________________ નાયાઘમ્મ કહાઓ-૧ર/૧/૧૮ છે, આંગળીઓમાં અંગુઠીઓ પહેરે છે, પોતાની બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ વલયોવડે ખંભિત કરે છે, જેનું મુખ કુંડલોથી ચમકી રહ્યું છે, અંગ રત્નોથી ભૂષિત થઈ રહેલ છે, જેઓ એવા વસ્ત્રો પહેર્યો હોય કે જે નાસિકાના નિશ્વાસથી પણ ઉડી જાય ઉત્તમ વર્ણ અને સ્પર્શવાળા હોય, ઘોડાના મુખમાંથી નીકળતા ફેણથી પણ કોમળ અને હળવા હોય, ઉજ્જવળ હોય, જેની કિનારી ઓ સુવર્ણના તારોથી વણી હોય જેત હોવાના કારણે જે આ * કાશ સ્ફટિકની સમાન કાન્તિવાળા હોય, અને શ્રેષ્ટ હોય, જે માતાઓનું મસ્તક સમસ્ત ઋતુઓ સંબધી પુષ્પો અને શ્રેષ્ઠ ફૂલમાળાઓથી સુશોભિત હોય, ઉત્તમ ધૂપથી ધૂપિત હોય, અને જે લક્ષ્મીની સમાન વેષ વાળી હોય, આ પ્રમાણે સજ્જ થઈને જે સેચનક નામ ના ગંધહસ્તીરત્ન પર આરુઢ થઈ કોરંટ પુષ્પોની માળાથી સૂશોભિત છત્રને ધારણ કરે છે. ચન્દ્રપ્રભ વિજ અને વૈડૂર્ય રત્નના નિર્મળ દડવાળા એવં શંખ, કુંદ, પુષ્પ, જલકણ અને અમૃતનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલ ફેનના સમૂહની સમાન (શ્વેત) ચાર ચામરો જેના ઉપર ઢોળાય રહ્યા હોય જે હસ્તીરત્નના સ્કંધપર રાજા શ્રેણિકની સાથે બેઠેલ હોય. તેમની પાછળચતરંગિણી સેના ચાલી રહેલહોયછત્ર આદિ રાજ ચિહ્નો રૂપ સમસ્ત દ્ધિ, ની સાથે, આભૂષણો આદિની કાન્તિની સાથે વાવતું વાદ્યોના નિર્દોષ શબ્દની સાથે, રાજગૃહ નગરના શૃંગાટક ત્રિક, ચતુષ્ક ચત્વર, ચર્તુમુખ મહાપથ, તથા સામાન્ય માર્ગ માં ગંધોદક એક્વાર છાંટેલ, અનેકવાર છાંટેલા, પવિત્ર કરેલા, કચરો દૂર કરવાથી સંમા, ર્જન કરેલાં, છાણ વગેરેથી લીંપેલા યાવતુ ઉત્તમ ગંધના ચુર્ણયડે સુગંધ વાળા એવા તે રાજગૃહ નગરને જોતી જઈ રહી હોય. નગરના લોકોવડે સ્તુતિ કરાતી તથા વૃતાકી વગેરેના ગુચ્છાઓ, સહકારાદિકની લતાઓ, વૃક્ષો, ગુલ્મો અનેવેલોના સમૂહ વડે વ્યાપ્ત થયેલા, મનોહર વૈભારગિરિના પ્રદેશના નીચલા ભાગોની સમીપે ચારે તરફ સર્વત્ર ફરતી ફરતી પોતાના દોહલાને દૂર કરે છે પૂર્ણ કરે છે. તો હું પણ મારો દોહલો પૂર્ણ કરૂં! [19] ત્યાર પછી તે ધારિણી દેવી તે દોહદના પૂર્ણ ન કરવાના કારણે, સંપન ન થવાના કારણે, સંપૂર્ણ ન થવાના કારણે, મેઘ આદિનો અનુભવ ન થવાના કારણે, સમ્મા નિત ન થવાના કારણે, માનસિક સંતાપ દ્વારા રક્તનું શોષણ થઈ જવાથી શુદ્ધ થઈ ગઈ ભૂખથી વ્યાપ્ત થઈ ગઈ, માંસથી રહિત થઈ ગઈ, તેમજ જીર્ણ શરીરવાળી થઇ, સ્નાનનો ત્યાગ કરવાથી મલિન શરીરવાળી, ભોજન ત્યાગી દેવાથી દુબળી તથા થાકેલી જેવી થઈ ગઈ, તેણે મુખ અને નયનરૂપી કમળ નીચા કરી દીધા. તેનું મુખ ફિક્યું થઈ ગયું, હથેળી. ઓથી મસળેલ ચંપક પુષ્પની માળા સમાન નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દીન અને વિવર્ણ થઈ ગયું. તે યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારના વિષયમાં રૂચિરહિત થઇ ગઈ, જળ આદિની ક્રિીડા અને ચોપાટ આદિ રમતની ક્રિયાનો પરિત્યાગ કરી દીધો. તે દીન દુઃખી મનવાળી આનંદહીન તેમજ ભૂમિની તરફ દ્રષ્ટિ કરીને બેઠી. તેના મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો. તે ભાવતુ આર્તધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ધારિણી દેવીની અંગ પરિચારિકાઓ, શરીરની સેવા શુશ્રુષા કરવાવાળી આત્યંતર દાસીઓ ધારિણી દેવીને જીર્ણ શરીરવાળી યાવત્ આર્તધ્યાન કરતી જુએ છે, જોઈને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! તમે યાવતુ આર્તધ્યાન કેમ કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ દ્વારા આ પ્રમાણે કહેવા પર તેમનો આદર કરતી નથી અને તેમને જાણતી પણ નથી તે મૌન જ રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org