________________ શ્રુતસ્કંધ-૨, વર્ગ-૯ 179 આઠ અધ્યયનો જાણવા જોઈએ વિશેષતા એ કે પૂર્વભવમાં બે દેવીઓ શ્રાવસ્તી નગરીમાં, બે જણી હસ્તિનાપુર નગરમાં, બે જણી કપિલ્યપુર નગરમાં, બે જણી સાકેત નગરીમાં ઉત્પન્ન થઈ. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજર્યું હતું. બધી પાર્થ અરિહંતની પાસે પ્રવ્રજિત થઈ અને શુક્ર ઈન્દ્રિની અગ્રમહિષી થઈ. તેમની સ્થિતિ સાત પલ્યોપમની કહી છે. બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | વર્ગ-૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ 10) [238-241] “હે જબ્બ ! યાવતું દસમાં વર્ગના આઠ અધ્યયન પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે - કૃષ્ણા કૃષ્ણરાજી રામા રામરક્ષિતા વસુ વસુગુપ્તા વસુમિત્રા અને વસુંધરા. આ આઠ ઈશાન દેવલોકની અઝમહિષીઓ છે. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું, વાવતું ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતુ પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કૃષણા દેવી ઈશાન કલ્પમાં, કૃષ્ણાવતુંસક વિમાન માં કૃષ્ણ નામના સિંહાસન ઉપર સુધમાં સભામાં બેઠી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીના સમાન જાણવો. તે જ પ્રમાણે આઠે અધ્યયનનો પણ કાલીના ગમથી જાણવા. વિશેષતા એ કે પૂર્વભવમાં બે બનારસ નગરીમાં, બે રાજગૃહ નગરમાં, બે શ્રાવસ્તી નગરીમાં, બે કૌશામ્બી નગરીમાં ઉત્પન્ન થઈ. દરેકના પિતાનું નામ રામ અને માતાનું નામ ધમાં હતું. દરેક પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ. તેઓ પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપે સોપાણી દરેક ઇશાન ઇન્દ્રની અઝમહિષી થઈ દરેકની સ્થિતિ નવ પલ્યોપમની કહેલી છે. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અન્ત કરશે. આ પ્રમાણે હે જબ્બ ! ધર્મની આદિના કર્તા, તીર્થના સ્થાપક, સ્વયંબોધને પ્રાપ્ત, પુરુષોત્તમ યાવતું સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. ધર્મકથા નામનો બીજો શ્રુતસ્કંધ દશવર્ગોમાં સમાપ્ત થયો. વર્ગ-૧૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયા પૂર્ણ નાયાધમ્મકહાઓ-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્ર-દ-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org