SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 110 શ્રતધ-૧, અધ્યયન-૧૩. વડે જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા. ત્યારે તે પરિવારની સાથે ભગવાનની પાસે આવ્યા. અને સૂર્યાભિદેવની સમાન નાટ્યવિધિ બતાવીને પાછા ગયા. ગૌતમભગવાને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર જ્ય. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! દદ્રદેવ મહાન ઋદ્ધિવાળો. આદિ છે તો હે ભગવન! તે દર દેવની વિક્રિયા કરેલી તે દિવ્ય દેવદ્ધિ ક્યાં ચાલી ગઈ? ક્યાં સમાઈ થઈ?” ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં ચાલી ગઇ, શરીરમાં સમાઈ ગઈ.' આ વિષયમાં કુટાગારનું દૃષ્ટાંત સમજવું જોઇએ. “ભગવાન દર દેવે તે તે દિવ્ય દેવત્રદ્ધિ કેવી રીતે મેળવી હતી? કયા પ્રકારે તે તેમની સમક્ષ આવી ?" ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! આ જમ્બુદ્વીપમાં, ભરત ક્ષેત્રમાં રાજગૃહ નગર હતું. ગુણશીલચૈત્ય હતું. શ્રેણિક નામનો રાજા હતો. નંદ નામક મણિકાર રહેતો હતો. તે સમૃદ્ધ હતો. તેસ્વી હતો અને કોઇથી પરાભવ પામતો ન હતો. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદુ વંદના કરવા માટે નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો ત્યારે નંદ મણિયાર શેઠ આ કથા નો અર્થને જાણીને સ્નાન કરીને તેમજ વિભૂષિત થઇને, પગપાળા ચાલતો આવ્યો. યાવતું. મારી ઉપાસના કરવા લાગ્યો. પછી તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને શ્રમણો પાસક બની ગયો. ત્યાર પછી હું રાજગૃહ નગરની બહાર નીકળીને જનપદમાં વિચારવા લાગ્યો. નંદ મણિયાર શ્રેષ્ઠી સાધુઓના દર્શન ન થવાથી, તેઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ ન સાંભળવાથી અને વીતરાગની વાણી સાંભળવાથી ઈચ્છા ન થવાથી ક્રમશઃ સમ્યકત્વ પર્યાયની હીનતા થતી ગઈ અને મિથ્યાત્વની પયય ક્રમથી વૃદ્ધિ પામતાં, કોઇ સમયે તે મિથ્યાત્વી થઈ ગયો. ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ કોઇ સમયે ગ્રીષ્મઋતુ. ના અવસર પર જેઠ માસમાં અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું ગ્રહણ કરીને તે પૌષધ શાળામાં વિચારવા લાગ્યો. ત્યાર પછી નંદ શ્રેષ્ઠીનો અઠ્ઠમભક્ત જ્યારે પૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તે ભૂખથી અને તરસથી ખુબ પીડિત થયો. તેના મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે- તેઓ યાવતુ ઇશ્વર સાર્થવાહ આદિ ધન્ય છે, જેની રાજગૃહ નગરની બહાર ઘણી વાવડીઓ છે, પુષ્કરિણીઓ છે, યાવતું સરોવરની પંક્તિઓ છે, જેમાં ઘણાં લોકો પાણી પીવે છે, સ્નાન કરે છે અને તેમાંથી પાણી ભરી જાય છે. તો હું પણ કાલે પ્રભાત થવા પર શ્રેણિક રાજાની આજ્ઞા લઈને, રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વત ની કંઈક નજીકમાં, વાસ્તુશાસ્ત્રના પાઠકની પસંદ કરેલ ભૂમિ ભાગમાં, વાવતુ નંદા પુષ્કરિણી ખોદાવું, તે મારા માટે ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું, પછી બીલકર્મ કર્યું. પછી મિત્રો જ્ઞાતિજનોની સાથે પરિવૃત્ત થઈને બહુમૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને શ્રેણિક રાજાની પાસે પહોંચ્યો. ઉપહાર , રાજાની પાસે રાખીને આ પ્રમાણે બોલ્યો- “સ્વામિન્ ! આપની અનુમતિ મેળવીને રાજગૃહ નગરની બહાર યાવતું પુષ્કરિણી ખોદાવા ચાહુ છું. રાજાએ ઉત્તર આપ્યો - ‘દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી નંદ મણિયાર શેઠ શ્રેણિક રાજા પાસે થી આજ્ઞા મેળવીને હૃષ્ટતુષ્ટ થયો. તે રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો નીકળીને વાસ્તુશાસ્ત્રના પાઠકો દ્વારા પસંદ કરેલ ભૂમિભાગમાં બંધ નામની પુષ્કરિણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy