિલાસોમાં તલ્લીન હતાં; તે બધાં એ ઘંટાનો અવાજ સાંભળી એકકાન થઈ ગયાં, ઘંટાનો અવાજ સાંભળી તે બધાંને કુતૂહલ થયું. ઘંટાનો અવાજ શાંત થયા પછી તે દેવો અને દેવીઓએ “સૌએ ભગવાન મહાવીરને વાંદવા માટે જનારા સૂયભિદેવ સાથે જવા તૈયાર થવું અને બરાબર વખતસર પોતપોતાનાં વાહનવાનો સાથે સૂયભદેવની સમક્ષ હાજર થવું' એવી એ સેનાપતિદેવે સૂચવેલી સૂર્યા ભદેવની આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળી. [13] સેનાપતિદેવે સંભળાવેલી સૂયભદેવની આજ્ઞાને સાંભળીને એ બધાં દેવો અને દેવીઓ હર્ષિત થયાં. એમાંનાં કેટલાંકને તો ભગવાન મહાવીરને વાંદવાની વૃત્તિ થઈ આવી, કેટલાંક તો ભગવાન મહાવીરને પૂજવા માટે ઉત્સુક થઈ ગયાં. કેટલાંકને ભગવાન તરફ સત્કારનો ભાવ ઊપજ્યો, કેટલોક ભગવંત તરફ સન્માનવૃત્તિવાળાં થયાં, કેટલાંક માત્ર કુતૂહળ વૃત્તિથી જ ભગવાનની પાસે જવાને તૈયાર થવા લાગ્યાં, કેટલાંકને એમ થયું કે ભગવાન પાસે જશું તો જેવું આજસુધી નથી સાંભળ્યું તેવું નવું સાંભળશું, કેટલાંક એવું વિચારવા લાગ્યા કે ભગવાન પાસે જશું તો અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછવાનો પ્રસંગ મળશે, બીજાં કેટલાંક માત્ર સૂયભ દેવની આજ્ઞાની ખાતર જ તૈયાર થવા માંડ્યાં, કેટલાંક વળી પરસ્પરના અનુરાગથી ભગવાન પાસે જવાની તૈયારી કરવા લાગ્યાં, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy