SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૧ 213 પ્રદ્યુમ્ન પ્રમુખ સાડાત્રણ કરોડ રાજકુમાર, શાસ્તુ પ્રમુખ 0 હજાર દુદન્તકુમાર, મહા સેન પ્રમુખ પ૬ હજાર સૈનિક, વિરસેન પ્રમુખ 21 હજાર વીર, ઉગ્રસેન પ્રમુખ 16 હજાર રાજા, રુકિમણીપ્રમુખ 16 હજારરાણીઓ અનંગસેનાવિગેરેહજારો ગણિકાઓ, તેમજ બીજા પણ અનેક ઐશ્વર્યશાળી યાવતું શ્રેષ્ઠી આદિ ઉપર તેમજ દ્વારિકા ઉપર તેમજ સંપૂર્ણ અર્ધભારત ઉપર અધિપતિત્વ કરતાં હતા. તે દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ નામના રાજા નિવાસ કરતા હતા. તે રાજાની રાણીનું નામ ધારિણી હતું. એકદા સમયે મહારાણી ધારિણી એક ઉત્તમ શય્યા પર શયન કરી રહી હતી. તેણે એક સ્વપ્ર જોયું. [૪]સ્વપ્રદર્શનનું કહેવું. બાળકનો જન્મ, બાળકનો બાળભાવ, કલાઓનું વર્ણન, યુવાવસ્થાની પ્રાપ્તિ, રાજકુમારીઓ સાથે વિવાહ, મહેલોનું નિર્માણ અને કામભોગોનો ઉપભોગ (આદિ વાતો ભગવતી સૂત્રમાં વર્ણિત મહાબલની જેમ જાણી લેવી જોઈએ.). પિપરંતુ વિશેષ એ છે કે રાજકુમારનું નામ ગૌતમ રાખવામાં આવ્યું અને એક જ દિવસમાં આઠ શ્રેષ્ઠ રાજકુમારીઓ સાથે તેનું પરિગ્રહણ થયું. દહેજમાં આઠ આઠ પ્રકારની વસ્તુઆપવામાં આવેલ તે કાળે અને તે સમયે ધર્મતીર્થનો આરંભ કરવા વાળા, ધર્મના પ્રવર્તકઅરિહંત અરિષ્ટનેમિ ભગવાનવિચરતા હતા. જ્યારે તેઓ દ્વારિકા નગરી થી બહાર ઉદ્યાનમાં પધાર્યા ત્યારે તેના સમવસરણમાં ચાર પ્રકાર ના દેવ ઉપસ્થિત થયા.કુષ્ણ વાસુદેવ પણ ત્યાં આવ્યા. ત્યાર પછી ગૌતમકુમાર પણ તેઓના દર્શન કરવા માટે તૈયાર થયા. મેઘકુમાર ની જેમ જાણવું ધર્મનું શ્રવણ કરીને તેના પર વિચાર કરતા કહેવા લાગ્યા- ભગવન્! હું મારા માતા પિતાને પૂછીને આપની પાસે દીક્ષા ગ્રહણ, કરીશ. જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે મેઘકુમાર ની જેમ દીક્ષિત થયા. ત્યાર પછી મુનિ ગૌતમકુમાર નિર્ચન્ય પ્રવચનને સન્મુખ રાખીને સાધુના આચર નું પાલન કરવા લાગ્યા. સાધુ થયા પછી ગૌતમ અણગાર ભગવાન અરિષ્ટનેમિના વિરોની પાસે સામયિકો આચારાંગ આદિ 11 અંગોનું અધ્યયન કરતા કરતા વિચરવા લાગ્યા. અરિહંત ભગવાન અરિષ્ટ નેમિએ હવે દ્વારિકા નગરીના નંદન વનમાંથી વિહાર કર્યો અને અન્ય જનપદોમાં વિચર વા લાગ્યા. ગૌતમ અણગાર એક દિવસ જ્યાં અરિહંત ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈ અરિહંત ભગવાન અરિષ્ટ નેમિને વંદન કર્યા. નમસ્કાર કરીને તેણે કહ્યું. “ભગવન્! જો આપ આજ્ઞા આપો તો મારી ભાવના છે કે હું માસિક ભિક્ષ-પ્રતિમાની આરાધના કરું.” ભગવાન પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી તેઓ સાધનામાં લીન બન્યા.તે સર્વે સ્કંધક મુનિ મુજબ જાણવું ગૌતમ અણ ગારે ભિક્ષુની બાર પ્રતિમાઓ તેમજ ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. મનન કર્યું, ચિંતન કર્યું, અધ્યયન કર્યું. સ્થવિર મુનિરાજો સાથે શત્રુંજય પર્વત પર જઈને એક માસના સંથારા દ્વારા બાર વર્ષ સુધી દીક્ષા પયય પાળી અંતમાં સિદ્ધ થયાં. ]i હે જંબૂ 1 નિવણ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગ અંતગડ સૂત્રનાં પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહેલ છે. જેવી રીતે ગૌતમકુમારનું વર્ણન કરેલ છે. તે જ પ્રમાણે બાકીના નવ અધ્યયનોનો અર્થ પણ સમજી લેવો જોઈએ. બધાનાં પિતા મહારાજા વિષ્ણુ હતા. માતા ધારિણી હતી. બધાનું વર્ણન એક સરખું છે. આ પ્રમાણે દશ અધ્યયનોનાં સમુ દાય રૂપ પ્રથમ વર્ગનું વર્ણન કરેલ છે. વર્ગ-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy