SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નાયાધમ્મ કહાઓ - ૧-પપ નથી. અત્યંત બળવાન દેવ અને દાનવ વડે પણ તેનું નિવારણ કરી શકાતું નથી. પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે. હેરાન્! તે કારણથી હું અજ્ઞાન મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયથી સંચિત આત્માના કમનો ક્ષય કરવા ઈચ્છું છું.' થાવચ્ચા પુત્ર દ્વારા આ પ્રમાણે કહેવા પર કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા તમે જાવો અને દ્વારિકા નગરીના ઝંઝાટક ત્રિક, ચતુષ્ઠ આદિ સ્થાનોમાં વાવત્ * શ્રેષ્ઠ હાથીના સ્કંધપર આરઢ થઈને ઊંચી ઊંચી ધ્વનિથી ઉદ્ઘોષ કરતાં, એવી ઉદ્યો ષણા કરો “આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત થાવસ્ત્રાપુત્ર અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને દક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. તો જે રાજા, યુવરાજ, સાર્થવાહ થા વચ્ચા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે. તેને કષણ વાસુદેવ અનુજ્ઞા આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી યા પરિવારમાં કોઈ પણ દુઃખી થશે તો તેને વર્તમાન કાળ સંબંધી યોગ અને ક્ષેમનો નિવહ કરશે. આ પ્રમાણે ઘોષણા કરો. ત્યાર પછી થાવસ્યા પુત્ર પર અનુરાગ હોવાના કારણે એક હજાર પુરુષો દીક્ષા લેવા માટે પૈયાર થયા. તેઓ સ્નાન કરીને, અલંકૃત અને વિભૂ ષિત થઈને અલગ-અલગ હજાર પુરુષોદ્વારા વહન કરી શકાય તેવી પાલખીઓ પર સવાર થઈને, મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત થઈને થાવગ્ગાપુત્રની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવેલા જોયા, જોઈને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું જાઓ થાવસ્ત્રાપુત્રને સ્નાન કરાવો, અલંકારથી વિભૂષિત કરો અને પુરુષ સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ કરો ઈત્યાદિ. ત્યાર પછી થાવા પુત્ર તે હજાર પુરુષોની સાથે શિબિકા પર આરૂઢ થઇને યાવતું વાદ્યોની ધ્વનિની સાથે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં અરિહંત અરિષ્ટ નેમિના છત્ર પર છત્ર, પતાકા પર પતાકાવે છે તથા વિદ્યાધર અને ચારણમુનિઓ વગેરેને જેવે છે. ત્યાંજ શિબિકા ઉપરથી ઉતરી જાય છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવસ્યા પુત્રને આગળ કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ છે ઈત્યાદિ બધું વર્ણન પહે લાની જેમ સમજવું જોઈએ, યાવત્ હે પુત્ર! આ પ્રવ્રજ્યાના વિષયમાં યત્ન કરવો, હે પુત્ર! શુદ્ધ ક્રિયા કરવામાં પુરુષાર્થ કરવો અને ચારિત્રના પાલન માં પરાક્રમ કરવું, આ અર્થમાં જરા પણ પ્રમાદ ન કરવો. આ પ્રમાણે કહીને તે જે દિશાથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. ત્યાર પછી થાવચ્ચ પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચમુષ્ટિ લોન્ચ કર્યો યાવતુ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર પછી થાવસ્યા પુત્ર અણગાર થઈ ગયા. ઈય સમિતિથી યુક્ત યુક્ત થઈને યાવતુ વિચરવા લાગ્યા. - તત્પશ્ચાતુ થાવસ્યા પુત્ર અરિહંત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરોની પાસેથી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે અઠ્ઠમભક્ત, ષષ્ઠ ભક્ત યાવતુ ચઉત્થભક્ત આદિ કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી અરિહંત અરિષ્ટ નેમિએ થાવસ્ત્રાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ એક હજાર અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી થાવસ્ત્રાપુત્રે અન્યદા કદાચિત અરિહંત અરીષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ભગવન્! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદમાં વિહાર કરવા ઇચ્છું છું. ભગવાને ઉત્તર આપ્યો:દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી થાવચ્ચા પુત્ર એક હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy