SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ હo૫ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત તેમજ સમૃદ્ધિશાળી નગર હતું. તે પુરિમતાલ નગરમાં ઉદય નામનો રાજ રાજ્ય કરતો હતો. નિર્ણય નામનો એક ઇંડાનો વ્યાપારી નિવાસ કરતો હતો. તે ધનવાન, પરાભવ નહિ પામનાર, અધર્મી યાવતુ પરમ અસં તોષી હતો. નિર્ણય નામના ઇડાના વેપારીના રૂપિયા, પૈસા અને ભોજનના રૂપમાં વેતન ગ્રહણ કરનાર અનેક પુરૂષો હંમેશા કોદાળા તથા વાંસના ચેપલાઓ લઈને પરિમતાલ નગરની ચારે તરફ અનેક કાગડીઓના ઘુવડીના કબૂતરીના ટીટોડીના બગલીઓના મોરનીના મુર્ગીના તથા બીજા પણ અનેક જલચર, સ્થલચર અને ખેચર આદિ જંતુઓના ઈડાઓને લઈ વાંસના ટોપલાઓમાં ભરતા હતા, ભરીને તે ઈડાઓથી ભરેલા ટોપલાઓ દઈ દેતા હતા. ત્યારબાદ તે નિર્ણય નામના ઈડાના વેપારીના અનેક વેતનભોગી પુરૂષો ઘણાં કાગડી વાવતું મુર્ગીઓના તે ઈડાઓને તવા-ઉપર, કડાઈઓ ઉપર, હાંડામાં અને અંગારા પર તળતા હતા, ભૂજતા અને પકવતાં હતા. આજિવિકા ચલાવતો સમય પસાર કરી રહ્યા હતા. તે વેપારી પોતે પણ કાગડી વાવતું મુગના પકાવેલા, તળેલા અને ભુંજેલા ઈંડાઓ સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાઓનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ઇંડાનો વેપારી આ પ્રકારના પાપકાયને કરનાર, આ પ્રકારના કમોંમાં પ્રધાનતા રાખનાર, આવા કર્મોનું જ્ઞાન ધરાવનાર અને આ જ કર્મોને પોતાનું આચરણ બનાવીને ઘણાં ઘણાં પાપ કર્મોને ઉપાર્જિત કરીને એક હજાર વર્ષના પરમ આયુષ્યને ભોગવીને ત્રીજી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિ વાળો નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. [1] તે વેપારી નરકમાંથી નીકળીને આ શાલાટવી નામની ચોરપલ્લીમાં વિજય ચોરસેનાપતિની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ માસ પૂર્ણ થવા પર છંદશ્રીને આ દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે જેઓ અનેક મિત્રોની, જ્ઞાતિની, નિજક જનોની, સંબંધીઓની અને નોકરવર્ગની સ્ત્રીઓ તથા ચોરની પત્નીઓથી પરિવૃત્ત થઈને સ્નાન યાવતુ અનિષ્ટજનક સ્વપ્નને નિષ્ફળ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપે તિલક તેમજ માંગલિક કરીને સર્વપ્રકારના અલંકારોથી વિભૂષિત થઈ, ઘણાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તથા સુરા, મધુ મેરક, જાતિ અને પ્રસના મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન પરિભાજન અને પરિભોગ કરતી સમય વ્યતીત કરે છે. તથા ભોજન કર્યા પછી જે પુરુષનો વેષ ધારણ કરીને દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના બખ્તરને ધારણ કરે છે, યાવતું આયુધ અને પ્રહરણોથી સજ્જ થાય છે તથા જે ડાબા હાથમાં ધારણ કરલી ઢાલોથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવા રોથી, ખભા પર રાખેલા ભાથાથી, પ્રત્યંચા ચઢાવેલ ધનુષ્યોથી, સારી રીતે ફેંકવામાં આવતા બાણોથી, ઊંચા કરેલ શસ્ત્ર વિશેષોથી ચાલતી જંઘા ઘંટીઓ દ્વારા તથા શીધ્ર વગાડવામાં આવતા વાજિંત્રોથી અત્યન્ત ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિથી, સમુદ્રની ધ્વનિની જેમ આકાશને શબ્દાયમાન કરતી શાલાટવી ચોરપલ્લીની ચારે તરફ ભ્રમણ કરીને દોહદને પૂર્ણ કરે છે. પણ દેહદ પૂર્ણ ન થવાથી તે ઉદાસ યાવતું ચિત્તાતુર થઈ. ત્યારબાદ વિજય ચોર સેનાપતિએ ચિન્તાગ્રસ્ત સ્કંદશ્રીને જોઈને આ રીતે કહ્યું - હે દેવાનુપ્રિયે ! તું ઉદાસ થઈ આર્તધ્યાન કેમ કરી રહી છો? સ્કંદશ્રીએ વિજયના આ [20] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy