SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધન, અધ્યયન-૮ વચ્ચમાં થઈને નીકળી નીકળીને જ્યાં પૂષ્કરિણી હતી, ત્યાં આવી.આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. યાવતું અત્યંત પવિત્ર થઈને ભીની સાડી પહેરીને ત્યાં જે કમલ આદિ હતા તેમને યાવતું ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં નાગગૃહ હતું, ત્યાં જવાનો માટે વિચાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણીજ દાસ-દાસીઓ ફૂલોની છાબડી લઈને તથાં ધૂપની કુડછિયાં હાથમાં લઈને પાછળ ચાલવા લાગી. ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે જ્યાં નાગગૃહ હતું, ત્યાં આવી. આવીને નાગગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવિષ્ટ થઈને રોમહસ્તક લઈને પ્રતિમાને પૂજી યાવતું ધૂપ કયો. ધૂપ કરીને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજ સ્નાન કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આસીન થયા. કોરંટનાં ફૂલો, સહિત અન્ય પુષ્પોની માળાઓ જેમાં લપેટીહતી,એવું છત્ર તેણે મસ્તકપરધારણ કરેલહતું.યાવતુઉત્તમ શ્વેત ચામર ઢોળ વામાં આવતા હતા. તેની આગળ આગળ વિશાળ ઘોડા, હાથી, રથ અને દિલ યોદ્ધા- આમ ચતુરંગી સેના ચાલી. સુભટોનો સમૂહ ચાલ્યો તે જ્યાં નાગગૃહ હતું ત્યાં આવ્યો. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રતિમા પર દ્રષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂપમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્યાં એક મહાનશ્રીદામકાન્ડ જોયું. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડને ઘણા સમય સુધી જોતો રહ્યો. જોઈને તેશ્રીદામકાન્ડના વિષયમાં તેને આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે સુબુદ્ધિઅમાત્યને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા દૌલ્ય કાર્ય માટે ઘણા ગ્રામો, આકરો, નગરો યાવતુ સન્નિવેશમાં ઘૂમો છો, અને ઘણાં રાજાઓ ઇશ્વરો આદિના ગૃહમાં પ્રવેશ કરો છો. તો શું તમે આવું સુંદર શ્રીદામકાન્ડ પહેલાં ક્યાંય જોયું છે જેવું પદ્માવતી દેવીનું આ શ્રીદામકાંડ છે? ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું- હે સ્વામિનું! મેં એકવાર કોઈ સમયે આપના દૉત્યકાર્ય માટે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કેમરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મા વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર પ્રતિલેખન ઉત્સવના સમયે દિવ્ય શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પડ્યા વતી દેવીનું આ શ્રીદામકાંડ લાખમાં અંશ પણ નથી લાગતો. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા એ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે, ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્વાકુરાજા પ્રતિબુદ્ધિને કહ્યું- સ્વામિનું! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત અને સુંદર ચરણ વાળી છે. ઈત્યાદિ વર્ણન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ આદિના સમાન જાણી લેવું જોઈએ. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ અમાત્યની પાસેથી આ અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને અને શ્રીંદામકાન્ડની વાતથી હર્ષિત થઈને દૂતને બોલાવ્યો. બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મિથિલા રાજધાની જાઓ ત્યાં કુંભ રાજા ની પુત્રી પ્રભાવતી દેવીની આત્મા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માંગણી કરો પછી ભલે તેના માટે આખું રાજ્ય શુલ્કમાં દેવું પડે. ત્યાર પછી તે દૂતે પ્રતિબુદ્ધિ રાજાના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થઈને તેની આજ્ઞા અંગીકાર કરી. મિથિલા રાજધાની જવાનો વિચાર કર્યો. [87] તે કાળ અને તે સમયમાં અંગ નામક જનપદ હતું. તેમાં ચંપાનામક નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રછાય નામક અંગરાજ અંગદેશના રાજા હતા. તે ચંપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy