________________ નાયાધર્મ કહાઓ- 1133 થઈ ગયા અને પર્વતોમાં મહાહિમવાનની જેમ શોભા પામતા વિચારવા લાગ્યા. ત્યાર પછી માતાપિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! બતાવો તમારા ક્યાં અનિષ્ટોને દૂર કરીએ અથવા તમારા ઈષ્ટ જનને શું આપીએ? તમને શું આપીએ ? તમારા ચિત્તમાં શું વિચાર છે ? ત્યાર પછી રાજા મેથે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! હું ઈચ્છું છું કે કત્રિકાપણથી રોહરણ અને પાત્ર મંગાવી આપો અને * કાશ્યપ બોલાવી આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ પોતાના કૌટુંમ્બિક પુરુષોને બોલા. વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શ્રીગૃહ માંથી ત્રણ લાખ સુવર્ણમોહર લઈ લો તેમાંથી બે લાખના કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાતરા લઈ આવો અને એક લાખ આપીને નાવિને બોલાવી લાવો. કૌટુમ્બિક પુરુષો રાજા શ્રેણિકના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ મહોરો લઈને કત્રિકો પણથી બે લાખના રજોહરણ અને પાત્ર લાવ્યા અને એક લાખ મહોરો આપીને નાવિ (વાણંદ)ને બોલાવી લાવ્યા. તે નાવિ હૃષ્ટ તુષ્ટ યાવતુ આનંદિત સ્ક્રય થયો, તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું મષિ-તિલક આદિ કૌતુક, દહી તૃણ આદિ મંગલ, તેમજ દુઃસ્વપ્નના નિવારણ રૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. રાજસભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા. થોડા પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું. પછી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યો, ત્યારે શ્રેણિક રાજાએ નાવિને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય! તમે જાઓ અને સુગંધિત પાણીથી સારી રીતે હાથ પગ ધોઈ લો. ચાર પડવાળા શ્વેત વસ્ત્રથી મુખ બાંધીને મેઘકુમારના વાળ દીક્ષાને યોગ્ય ચાર અંગુળ છોડીને કાપી નાખો.” ત્યાર પછી તે નાવિ શ્રેણિક રાજાના એ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ અને આને દિત ર્દય થયો. તેણે યાવતું શ્રેણિક રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સુગંધિત પાણીથી હાથ પગ ધોયા. શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધ્યું. ખૂબ સાવધાનીથી મેઘકુમારના ચાર અંગુળ છોડીને દીક્ષાને યોગ્ય વાળ કાપ્યા. ત્યાર પછી મેઘકુમારની માતાએ તે વાળોને બહુ મૂલ્ય અને હંસના ચિત્રવાળા ઉજજવળ વસ્ત્રમાં ગ્રહણ કર્યા. તેને સુગંધિત પાણીથી ધોયા. સરસ ગોશીષ ચંદન તેમના ઉપર છાંટ્યું. શ્વેત વસ્ત્રમાં બાંધ્યા. તેને રત્નની ડબીમાં રાખ્યા. તે ડબીને પેટીમાં રાખી પછી જળની ધારા, નિગુડી ના ફૂલ તેમજ તુટેલા મોતીઓના હારની સમાન અશ્ર ત્યાગ કરતી કરતી, આજંદન કરતી. વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી “મેઘકુમારના વાળોનું દર્શન રાજ્યપ્રાપ્તિ આદિ અભ્યદય, પુત્ર જન્મના, તિથિઓના, ઈન્દ્ર મહોત્સવ આદિના, નાગ પૂજ આદિના, તથા કાર્તિક પૂર્ણિ મા આદિ પર્વના અવસર પર મને અંતિમ દર્શન રૂપ થશે. આ પ્રમાણે કહીને તે પેટીને માતા ધારિણીએ પોતાના ઓશીકા નીચે રાખી મૂકી. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતાએ ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું પછી મેઘકુમારને બે ત્રણવાર ચાંદી અને સોનાના કળશોથી નવડાવ્યો. નવડાવીને, રુચ્છા વાળો અને અંતિમ કોમળ ગંધકાષાય વસ્ત્રથી તેનું શરીર, લુંછીને સરસ ગોશીષ ચંદન થી શરીર પર વિલેપન કર્યું. નાસિકના નિઃશ્વાસના વાયુથી પણ ઉડવા યોગ્ય અતિ બારીકઅને હંસ લક્ષણવાળા વસ્ત્ર પહેરાવ્યા.અઢારસરનો,નવાસરનો હાર પહેરાવ્યો, પછી એકાવલી, મુક્તાવલી, કનકાવતી, રત્નાવલી, પાલંબ પાદપ્રલંબ કડુ, તુટિક કેયૂર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org