________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ 119 તંભોવાળી યાવતુ મનોહર હતી. તેમાં ઘણા આલંકારિક પુરુષો જીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ ઘણા શ્રમણો, અનાથો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોનું અલંકાર કર્મ કરતા હતા. તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથ, અનાથ પથિક, પથિક, કાવડ ઉપાડનારા, કારીગરો, ઘસિયારો, પાંદડાના ભારાવાળા, કઠીયારાઓ આદિ આવતા હતા. તેમાંથી કોઈ કોઈ સ્નાન કરતા, કોઈ પાણી પીતા. કોઇ પાણી ભરીને લઈ જતા, કોઈ કોઈ પરસેવા, મેલ, મળ, પરિશ્રમ, નિદ્રા, સુધા અને પિપાસાને દૂર કરીને સુખપૂર્વક રહેતા હતા. નંદા પુષ્કરિણીમાં રાજગૃહ નગરથી પણ નીકળેલા લોકો પાણીમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારે સ્નાન કરતા હતા, કેળાગૃહ, લતાગૃહ, પુષ્પશધ્યા અને અનેક પક્ષીઓના સમૂહ ના મનોહર શબ્દોથી યુક્ત નંદા પુષ્કરિણી અને વનખંડોમાં ક્રીડા કરતા વિચરતાં હતા. નંદા પુષ્કરિણીમાં સ્નાન કરનાર, પાણી પીનાર અને પાણી લઈ જનાર લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરતાં, “હે દેવાનુપ્રિય નંદ મણિયાર શેઠ ધન્ય છે,” કૃતાર્થ છે, યાવતું તેનું જીવન અને જન્મ સફળ છે, જેની ચારે તરફ યાવતું મનોહર આ નંદા પુષ્કરિણી છે, જેનું પૂર્વ દિશામાં વનખંડ છે. ઈત્યાદિ પૂર્વોક્ત લોકો ! નંદ મણિયારનો મનુષ્ય ભવ સુલબ્ધ છે તથા તેમનો જન્મ અને જીવન પણ સુલબ્ધ છે. તે સમયે રાજ ગૃહમાં પણ ઝૂકાંટક આદિ માગોમાં ગલી-ગલીમાં ઘણા લોકો આ પ્રમાણે કહેતા હતા-દેવાનુપ્રિય ! નંદા મણિ યાર શેઠ ધન્ય છે, ઈત્યાદિ પૂર્વવતુ ત્યારે નંદ મણિયાર ઘણા લોકો પાસેથી આ વાત સાંભ ળીને હષ્ટ-તુષ્ટ થયો.મેઘનીધારાથીઆહતકદમ્બ વૃક્ષની સમાન તેના રોમ કૂપ વિકસિત થયા-તેની કલી-કલી ખીલી ઉઠી તે સાતાજનિત પરમ સુખનો અનુભવ કરવા લાગ્યો. [14] પછી નંદમણિયારશ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગોતક ઉત્પન્ન થયા. શ્વાસ ઉધરસ જ્વર, જલન, કુલિનોશુળ, ભગંદર, અર્થ અજીર્ણ નેત્રશૂલ, મસ્તક શૂળ, ભોજન વિષયક અરુચિ, નેત્રવેદના, કાનની વેદના, ખરજવું જલોદર, અને કોઢ. [147] નંદ મણિયાર શેઠ આ સોળ રોગાતકોથી પીડિત થયો. ત્યારે તેણે કોઢ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શ્રાટક યાવતુ નાના મોટા માગમાં ઊંચા અવાજથી ઘોષણા કરતાં કહો કે- હે દેવાનું પ્રિયો ! નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગો ઉત્પન્ન થયા છે. જો કોઈ વૈદ્ય યા. વૈદ્યપુત્ર, જાણકાર યા જાણકારપુત્ર, કુશળ યા કુશળનો પુત્ર, એક પણ રોગાંતક ઉપ શાંત કરવા ઈચ્છે વા મટાડી દે, તો હે દેવાનુપ્રિયો ! નંદ મણિયાર તેને વિપુલ ધન સંપત્તિ પ્રદાન કરશે.” આ પ્રમાણે બીજીવાર ત્રીજીવાર ઘોષણા કરી ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો.” રાજગૃહ નગરમાં આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને વૈિદ્ય, વૈદ્યપુત્ર; વાવતુ કુશલપુત્ર હાથમાં શસ્ત્રકોશ લઈને કોશકનું પાત્ર હાથમાં લઈને, શિલિકા હાથમાં લઈને ગોળીઓ હાથમાં લઈને અને ઔષધ તથા ભેષજ હાથમાં લઈને પોત-પોતાના ઘરેથી નીકળ્યાં. નંદ મણિયારના શરીરને જોયું અને નંદ મણિયાર શેઠને રોગનું કારણ પૂછ્યું. પછી ઉદ્વર્તન દ્વારા સ્નેહપાન દ્વારા, વમનદ્વારા, રેચનદ્વારા સ્વેદન દ્વારા, અવદહનથી અપસ્નાનથી, અનુવાસનાથી વસ્તિકર્મથી નિરુહ દ્વારા શિરા વેધથી તક્ષણથી શિરોવતિથી,તર્પણથી,પુટપાકથી,રોહિણીઆદિની છાલોથી. ગિલોય આદિ વેલોથી, ભૂલોથી, કંદથી, પાંદડાથી, પુષ્પોથી ફળોથી, બીજથી શિલિકાથી, ગોળી થી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org