SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ * અ-૧૯ 347 ભક્તપ્રત્યાખ્યાન બે પ્રકારે છે.-વ્યાઘાત નિવ્યઘાત.આમા નિયમ પ્રમાણે વૈયાવૃત્યાદિ કરાય છે. અવમોદરિયા શું છે? અવમોદરિકા બે પ્રકારે છે.દ્રવ્યાવમોરિકા અને ભાવાવમોદરિકા, દ્રવ્યાવમોદરિકા શું છે? દ્રવ્યાવમોદરિકા બે પ્રકારે છે. ઉપકરણ દ્રવ્યાવમોદ રિકા અને ભક્તપાન દ્રવ્યાવમોદરિકા. ઉપકરણ દ્રવ્યાવ મોદરિકા ત્રણ પ્રકારે છે. એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યકતો પકરણ-ભક્તપાન દ્રવ્યાવમોદરિકા શું છે? કુકડીના ઈંડા પ્રમાણ આઠ કવલ આહાર કરે તે અલ્પાહાર, 12 કવલનો આહાર લે તે અપાદ્ધ,૧૬ કવલનો આહાર લે તે દ્વિભાગ પ્રાપ્ત 24 કવલ આહાર લે તે પ્રાપ્ત ઉણોદરી છે. 31 કવલ આહાર લે તે કંઈક ન્યૂન ઉણોદરી છે. ૩ર કવલ આહારમાંથી જે શ્રમણ નિગ્રંથ એક કવલ પણ આહાર ઓછો કરે તો તે પ્રકામભોજી નથી. ભાવ ઉણોદરી શું છે ? -ક્રોધ રહિત, માન રહિત, માતારહિત લોભરહિત, ઓછું બોલવું, કલહથી રહિત, પરસ્પર ભેદ ઉત્પન્ન કરાવનાર વચનથી રહિત, આ ભાવ ઉણોદરી છે. ભિક્ષાચય શું છે? ભિક્ષાચય અનેક પ્રકારે છે. તે દ્રવ્યનો ક્ષેત્રનો કાલનો અભિ ગ્રહ કરી વિચરે, ભાવથી અને ઉક્લિપ્તચરક નિક્ષિપ્તચરક ઉક્લિપ્તનિક્ષિપ્ત ચરક વર્ધમાન ચરક- સંહિયમાન ચરક ઉપનીતચરક-અપનીતચરક- ઉપનીત અપનીત ચરક- સંસ્કૃષ્ટ ચરક-અસંસૃષ્ટચરક-તજ્જાતસંસૃષ્ટચરક-અજ્ઞાત ચરક-મૌનચરક- વૃષ્ટ લામિક- અદ્રષ્ટલાભિક પૃષ્ઠલાભિક - અપૃષ્ઠલાભિક - ભિક્ષાલાભિક અભિલાભિક અન્નગ્લાયક- ઔપનિહિતક પરિમિતપિંડપાતિક - શુદ્ધષણિક - સંખ્યાત્તિક - આવી પ્રતિજ્ઞાઓ તે ભિક્ષાચય છે. રસપરિત્યાગ શું છે? -નિર્વિકૃતિક પ્રણીતરસ આચાર્લી - આયામસિકથભોજી અરસાહા વિરસાહાર - અંતાહાર - પ્રાન્તાહાર - રૂક્ષાહાર, તુચ્છાહાર - આ રસ પરિત્યાગ તપ છે. કાયકલેશ તપ શું છે? કાયકલેશ તપ અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે- સ્થાન સ્થિતિક ઉત્કટકાસનિક- પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લકુટાથીઆતાવક-અપ્રાવૃતક-અનિષ્ઠી વક-સર્વગાત્ર પરિકમ વિભૂષાથી વિપ્રમુક્ત. આ કાય કલેશ તપ છે. પ્રતિસલીનતા શું છે? ઈન્દ્રિયોને ગોપવી રાખવી, કષાય પ્રતિસંલીનતા યોગપ્રતિ સંલીનતા, વિવિક્ત શયના સેવનતા પ્રતિસલીનતા. ઈન્દ્રિય પ્રતિસલીનતા કેટલાં પ્રકારે છે? ઈન્દ્રિય પ્રતિસલીનના પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી રોકવી, યાવત્ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ રોકવી આ ઇન્દ્રિયપ્રતિ સંલીનતા છે. કષાયપ્રતિસંલીનતા શું છે ? કષાયપ્રતિસંલીનતા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ક્રોધનો ઉદય થતાં જ તેનો નિરોધ કરવો - યાવતુ લોભના ઉદયનો નિરોધ કરવો. યોગપ્રતિસંલીનતા શું છે ? યોગપ્રતિસલીનતા ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-મન યોગ પ્રતિસલીનતા, વચન યોગપ્રતિસલીનતા, કાયયોગપ્રતિસલીનતા. મનયોગ પ્રતિસલીનતા શું છે? અકુશલ - અશુભ મનનો નિરોધ કરવો અને શુભ મનમાં પ્રવર્તન થવું તે મનયોગ પ્રતિસલીનતા. વચનયોગપ્રતિસલીનતા શું છે ? અકુશળ-અશુભ વાણીનો નિરોધ કરવો અને શુભ વાણીમાં પ્રવૃત્ત થવું તે વચનયોગ પ્રતિસલીનતા છે. કાયયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005072
Book TitleAgam Deep 12 Uvavaaiam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy