________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 45 ડવા લાગ્યા તેના હાડકા ફક્ત ચામડાથી મઢેલ હોય તેવા થઈ ગયા. શરીરકુશ અને નસોથી વ્યાપ્ત થઈ ગયું. તે પોતાના આત્મ બળથી જ ચાલતા. આત્મ બળથી જ ઉભા રહેતા, ભાષા બોલતા થાકી જતા. વાત કરતાં કરતાં થાકી જતા. ત્યાં સુધી કે હું બોલીશ એવો વિચાર કરતાં પણ થાકી જતા. કોલસાથી, લાકડાથી, પાંદડાથી, તલથી, અથવા એરંડના લાકડાથી ભરેલ ગાડી હોય. તડકામાં રાખીને સુકવેલ હોય અથવા કોલસા, લાકડી, પાંદડા આદિ ખૂબ સુકવી લીધા હોય. અને પછી ગાડીમાં ભરેલ હોય તો તે ગાડી ખડખડ અવાજ કરતી ચાલતી હોય. અને અવાજ કરતી ઉભી રહે, તે પ્રમાણે મેઘ અણગાર હાડકાના ખડખડાટની સાથે ચાલે છે. અને ખડખડાટની સાથે બેસે છે. તે તપ સ્યાથી તો ઉપચિત-હતા. અને માંસ રુધિરથી અપચિત હતા. તે ભસ્મના સમૂહથી આચ્છાદિત અગ્નિની સમાન તપસ્યાના તેજથી દેદીપ્યમાન હતા, તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવતુ અનુક્રમથી ચાલતા એક ગામથી બીજા ગામ ઉલ્લંઘન કરતા જ્યાં રાજગૃહ નગર હતું, ગુણશીલ ચૈત્ય હતું ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહ ની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગારને મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો.- “હું આ પ્રધાન તપના કારણે’ યાવતું ભાષા બોલીશ, એવો વિચાર કરવા માત્રથી પણ થાકી જાઉં છું. તો અત્યારે મને ઉઠવાની શક્તિ છે. બલ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ,શ્રદ્ધ,વૃતિ અને સંવેગછે.તો જ્યાં સુધી મારાધર્માચાર્ય ધમોપદેશકશ્રમણ ભગ વાન મહાવીર ગંધહસ્તીના સમાન જિનેશ્વર વિચરી રહ્યા છે. ત્યાં સુધી કાલે રાત્રિ ના પ્રભાવ રૂપમાં પ્રગટ થવા પર યાવતું સૂર્યના તેજથી જાજ્વલ્યમાન થવાપર હું શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને,આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહા વ્રતોને પુનઃ અંગી કાર કરીને, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને તથા નિગ્રંથી ઓની ક્ષમા યાચી સ્થવિર સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલાચલ પર આરૂઢ થઈને સ્વયંજ સઘન મેઘની સમાન પૃથ્વીશિલાચ્છુંકરનું પ્રતિલેખન કરીને,સંલેખનાસ્વીકાર કરીને, આહાર પાણી નો ત્યાગ કરીને, પાદોપગમન અણસણ ધારણ કરીને મૃત્યુની પણ આકાંક્ષા નહિ કરતાં વિચરું. મેઘમુનિએ આ પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસની રાત્રિ પ્રભાત રૂપમાં પરિણત હોવાપર વાવત સૂર્ય જાજ્વલ્યમાન થવાપર જ્યાં શ્રમણ ભગ વાન હતા ત્યાં પહોંચીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર જમણી તરફથી શરૂ કરીને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. યોગ્ય સ્થાન પર રહીને ભગ વાનની સેવા કરતા, સન્મુખ, વિનયની સાથે બંને હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા શ્રમણભગવાન મહાવીરે મેઘ અણગારને આ પ્રમાણે કહ્યું. - નિશ્ચયથી મેઘ ! મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરણ જાગતાં થકા તેમને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો યાવતું જ્યાં હું છું ત્યાં તું તુરત આવ્યો છે. હે મેઘ ! શું આ પ્રમાણેનો અર્થ સમર્થ છે? મેઘમુનિ બોલ્યા - હા, એ વાત સત્ય છે ત્યારે ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો.” - ત્યાર પછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હષ્ટતુષ્ટ થયા. તેમના દયમાં આનંદ થયો. તે ઉત્થાન કરીને ઉક્યા. અને ઉઠીને શ્રમણ ભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org