SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧ 15 સન્ન અવસનવિહારિણી, કુશીલા. કુશીલવિહારિણી, યથા છંદા, યથાછંદવિહારિણી, સંસકતા, સંરક્તવિહારિણી થઇને, ઘણાં વર્ષો સુધી ગ્રામgય પયયનું પાલન કરીને અર્ધમાસની સંલેખના કરીને, આત્મા ને ક્ષીણ કરીને ત્રીસ ભક્ત અનશનને છેદીને, તે પાપસ્થાનની આલોચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને ચમરચા રાજધાનીમાં કાલવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં. દેવદુષ્ય વસ્ત્રથી અંતરિત થઈને અંગુલની અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવીના રૂપે ઉત્પન્ન થઈ. - ત્યાર પછી કાલી દેવી તત્કાલ ઉત્પન્ન થઈને સૂર્યાભદેવની જેમ યાવતુ પાંચ પતિથી યુક્ત બની ગઈ. ત્યાર પછી તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવો તથા અન્ય ઘણા કાલાવતુંસક નામના ભવનમાં નિવાસ કરનાર અસુરકુમાર દેવોનું તથા. દેવીઓનું અધિપતિત્વ કરતી થકી રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવ અદ્ધિ પ્રાપ્ત કરી. યાવતુ ઉપભોગમાં આવવા યોગ્ય બનાવી છે. “ભગવન! કાલી દેવીની કેટલી કાલની સ્થિતિ કહી છે? હે ગૌતમ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે.ગૌતમ - 'ભગવન! તે કાલી દેવી તે દેવલોકથી અનંતર ચ્યવને ક્યાં ઉત્પન્ન થશે? ભગવાન - હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે.” (વર્ગઃ ૧-અધ્યયનઃ ૨-રાજી) [221] જો યાવતુ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વરે પ્રથમ વર્ગ ના પ્રથમ અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલો છે તો પ્રથમ વર્ગના બીજા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં ગુણશીલ ચૈત્ય હતું. સ્વામી સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રાજી નામક દેવી ચમચંચા રાજધાનીથી કાલી દેવીની જેમ ભગવાનને વાંદવા આવી. નાટ્યવિધિ બતાવીને યાવતુ પાછી ચાલી ગઈ. તે સમયે ગૌતમે તેણીનો પૂર્વભવ પૂક્યો. ભગવાને કહ્યું, “હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આમલકલ્યા નામની નગરી હતી. આમ્રશાલવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. રાજી નામક ગાથાપતિ હતો. તેને રાજીશ્રી ભાર્યા હતી. રાજી તેમની પુત્રી હતી. પાર્શ્વ નાથ પ્રભુ સમોસય.જે રાજી પુત્રી વન્દન કરવા નીકળી.કાલીની જેમ સંયમ લઈને શરીર બાકુશિકા બની ગઇ. ઇત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલી સમાન જાણવું યાવતુ અંતે સિદ્ધ થશે.” (વર્ગઃ૧- અધ્યયન-૩-રજની) 222) જો બીજા અધ્યયનનો પૂવોક્ત અર્થ કહ્યો તો ત્રીજા અધ્યનનો શું અર્થ ફરમાવેલ છે?” “આ પ્રમાણે હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. જેમ રાજીના સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે જનીનું પણ જાણવું. વિશેષતા એ કે-આમકલ્પા નગરીમાં રજની ગાથાપતિની રજની શ્રી તેની ભાય હતી. રજની દારિકાપુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત પૂર્વવત, સમજવો. (વર્ગઃ 1- અધ્યયન-૪-વિધતો [223] તે જ પ્રમાણે વિદ્યુતનું વૃત્તાન્ત પણ સમજવું. આમલકલ્પા નગરી, વિદ્યુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy