SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 326 વિવાગસૂર્ય-૧૯૩૩ થવાથી સ્વસ્થ અને માનસિક ક્ષોભ ન રહેવાના કારણે વિશેષ રૂપે સ્વાચ્ય પ્રાપ્ત કરતા તેમજ સુખપૂર્વક ઉત્તમ આસનો પર અવસ્થિત થઈ જવા પર તે ઘરે આવેલા સજ્જનોને દત્ત શેઠ વિનમ્ર શબ્ધથી નિવેદન કરતો આ પ્રમાણે બોલ્યો- મહાનુભાવો ! આપની અહીં પધરામણી કયા કારણથી થઈ છે? હું આપના આગમનું કારણ જાણવા ઇચ્છું છું. દત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે રાજપુરુષોએ આવવાનું કારણ કહ્યું. તે અંતરંગ પુરુષોનું આ કથન સાંભળી દત્ત શેઠ બોલ્યા-મહાનુભાવો! મારા માટે આજ મોટી ભેટ છે કે મહારાજ વૈશ્રમણ દત્ત મારી આ બાલિકાને ગ્રહણ કરીને મારાં ઉપર અનુગ્રહ કરી રહ્યો છે. ત્યાર બાદ દર શેઠે તે બધાનો પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારાદિથી યથોચિત સત્કાર કર્યો અને તેમને સન્માનપૂર્વક વિસર્જિત કર્યા. ત્યાર બાદ તે અંતરંગ પુરુષો મહારાજ વૈશ્રમણ પાસે આવ્યા અને તેમણે તેને સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. ત્યાર પછી કોઈ સમયે દત્ત ગાથાપતિ શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં વિપુલ અશનાદિક સામગ્રી તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, સ્વજન, અને સંબંધી આદિને આમંત્રિત કરીને સ્નાન યાવતુ દુષ્ટ સ્વપ્નાદિના ફળને વિનષ્ટ કરવા માટે મસ્તક પર તિલક અને અન્ય માંગલિક કાર્યો કરીને, સુખપ્રદ આસન પર સ્થિતિ થઈને, તે વિપુલ અશનાદિક સામગ્રીનું મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી તેમજ પરિજનો સાથે આસ્વાદન વિસ્વાદન કર્યો પછી ઉચિત સ્થાન પર બેસીને આયા. પરમશુચિ ભૂત, અને મોક્ષ, થઈને, મિત્ર, જ્ઞાતિજન આદિનો વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગબ્ધ, માલા અને અલંકારથી સત્કાર કરે છે, સન્માન કરે છે, ત્યાર બાદ સ્નાન કરાવીને યાવતુ શારીરિક વિભૂષાથી વિભૂષિત કરેલી કુમારી દેવ દત્તાને સહસ્ત્ર પુરુષવાહિની શિબિકામાં બેસા ડીને અનેક મિત્રો, જ્ઞાતિજનો નજિજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોથી ઘેરા યેલો સર્વઋદ્ધિ, યાવતું વાજિંત્રાદિના શબ્દો સાથે રોહીતક નગરની મધ્યમાંથી થઇને દત શેઠ, જ્યાં મહારાજ વૈશ્રમણનું ઘર હતું અને જ્યાં મહારાજ વૈશ્રમણ દત્ત વિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને તેણે મહારાજને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને મહારાજનો જય હો, વિજય હો. આ શબ્દોથી વધામણી આપી, વધામણી આપ્યા પછી કુમારી દેવદત્તાને રાજાને સામે ઉપસ્થિત કરી. મહારાજ વૈશ્રમણ, પોતાના સામે ઉપસ્થિત કરવામાં આવેલી કુમારી દેવદત્તાને જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. વિપુલ અશનાદિક તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિ જનો, નિજજનો, સંબંધીજનો તથા પરિજનોને આમંત્રિત કરીને તેમને ભોજનાદિ કરા વીને તથા તેમનો વસ, ગંધ અને માલા, અલંકાર આદિથી સત્કાર અને સન્માન કર્યા. સત્કાર સન્માન કર્યા પછી કુમાર પુષ્યનન્દી અને કુમારી દેવદત્તાને બાજોઠ પર બેસા ડીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવે છે. ત્યાર બાદ તેમને સુંદર વેષભૂષાથી સુસજ્જિત કરીને હવન કરાવે છે. હવન કર્યા બાદ કુમાર પુષ્યનંદીને કુમારી દેવદત્તાનું પાણિગ્રહણ કરાવે છે. ત્યારબાદ તે વૈશ્રમણદત્ત રાજા, કુમાર પુષ્પનંદી અને દેવદત્તાના, સંપૂર્ણ ઋદ્ધિ યાવતું મહાનું વાદ્યધ્વનિ અને ઋદ્ધિ સમુદાય તથા સન્માન સમુદાય સાથે લગ્ન કરાવે છે. દેવદત્તાના માતાપિતા તથા તેમની સાથે આવેલા બીજા મિત્રજનો આદિને, પણ વિપુલ અનાદિક તથા વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથીસત્કાર કરે છે, સન્માન કરે છે રાજકુમાર પુષ્પગંદી શ્રેષ્ઠીપુત્રી દેવદત્તાની સાથે ઉત્તમ મહેલમાં વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy