SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ સેવો આવવાથી તેના અંગોથી પરસેવો ઝરવા લાગ્યો, શોકની અધિકતાથી તેનું શરીર કંપવા લાગ્યું તે તેજરહિત થઈ ગઈ તેનું મુખ અથવા વચન દીનતાવાળું થયું. હસ્તતલ વડે મસળેલી કમળની માળાની જેમ તે ઝાંખી થઈ ગઈ. તત્ક્ષણ એટલે “હું દીક્ષા ગ્રહણ કરું” એવું વચન સાંભળ્યું તે જ વખતે તેનું શરીર પ્લાન થઈ ગયું. તે લાવણ્ય રહિત થઈ, કાંતિ રહિત થઈ, લક્ષ્મી (શોભા) રહિત થઈ, એકદમ શરીર દુર્બળ થઈ જવાથી તેના પહેરેલા અલંકાર અત્યંત ઢીલા થઈ ગયા, હાથે પહેરેલા ઉજ્વલ વિલય સરી જઈને ભૂમિપર પડી ગયા અને ચૂર્ણરૂપ થઇ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર નીકળી ગયું, તેનો સુકોમળ કેશ કલાપ વિખરાઈ ગયો, મૂછના વશથી ચિત્ત નાશ પામવાને લીધે તેનું શરીર-ગુરુભારવાળું થયું. પરશુવડે કાપેલી ચંપકલતાની જેમ તથા મહોત્સવ પૂર્ણ થયે ઇન્દ્રધ્વજની જેમ શ્રી વિહીન થઈ ગઈ, શરીરના સાંધા જેના શિથિલ થઈ ગયા છે. એવી તે ધારિણી દેવી સર્વ અંગોવડે “ઘસ” શબ્દ પૂર્વક પૃથ્વીતલ ઉપર પડી ગઈ. ત્યાર પછી તે ધારિણી દેવી સંભ્રમની સાથે શીઘ્રતાથી સુવર્ણ કળશના મુખથી નીકળેલી શીતળ જળની નિર્મળ ધારાવડે સિંચન કરાઈ. તેથી તેનું શરીર શીતળ થઈ ગયું. ઉલ્લેપ તાલવૃંત અને વીંઝ નકથી ઉત્પન્ન થયેલા તથા જલકણ સહિત વાયરાવડે અંતઃપુરના પરિવાર જનોએ આશ્વાસન પમાડી ત્યારે તે દેવી મોતીના દાણા જેવી પડતી અગ્રુધારા વડે પોતાના સ્તનોને ભીંજવવા લાગી. તે દયનીય વિમનસ્ક અને દીન થઈ ગઈ. તે રુદન કરતી, કંદન કરતી, પસીના તેમજ લાળ ટપકાવતી, દયમાં શોક કરતી અને વિલાપ કરતી મેઘ કુમારને આ પ્રમાણે કહેવા લાગી. [32] હે પુત્ર! તું અમારે એક જ પુત્ર છે. તું અમને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે, ઘેર્ય તેમજ વિશ્વાસનું સ્થાન છે. કાર્ય કરવામાં સમ્મત છે, ઘણાં કાર્યોમાં ઘણો માનેલો છે. અનુમત છે. આભરણના કડીયા સમાન છે. મનુષ્ય જાતિ માં ઉત્તમ હોવાથી તું રત્ન છે, જીવનના ઉદ્ભુવાસ સમાન છે, અમારા દ્ધયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલની સમાન તારા નામનું શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ ક્યાં રહી ! હે પુત્ર ! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરવા ઈચ્છતા નથી. તેથી હે પુત્ર! પહેલાં તો અમે જ્યાં સુધી જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગોને ભોગવ. જ્યારે અમે મૃત્યુ પામી જઈએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય અને તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય કુલવંશ- રૂપ તંતુનું કાર્ય વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યની અપેક્ષા ન રહે, ત્યારે તું પ્રવ્રજ્યા અંગી, કાર કરી લેજે. ત્યારે માતાપિતાના દ્વારા આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે કહ્યું - હે માતા-પિતા! આપ મને જે કહો છો કે હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે. યાવતુ પ્રવજ્યા અંગીકાર કરી લેજે-તે ઠીક છે. પરંતુ હું માતાપિતા ! આ મનુષ્ય ભવ ધ્રુવ નથી. નિયત નથી. અશાશ્વતછે ઉપદ્રવોથી વ્યાપ્ત છે. ચંચળ છે, અનિત્ય છે. તૃણની અણી પર લટકતા પાણીના બુંદની સમાન છે. સંધ્યા સમયના વાદળની સમાન છે, સ્વપ્ન દર્શનની સમાન છે, સડવાનો પડવાનો અને નાશ થવાનો સ્વભાવ છે, તેમજ આગળ અથવા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા પિતા! કોણ જાણે છે કે કોણ પહેલા જશે અ કોણ પછી જશે? તેથી હે માતા પિતા! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે લાવતુ પ્રવ્રયા અંગીકાર કરવા ઈચ્છું છું.” Jain Education International www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy