________________ 134 નાયાધમકાઓ. 15-16159 છું. આ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈને તે મૃત્યુને પ્રાપ્ત થયા. ત્યાર પછી ધર્મઘોષ મુનિએ ધર્મરુચિ અણગારને લાંબા સમયથી ગયેલા જાણીને નિગ્રંથ શ્રમણોને બોલાવ્યા; બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણ ગારને વાવતુ તેલાવાળું કડવા તુંબડાનું શાક મળ્યું હતું તેને પરઠવા માટે તે બહાર ગયા છે. ઘણો સમય થઈ ગયો છે તેથી હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મચિ અણગારની સર્વ સ્થાને માર્ગણા- કરો. ત્યારે શ્રમણનિગ્રંથોએ પોતાના ગુરુના આદેશને અંગીકાર કર્યો.બહાર નીકળ્યા નીકળીને ચારેતરફધર્મચિ અણગારની માણા-ગવેષણા કરતાં થકો જ્યાં સ્વડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા. આવીને જોયું તો ધર્મચિ અણગારનું શરીર નિપ્રાણ, નિષ્પષ્ટ અને નિર્જીવ પડ્યું હતું તેને જોઈને તેઓના મુખમાંથી સહજ શબ્દો નીકળી ગયા હાહા! અહો ! આ અકાર્ય થયું છે, ખરાબ થયું છે.” આમ કહીને તેઓએ ઘર્મરુચિ અણગારના કાળધર્મ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને ધર્મરુચિ અણગારના આચાર ભાંડક (પાત્ર) ગ્રહણ કર્યા અને જ્યાં ધર્મઘોષ નામના સ્થવિર હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને બોલ્યા આપનો આદેશ મેળવીને અમે સુભૂમિભાગ ઉદ્યાનની ચારે તરફ ધર્મચિ અણ ગારની યાવતું દરેક રીતે તપાસ કરતાં સ્પંડિલ ભૂમિમાં ગયા, જઈને યાવતું જલ્દીથીજ અહીં પાછા આવ્યા. હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળ ધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચાર પાત્ર છે. ત્યાર પછી સ્થવિર ધર્મઘોષે પૂર્વ દિશામાં ઉપયોગ લગાડ્યો. ઉપયોગ લગાડીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું- હે આય! આ પ્રમાણે મારો અંતેવાસી ધર્મચિ નામક અણગાર સ્વભાવથી ભદ્ર વાવ વિનીત હતા. તે માસખમણની તપસ્યા કરી રહ્યા હતા. વાવતે નાગશ્રી બ્રાહ્મણીના ઘરે પારણાને માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ તેમને પાત્રમાં યાવતુ બધુજ કડવું વિષ સમાન હૂંબનું શાક નાખી દીધું. ત્યારે ધર્મચિ અણગાર પોતાના માટે પર્યાપ્ત આહાર જાણીને યાવતુ કાલની આકાંક્ષા ન કરતા થકા વિચરવા લાગ્યા. ધર્મરુચિ અણગાર ઘણાં વર્ષો સુધી ગ્રામ પયય પાળીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઇને કાલ માસમાં કાળા કરીને, ઉપર સૌધર્મ આદિ દેવલોકને ઓળ ગીને યાવતુ સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં દેવરપે ઉત્પન્ન થયા છે. ત્યાં જઘન્ય અને ઉત્કટના ભેદથી રહિત એક જ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તે ધર્મચિ દેવ ત્યાંથી ટ્યુત થઈને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધિ પ્રાપ્ત કરશે. [10] તેથી હે આર્યો ! તે અધન્ય, અપુણ્ય, યાવતુ લિંબોળીની સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે, જેણે તથારૂપ સાધુ ધર્મરુચિ અણગારને માસખમણના પારણામાં શરદ્દ સંબંધી કાવત્ તેલથી વ્યાપ્ત કડવા તુંબનું શાક આપીને અસમયમાં જ મારી નાંખ્યા. ત્યારે તે નિગ્રંથ શ્રમણોએ ધર્મઘોષ સ્થવિરની પાસેથી આ વૃત્તાન સાંભ ળીને અને સમજીને ચંપા નગરીના કૂંડાટક આદિમાગમાં જઈને વાવતું ઘણા લોકોને આ વાત કહી ઘણા લોકો પણ આપસમાં આ વાતચીત કરવા લાગ્યા. તે બ્રાહ્મણો ચંપા નગરીમાં ઘણા લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને સમજીને કુપિત થયા યાવતુ ક્રોધથી લાલ થઈ ગયા - બળવા લાગ્યા. તેઓ જ્યા નાગશ્રી હતી ત્યાં પહોંચ્યા. તેઓએ નાગશ્રીને આ પ્રમાણે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org