SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 209 અધ્યયન-૯ થયો અને વાવતું વિચારે છે. તે પછી તે નન્ટિની પિતા શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો, ગુણવતો વગેરેથી આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયાં. આનંદની જેમ જ તે જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાનને સ્થાપન કરે છે અને ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરીને વિચરે છે. વીસ વરસ સુધી શ્રાવક પર્યાયિ પાળે છે. વિશેષતા એ છે કે તે અરુણ વિમાનમાં ઉત્પન્ન થયો. પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ જઈ સાધના કરી મોક્ષ જશે. અધ્યયન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન- ૧ભલેઈયાપિતા) [58] હે જંબૂ ! તે કાલે, તે સમયે શ્રીવસ્તી નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. તે શ્રીવાસ્તવનો રાજા જિતશત્રુ હતો. તે શ્રીવતી નગરીમાં લેઈયાપિતા નામે ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને દીપ્ત તેજસ્વી હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, ચાર હિરણ્યકોટિ વ્યાજે મૂકેલી અને હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં લગાડેલી હતી. તેને દસ-દસ હજાર ગાયોનાં ચાર વ્ર હતાં. એટલે ચાલીસ હજાર ગાયો હતી. ફાલ્ગની ભાયી હતી. મહા વીર સમોસર્યા. આનંદની પેઠે તે ગૃહસ્વધર્મને સ્વીકારે છે, અને કામદેવની જેમ જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિહરે છે. પરંતુ અગિયારે શ્રાવકની પ્રતિમાઓ ઉપસર્ગ રહિત, તેજ રીતે કહેવી. કામ દેવના વૃત્તાન્તમાં જે સૂત્રપાઠ છે તે પ્રમાણે અહીં કહેવું. યાવતુ સૌધર્મ કલ્યમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે. પિ૯-૬૦ દસે શ્રાવકોને પંદરમાં વર્ષે ચિત્તા-ધર્મ-પ્રજ્ઞપ્તિ મુજબ વર્તવાનો વિચાર થાય છે. અને દશે શ્રાવકો વીસ વરસ શ્રમણોપાસક પયયમાં રહ્યાં. એ પ્રમાણે જંબૂ ! યાવતું નિવણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર ઉપાસકદશાંગના. દસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ઉપાસદશા નામક સાતમાં અંગમાં એક શ્રુતસ્કંધ છે. દશ અધ્યયન છે. એકસરખા સ્વર છે. દશ દિવસમાં તેનો પાઠ પૂરો થાય છે. એમ કરવાથી શ્રુતસ્કંધનો પાઠ થઈ જાય છે, બે દિવસમાં આનો પાઠ પૂરો કરવાની અનુમતિ પણ આપી છે. અધ્યયન-૧૦-નીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy