SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 234 અંતગડ દસાઓ - ૧પ૩૯ જેમ તમને સુખ ઊપજે તેમ કરી પરંતુ વિલંબ ન કરો. ત્યાર પછી અતિમુક્તકુમાર જ્યાં પોતાના માતા-પિતા હતાં ત્યાં આવ્યા. પાવતુ તેઓને પોતાને દીક્ષિત થવું છે તે વાત કહી. આ સાંભળી માતા-પિતા અતિમુક્તકુમારને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે પુત્ર ! તું હજુ બાળક છો. હે પુત્ર ! તું અણસમજૂ છો. તું ધર્મના સંબંધમાં શું સમજે? ત્યારે અતિમુક્તકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતા-પિતા ! હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું. માતાપિતાએ કહ્યું- હે પુત્ર! તું શું કહેવા માંગે છે? હું જાણું છું કે જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે, પરંતુ હું એ નથી જાણતો કે ક્યારે, કયા સમયે, ક્યા સ્થાનપર કેવી રીતે, કેટલા સમય પછી તે મૃત્યુ પામશે? હે માતા-પિતા ! હું એ નથી જાણતો કે કર્મ બંધનના ક્યા કારણોથી જીવ નરકગતિમાં, તિર્યંચ યોનિમાં, મનુષ્યયોનિમાં તથા દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ હું એ જાણું છું કે જીવ પોતાના કર્મોના કારણે નરકાદિ ગતિઓમાં ઉત્પન્ન થાય છે. હે માતા-પિતા ! આપની અનુમતિ પ્રાપ્ત થઈ જાય તો યાવતુ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. જ્યારે માતા-પિતા તે અતિમુક્તકુમારને અનેક અનુકૂળ પ્રતિકૂળ આદિ વચનો દ્વારા સંયમ લેવાના વિચારથી રોકાવામાં સમર્થ ન થાય ત્યારે નિરાશ થઈને માતા-પિતાએ અતિમુક્તકુમારને કહ્યું: જો તારી દીક્ષા લેવાની ઈચ્છા છે તો હે પુત્ર! અમે એક દિવસની તારી રાજ્યશ્રીને જોવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમાર માતાપિતાના વચનોનો સ્વીકાર કરીને મૌન થઈ ગયા. ત્યાર પછી રાજ્યાભિષેક અને નિષ્ક્રમણ આદિનો શેષ વૃત્તાન્ત મહાબલકુમાર જેમ સમ જવો. યાવત્ વિપુલ ગિરિ ઉપર નિવણિપદ પામ્યા. | વર્ગ અધ્યયન ૧૫ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-દ-અધ્યયન-૧) [૪૦તે કાળે અને તે સમયે વારાણસી નગરી કામ મહાવન ચૈત્ય.અલક્ષ રાજા હતા. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવતુ વારાણસી નગરીમાં પધાર્યા. નગરવાસીઓ નીકળ્યા. ત્યાર પછી અલક્ષ રાજા ભગવાનના પદાર્પણનો વૃત્તાન્ત સાંભળીને પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયો. રાજાની જેમ કૂણિક અલક્ષ રાજા પણ ગયા. વંદન-નમસ્કાર કરીને ભગવાનની પર્યપાસના કરવા લાગ્યા. ભગવાને બધાને ધ પદેશ સંભળાવ્યો. ત્યાર પછી અલક્ષ રાજા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની મુખાર વિન્દથી ઉપદેશ સાંભળીને, ઉદાયન રાજા ની જેમ દીક્ષિત થયા. વિશેષતા એ છે કે અલક્ષ રાજાએ દીક્ષિત થયા પહેલાં પોતાના મોટા પુત્રને રાજસિંહાસન પર બેસાડીને રાજ્ય સત્તા તેને સોંપી દીધી. ત્યાર પછી સ્થવિર સંતો પાસે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપયયનું પાલન કરી વિપુલાચલ પર સિદ્ધ થયા. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ યાવત્ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા વર્ગનો આ અર્થ પ્રરૂપેલ છે. | વર્ગ -અધ્યયનઃ૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | વર્ગ -ગુર્જરછાયાપૂર્ણ - જ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy