SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 116 નાયામ્બ કહાઓ-૧-૧ર/૧૪૪ વ્યતીત થઈગયા. ત્યાર પછી તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. ત્યારે જિતશત્રુ ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પરંતુ તેણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું સુબુદ્ધિ અમાત્યને દીક્ષાને માટે આમંત્રિત કરું છું અને જ્યેષ્ઠ પુત્રને રાજસિંહાસન ઉપર સ્થાપિત કરું છું પછી આપની પાસે સંયમ અંગીકાર કરીશ, ત્યારે સ્થવિર મુનિઓએ ' કહ્યું - ‘દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.” ત્યારે જિતશત્રુ રાજા પોતાના ઘરે આવ્યો આવીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો અને કહ્યું- “મે સ્થવિર ભગવાન પાસેથી ધમોપદેશ શ્રવણ કરેલ છે. યાવતુ હું પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા કરું છું. તમે શું કરશો તમારી ઈચ્છા શું છે?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું-થાવતુ આપના સિવાય મારું કોણ આધાર છે? યાવતુ હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” રાજા જિતશત્રુએ કહ્યુંદેવાનુપ્રિય ! જો તમારે પ્રવ્રજ્યા અંગીકાર કરવી હોય તો જાઓ. દેવાનુપ્રિય ! અને આપના જ્યેષ્ઠ પુત્રને કુટુમ્બમાં સ્થાપિત કરો. અને શિબિકા ઉપર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ ત્યારે સુબુદ્ધિ અમાત્ય શિબિકા ઉપર આરૂઢ થઈને યાવતું આવી ગયો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ કૌટુંમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ, અદનશકુમારના રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરો. કૌટુમ્બિક પુરુષે સામગ્રી તૈયાર કરી વાવ, કુમારનો અભિષેક કર્યો. યાવતુ જિતશત્ર રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષા અંગીકાર કરીને પછી જિતશત્રુ અણગારે અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી સંયમ પયય પાળીને અંતમાં એક માસની સંલેખનાકરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. સુબુદ્ધિ અણગારે પણ અગીયાર અંગોનું અધ્યયન કર્યું ઘણા વર્ષો સુધી. દીક્ષા પયય પાળીને અંતમાં એક માસની સંલેખના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. | અધ્યયન-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરયા પૂર્ણ ! (અધ્યયન-૧૩-મંડુક) [૧૪પ જો શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ બારમા જ્ઞાતાધ્યયનો આ અર્થ ફરમાવેલ છે તો ભગવન્! તેરમા જ્ઞાતાધ્યયનનો શું અર્થ બતા વેલ છે? હે જન્! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં શ્રેણિક રાજા હતો. રાજગૃહની બહાર ઉત્તર પૂર્વ દિશામાં ગુણશીલ ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર પોતાના ચૌદ હજાર સાધુ ઓની સાથે વાવતુ અનુક્રમથી વિચારતા એક ગામથી બીજા ગામ જતા, જ્યાં રાજ ગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ધર્મદિશના સાંભળવા માટે પરિષદ્ નીકળી અને ધમોપદેશ સાંભળીને પછી ચાલી ગઇ. તે કાળ અને તે સમય માં સૌધર્મ કલ્પમાં દરાવતુંસક નામક વિમાનમાં, સુધમાં નામક સભામાં, દર્દક નામક સિંહાસન પર દર્દૂર નામક દેવ ચાર હજાર સામાનિક દેવો, ચાર અઝમહિષિઓ અને ત્રણ પરિષદોની સાથે સૂવાંભ દેવની સમાન દિવ્ય ભોગોપભોગ ભોગવતો થકો વિચારી રહ્યો હતો. તે સમયે તેણે આ સંપૂર્ણ જમ્બુદ્વીપને પોતાના વિપુલ અવધિ જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy