SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 304 વિવાદસૂર્ય-૧/૩/૧૮ તથા લાઠીનો પ્રહાર કરવામાં પ્રધાન યોદ્ધો હતો. તે પાંચસો ચોરોનું આધિપત્ય, સ્વા મીત્વ યાવતુ સેનાપતિત્વ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. [19] તે વિજય નામનો ચોર સેનાપતિ અનેક ચોર, પરસ્ત્રીલંપટ, ખિસ્સા-કાતર, ખાતર પાડી ચોરી કરનાર જુગારી, ધૂતારા તથા બીજા ઘણાં હાથ આદિ કપાયેલા, નાક થી રહિત અને તિરસ્કૃત થયેલા મનુષ્યોનો આશ્રયદાતા હતો. તે વિજયચોર સેનાપતિ અનેક ગામોનો નાશ, નગરીનો નાશ, ગાયોનું અપહરણ, કેદીઓનું ગ્રહણ, મુસાફરોના ધનાદિનું અપહરણ તથા ખાઇ તોડીને ચોરી કરવી આદિ થી પીડિત, તર્જિત તાડિત ધન અને ધાન્યથી રહિત કરતો મહાબલ રાજાના કરને વારંવાર પોતે ગ્રહણ કરીને સમય વ્યતીત કરી રહ્યો હતો. તે વિજયચોર સેનાપતિની સ્કંદશ્રી નામની. સુન્દરી પત્ની હતી તથા વિજયચોર સેનાપતિનો પુત્ર બાળક હતો. તે સંપૂર્ણ અવયવો વાળો તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત, સુદ્દઢ બાન્ધાયુકત શરીરવાળો, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો ધરાવનારો અને બુદ્ધિ અાદિની પરિકવતાથી યુક્ત તેમજ યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો હતો. તે કાળ અને તે સમયમાં પુરિમતાલ નગરમાં અમોઘદશ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ નીકળી તથા રાજા પણ ચાલ્યો. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, ધમપદેશ સાંભળીને રાજ તથા પરિષદ્ પાછી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેઓએ અનેક હાથીઓ, ઘોડા તથા સૈનિકોની જેમ શસ્ત્રોથી સુસજ્જિત તેમજ કવચ ધારણ કરેલા અનેક પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી બદ્ધ એવા તે પુરુષને રાજપુરુષોએ ચાર રસ્તા પર બેસાડી દીધો. બેસાડીને તેના પિતાના આઠ ભાઈઓને તેની સામે મારી નાખ્યા. મારીને પછી કોયડાના પ્રહારથી મારમારીને કરુણ વિલાપ કરતાં તે પુરુષને તેઓએ તલતલ જેવડા ટુકડા કરીને મારેલા પુરુષોનું માંસ ખવડાવ્યું. રૂધિરનું પાન કરાવ્યું. ત્યાર પછી રાજાના પુરુષોએ તે પુરુષને બીજા ચન્દ્રર પર આઠ કાકીને ત્રીજા ચન્દ્રર પર આઠ મહાપિતાઓ ને ચોથા ચન્દ્રર પર આઠ મહામાતાઓ ને, પાંચમા ચન્દ્રર પર પુત્રોને, છઠ્ઠા ચસ્વર પર પુત્રવધુઓને, સાતમા ચન્દર પર જમાઈઓને, આઠમાં ચત્તર પર પુત્રીઓને, નવમાં ચન્દ્રર પર પૌત્રો તથા દોહિત્રીઓને દશમાં ચન્દ્રર પર પૌત્રીઓ તથા દોહિત્રીઓને અગ્યિારમા ચન્દ્રર પર પૌત્રિઓ અને દોહિત્રીઓના પતિઓને, બારમાં ચન્દ્રર પર પૌત્રો અને દોહિત્રોની પત્નીઓને તેરમા ચન્દ્રર પર ફૂવાઓને, ચૌદમાં ચન્તર પર ફેઈબાઓને પંદરમા ચન્દ્રર પર માસાઓને, સોળમાં ચન્દ્રર પર માસીઓને, સત્તરમાં ચન્દ્રર પર મામીઓને. અઢારમાં ચન્દ્રર પર બાકી રહેલા મિત્રો, સ્વજનો, જ્ઞાતિજનો, નિજકો, સંબંધીઓ અને નોકરવર્ગને તે પુરુષની સામે માયાં. તેને ચાબુકના પ્રહારોથી તાડિત કરતા તે રાજપુરુષો દયનીય દશાને પ્રાપ્ત થયેલા તે પુરુષને, તેના શરીરમાંથી કાઢેલા માંસના ટુકડા ખવડાવે છે અને લોહીનું પાન કરાવે છે. 20] ત્યાર બાદ ભગવાન ગૌતમના હૃદયમાં તે પુરુષને જોઈને વિચાર ઉત્પન્ન થયો યાવતુ તેઓ નગર બહાર નીકળ્યાં અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું ભાવતું ભગવન્! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો હે ગૌતમ ! તે કાળ તથા તે સમયમાં આ જબ્બે દ્વીપની અન્તર્ગત ભારતવર્ષમાં પુરિમતાલ નામનું એક વિશાળ, ભવનાદિથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy