SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાઈ-૩-૭/૧૮૯ વિરલ થયાં છે એવાં, નધણિઆતાં, જેની સંભાળ કરનાર જનો નામશેષ છે એવાં, જેના ધણીનાં ગોત્રોનાં ધરો નામશેષ છે એવાં અને સિંગોળાના ઘાટવાળા માર્ગમાં, તરભેટામાં, ચોકમાં, ચત્વરમાં, ચાર શેરીઓ જ્યાં ભેગી થાય એવા માર્ગમાં, રાજમાર્ગોમાં અને સામાન્ય- માર્ગોમાં, નગરની પાણીની ખાળોમાં, ગટરોમાં, મસાણમાં, પહાડ ઉપરના ઘરમાં, ગુફામાં, શાંતિધર-ધર્મક્રિયા કરવાના ઠેકાણમાં પહાડને કોતરીને બનાવેલ ઘરમાં, સભાને સ્થાને અને રહેવાના ઘરમાં રાખેલાં લાખો રૂપીયાના નિધાનો, અને દાટેલી લાખો રૂપીયાની દોલત, એ બધું દેવેંદ્ર, દેવરાજ શકના વૈશ્રમણ મહારાજાથી, કે વૈશ્ન- મણકાયિક દેવોથી અજાણ્યું નથી, અણજોયું નથી, અસાંભળ્યું નથી, અણસમારેલ નથી અને અવિજ્ઞાત નથી. દેવેંદ્ર, દેવરાજ શકના વૈશ્રમણ મહારાજાને આ દેવો અપત્યરૂપ અભિમત છેઃ- પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્ધાન, સર્વધશાક, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અને અસંગ દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાની આવરદા બે પલ્યોપમની છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોની આવરદા એક પલ્યોપમ છે એ રીતે વૈશ્રમણ મહારાજા મોટી ઋદ્ધિવાળી છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. [શતક-૩-ઉદેસા-હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | C (ઉદેશક૮-) [201] રાજગૃહ નગરમાં યાવતુ-પકુંપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરકુમારદેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા યાવતનવિહરે છે? હે ગૌતમ! અધિપતિપણું ભોગવતા દસ દેવો રહે છે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરણ, વૈશ્રમણ, વૈરોચનેદ્રવૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરણ અને વેશ્રમણ. હે ભગવન્! નાગકુમાર દેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા વિહરે છે? હે ગૌતમ ! અધિપતિપણું ભોગવતા યાવતુ-દસ દેવો રહે છે, તે આ પ્રમાણે - નાગકુમારેંદ્ર, નાગકુમારરાજ ધરણ, કાલવાલ, કોલવાલ, શૈલપાલ, શંખપાલ, નાગકુમારેંદ્ર નાગકુમારરાજ, ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શખવાલ અને શૈલપાલ, જેમ નાગકુમારોના ઈદ્રો સંબંધે એ વક્તવ્યતાથી જણાવ્યું તેમ આ દેવો સંબંધે પણ સમજવું. સુવર્ણકુમારોના ઉપરીઓ, વસુદેવ, વેણુદાલિ, ચિત્ર વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ છે. વિધુસ્કુમારોના ઉપરીઓ હરિકાંત, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત, અને સુપ્રભાકાન્ત છે. અગ્નિકુમારોના ઉપરીઓ અગ્નિસિંહ, અગ્નિમાંણવ, તેજતેજસિંહ, તેજઃકાન્ત અને તેજપ્રભ છે, દ્વીપકુમારોના ઉપરીઓ, પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ છે ઉદધિકુમારોના ઉપરીઓ-જલકાન્ત, જલપ્રભ, જલુ જલરૂપ, જલ- કાન્ત અને જલપ્રભ છે. દિíમારોના ઉપરીઓ-અમિતગતિ, અમિતવાહન, ત્વરિત- ગતિ. ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ છે. વાયુકુમારોના ઉપરીઓઃ-ધોષ, મહાઘોષ. આવત, વ્યાવત, નંદિકાવત, અને મહાનંદિકાવી છે. એ પ્રમાણે બધું અસુરકુમારોની પેઠે કહેવું. દક્ષિણ ભવનપતિના ઈદ્રોના પ્રથમ લોકપાલોના નામો આ પ્રમાણે છે -સોમ, કાલવાલ, ચિત્ર, પ્રભ તેજસ રૂપ, જલ, ત્વરિતગતિ, કાલ ને આયુક્ત. હે ભગવન્! પિશાચકુમારો ઉપર અધિપતિપણે ભોગવતા કેટલા દેવો છે? હે ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy