________________ પ૦ નાયામ્બ કહાઓ- 1-246 નમસ્કાર કર્યો. કાંઈક નીચે નમી. મોર પછી લઇને તેનાથી નાગ પ્રતિમા યાવતુ વૈશ્રમણ પ્રતિમાનું પ્રમાર્જન કર્યું. જળની ધારાથી અભિષેક કર્યો. અભિષેક કરીને રૂછાવાળા અને કોમળ કષાય રંગવાળા સુગંધિત વસ્ત્રથી પ્રતિમાનું અંગ લુછ્યું. લુછીને બહુમૂલ્ય વસ્ત્રો પહેરાવ્યા, પુષ્પમાળા પહેરાવી, ગંધનું લેપન કર્યું, ચૂર્ણ ચડાવ્યું અને શોભા જનક વર્ણનું સ્થાપન કર્યું. યાવત્ ધૂપ જલાવ્યો ત્યાર પછી ઘુંટણ અને બંને પગ ટેકાવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું: ‘જો હું પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો તમારી પૂજા કરીશ, યાવત્ અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ, આ પ્રમાણે ભદ્રા સાર્થવાહી માનતા કરીને જ્યાં પુષ્કરણી હતી ત્યાં આવે છે, અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી થકી યાવતુ વિચારવા લાગી. ભોજન કરીને પછી શુચિ થઈને પોતાના ઘરે આવી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી ચતુર્દશી અષ્ટમી, અમાવાસ્યા અને પર્ણિમાના દિવસે વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરતી અને તૈયાર કરીને ઘણાં નાગાયતનોમાં યાવતુ વૈશ્રમણ આયતનોમાં દેવોનો ભોગ ચડાવતી અને નમસ્કાર કરતી થકી વિચરતી હતી. 4i] ત્યાર પછી ભદ્રા સાર્થવાહી કંઇક સમય વ્યતીત થઈ જવા પર એકદા ગર્ભવતી થઈ. ભદ્રા સાર્થવાહીને. ત્રીજો મહિનો ચાલતો હતો, ત્યારે તેને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે, યાવતુ તે માતાઓ શુભ લક્ષણવાળી છે જે વિપુલ અશ, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર તથા ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર અને માળા તથા અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન સંબંધી અને પરિજનોની સ્ત્રીઓની સાથે ઘેરાયેલી થઈને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે. નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં જાય છે અને પુષ્ક રણીમાં અવગાહન કરીને સ્નાન કરે છે, બલિકર્મ કરે છે અને બધા અલંકારોથી વિભૂષિત થાય છે. પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું આસ્વાદન કરતી થકી તથા પરિભોગ કરતી થકી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે ભદ્રા સાથે વાહીએ વિચાર કર્યો. ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય ! મને ગર્ભના પ્રભાવથી આવો દોહદ ઉત્પન્ન થયો છે, કે તે માતાઓ ધન્ય છે યાવતુ સુલક્ષણા છે કે જેપોતાના દોહદને પૂર્ણ કરે છે ઈત્યાદિ, તેથી હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા હોય તો હું પણ આ રીતે દોહદ પૂર્ણ કરતી વિચરું.' સાર્થવાહ કહ્યું દેવાનુપ્રિયે! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. તેમાં ઢીલ ન કરો.’ ત્યાર પછી ધન્ય સાર્થવાહની આજ્ઞા મેળવેલ ભદ્રા સાર્થવાહી હૃષ્ટ તુષ્ટ થઈ વાવતુ ભદ્રા સાર્થવાહીએ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજનસંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો યાવતુ ઉપભોગ કરીને પોતાના દોહદને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને જે દિશા થી આવેલ હતી તે દિશામાં ચાલી ગઈ. યાવતુ તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ નવ માસ અને સાડા સાત દિવસ-રાત્રિ પૂર્ણ થવા પર સુકુમાર હાથ પગ વાળા બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી તે બાળકની માતા-પિતાએ પ્રથમ દિવસે જાતકર્મ નામક સંસ્કાર કર્યો. કરીને તેજ પ્રકારે યાવત્ અશન, પાન, ખાદમ આહાર તૈયાર કરાવ્યો. તૈયાર કરાવી મિત્ર, જ્ઞાતિજનો આદિને ભોજન કરાવીને આ પ્રકારે ગુણનિષ્પન્ન ‘દેવદત્ત’ નામ રાખ્યું ત્યાર પછી તે બાળકના માતાપિતાએ તે દેવતાઓની પૂજા કરી તેમને દાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org