SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૭, અધ્યયન-૧ થી 13 235 કિ વર્ગ૭ અધ્યયનઃ૧-૧૩) [41-43] સાતમા વર્ગમાં 13 અધ્યયનો પ્રરૂપ્યા છે. નંદા નંદાવતી નંદોત્તર નંદશ્રેણિકા મરૂતા સુમરૂતા મહામરૂતા મરૂત દેવી ભદ્રા સુભદ્ર સુજાતા સુમનાતિકા ભૂતદત્તા. આ બધા શ્રેણિક મહારાજાની રાણી માં નામ છે. [4] જંબૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. નિંદા રાણી હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરવાસીઓ નીકળ્યા. તે નંદાદેવી આ વૃત્તાન્તને જાણી પ્રસન્ન તેમજ સંતુષ્ટ થઈ. તેણે સેવક પુરુષોને બોલાવ્યા. પદ્માવતી રાણીની જેમ દીક્ષિત થઈ. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. યાવત્ સિદ્ધ થયા. [૫]આ જ પ્રમાણે બીજી બધી દેવીઓનું જીવન નંદાદેવીની જેમ જ જાણવું | વર્ગ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ક વર્ગ-૮ : અધ્યયનઃ૧-કાલી) [૪૬]હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ યાવતુ મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડશાંગના આઠમાં વર્ગના દશ અધ્યયનો પ્રતિ પાદન કરેલ છે. [૪૭]કાલીદેવી, સુકાલીદેવી, મહાકાલીદેવી, કૃષ્ણાદેવી, સુકૃષ્ણાદેવી, મહા કષ્ણાદેવી, વીરકણાદેવી, રામકૃષ્ણદેવી, પિતૃસેનષ્ણાદેવી, અને મહાસેનષ્ણાદેવી. | [48] જંબૂ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં કુણિક રાજા હતા. કોણિક રાજાની નાની માતા, કાલી નામક દેવી (રાણી) હતી. નંદા દેવીની જેમ કાલીદેવી દીક્ષિત થયા. સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણી છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતી વિચારવા લાગી. ત્યાર પછી કોઈ એક દિવસે કાલી આ સાધ્વી જ્યાં આ ચંદનબાલા હતા, ત્યાં આવ્યા અને આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા-આર્યો આપ જો આજ્ઞા આપો તો રત્નાવલી તપની આરાધના કરવાની મારી ઈચ્છા છે. દેવાનુપ્રિયે ! જેમ તમારા આત્મા. ને સુખ ઉપજે તેમ કરો. તેમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે રત્નાવલી નામક તપને અંગીકાર કરીને વિચરવા લાગી. રત્નાવલી તપ આ પ્રમાણે કરાય છે- એક ઉપ- વાસ કરે પારણામાં મનોવાંછિત દૂધ, ઘી, આદિ બધા રસોનું સેવન કરી શકે. એ પ્રમાણે એક છઠ્ઠ કરી પારણું કરે, પછી એક અઠ્ઠમ કરી પૂર્વવતુ પારણું કરે, ત્યાર પછી આઠ છઠ્ઠ કરી પૂર્વવતુ પારણ કરે, એક ઉપવાસ અને પારણું બે ઉપવાસે અને પારણું, ત્રણ અને પૂર્વવત્, પારણું, ઉપવાસ પછી અનુક્રમથી ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દસ- અગિયાર- બાર તેર-ચૌદ-પંદર અને સોળ ઉપવાસ કરે. આ બધા ઉપાવાસોની વચ્ચેના પારણામાં ઈચ્છા પ્રમાણે બધા રસોનું સેવન કરાય. પછી 34 છઠ્ઠ કરે તેની ઉપર 16 ઉપવાસ કરે. પછી પંદર-ચૌદ-તેર-બાર-અગિયાર-દસ-નવ-આઠ-સાત-છપાંચચાર-ત્રણ-બે-એક આ પ્રમાણે ઊતરતા ક્રમથી ઉપવાસ કરે પછી પાછા આઠ છઠ્ઠ કરે પછી એક અઠ્ઠમ કરે આ બધા ઉપવાસોના મધ્યમાં કરાતાં પારણામાં પૂર્વની જેમ મનોવાંછિત, ઘી, દૂધ, તેલાદિ બધા રસોનું સેવન કરી શકાય. ઉપર જે ઉપવાસોનો ક્રમ બતાવ્યો છે તે બધા ઉપવાસો મળી રત્નાવલી તપની પહેલી પરિપાટી થાય છે. તેની આરાધના એક વર્ષ ત્રણ મહિના અને 22 દિવસમાં આગમાનુસાર પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy