SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 204 હવાસગ દસાઓ- 746 હોય, તે એક મોટા અજ, ઘેટા, સૂકર, કૂકડા, તીતર, વર્તક લાવક, કપોત, કપિંજલ, કાગડા અથવા બાજ પક્ષીને હાથ, પગે, ખરીએ, પૂંછડે, પીંછાએ, શિંગડે સૂકરના દંતો કે રુંવાડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિશ્ચલ અને સ્પન્દનરહિતપણે ધારણ કરી શકે છે, એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને પણ અર્થો, હેતુઓ, વાવતુ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિત્તર કરે છે. તે હેતુથી હું એમ કહું છું કે હું વિવાદ કરવાને સમર્થનથી. ત્યાર બાદ શ્રમણોપાસક સદ્દાલપુત્રે મેખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું: દેવાનુપ્રિય ! કેમકે તમે મારા ધર્માચાર્ય યાવતુ ભગવાન મહાવીરના વિદ્યમાન. સત્ય તથા પ્રકારના સદૂભૂત ભાવો વડે ગુણકીર્તન કરો છો, તેથી હું તમને પાછા આપવા યોગ્ય પીઠ, આસન યાવતું સંસ્મારક વડે આમંત્રણ કરું છું. પરંતુ ધર્મ અથવા તપની બુદ્ધિથી કરતો નથી. તત્પશ્ચાત કંખલીપુત્ર ગોશાલક સકલાલપુત્ર શ્રાવકની આ વાત સ્વીકાર કરે છે અને એની દુકાનોમાંથી પ્રાતિહારક પીઠ આદિ ગ્રહણ કરીને વાવત વિહરે છે. ત્યારપછી તેમખલીપુત્રગોશાલક શ્રમણોપાસક સંકડાલપુત્રને જ્યારે સામાન્ય કથનથી પ્રજ્ઞાપના થી પ્રતિબોધ કરીને અને વિજ્ઞાપના કરીને નિર્ઝન્ય પ્રવચનથી ચલાયમાન કરવાને ક્ષુબ્ધ કરવાને,વિપરિણત કરવાને સમર્થ થતો નથી ત્યારે થાકેલો, ખિન્ન થયેલો અને અતીવ દુખિત થયેલો તે પોલાશપુરનગરથી નીકળે છે અને બહારના દેશોમાં વિહરે છે. [૪૭]તદનન્તર સાલપુત્ર શ્રમણોપાસકને ઘણાં શીલવત વગેરે વડે વાવતું આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે તેનું પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે રાત્રિના મધ્ય સમયે યાવતુ તે પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની પાસે થી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારે સદાલપુત્ર શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલકમલ જેવી તલવાર લઈને સકલાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ કહેવું, પરંતુ એક-એક પુત્રના નવ-નવ માસના ખંડ કરે છે યાવતુ ઘાત કરીને તેના લોહી અને માંસ વડે તેના શરીરને છાંટે છે. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસક ભયરહિત થઈ અચલિતભાવે વાવતુ રહે છે. ત્યાર બાદ તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય યાવતું જોઈને ચોથી વાર પણ સકલાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત- હે સકલાલપુત્ર શ્રમણો પાસક! જો તું શીલવ્રતાદિક ભાંગીશ નહિ તો જે આ તને ધર્મમાં સહાય કરનારી, ધર્મમાં અદ્વિતીય ધર્મના અનુરાગ વડે રંગાયેલી અને સભાનપણે સુખ-દુઃખમાં સહાય કરનારી તારી અગ્નિમિત્રા ભાઈને તારા પોતાના ઘરેથી લઈ આવીશ અને લાવીને તારા સામે ઘાત. કરીશ, ઘાત કરીને નવ માંસના ટુકડા કરીશ, અને આંધણથી ભરેલા કઢાયમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાધીનતાથી પીડિત થઈને જીવનથી મુક્ત થઈશ. તે દેવના એ પ્રમાણે કહેવા છતાં પણ તે સાલપુત્ર શ્રમણોપાસક નિર્ભય થઈને જ વિચારે છે. ત્યાર બાદ તે દેવે બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહ્યું H એટલે સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો તે ચુલનીપિતાની પેઠે વિચાર કરે છે કે જે મારા મોટા પુત્રને, મારા મધ્યમ પુત્રને અને નાના પુત્રને મારી છાંટે છે અને જે આ મારી અગ્નિમિત્રા ભાય છે, જે સુખ-દુઃખમાં સમાન, સહાય કરનારી છે તેને પણ મારા પોતાના ઘરેથી લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy