SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ દ ભગવઈ - 3-1/155 કેવી મોટી ઋદ્ધિવાળો છે, યાવત તે કેટલું વિતુર્વણ કરવા સમર્થ છે ? હે ગૌતમ ! વૈરોચનેંદ્ર, વૈરોચનરાજ બલી મોટી ઋદ્ધિવાળો છે. યાવતુ-મહાનુભાગ છે, વળી તે ત્યાં ત્રિીસલાખ ભવનોનો, તથા સાઠહજાર સામાનિકોનો અધિપતિ છે. જેમ ચમર સંબંધે હકીકત કહી તેમ બલિ વિષે પણ જાણવું. વિશેષ એ કે, તે પોતાની વિદુર્વણ શક્તિથી આખા જંબૂદ્વીપ કરતાં વધારે ભાગમાં પોતાના રૂપો ભરી શકે છે, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, ભવનો અને સામાનિકો વિષે જૂદાઈ જાણવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી વાવ-ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર વિહરે છે. પછી તે ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે, નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! વૈરોચન ઈદ્ર, વૈરચન- રાજબલિ એવી મોટી ઋદ્ધિવાળો છે યાવત તે કેટલું વિદુર્વણ કરી શકે છે? હે ગૌતમ ! તે નાગકુમારોનો ઈદ્ર, નાગકુમારોનો રાજા ધરણ મોટી દ્ધિવાળો છે, યાવતુ-ત્યાં 44 લાખ ભવનવાસો છે, છ હજાર સામાનિક દેવો , તેત્રીશ ત્રાયઢિશક દેવો ઉપર, ચાર લોકપાલો, પરીવારવાળી છ પટ્ટરાણીઓ ઉપર સ્વામીપણું ભોગવતો વિહરે છે. તથા તેની વિકણ શક્તિ આટલી છે-જેમ કોઈ જુવાન હાથને પકડે, અને પરસ્પર કાકડા વાળેલ હોવાથી જેમ તે સંલગ્ન જણાય છે તેમ ઘણા નાગકુમાર અને ઘણી નાગકુમારીઓ વડે-આખા જંબુદ્વીપનો અને તિરછે સંખ્યય દ્વીપસમુદ્રનોને ભરી શકે છે. પણ યાવત-તે તેવું કોઇ દિવસ કરશે નહિં. તેના સામાનિકો, આદિ વિશે ચમરની માફક કહેવું. વિશેષ એ કે - તેઓની વિકુવણશક્તિ માટે સંખ્યય દ્વીપ સમુ કહેવા. અને એ પ્રમાણે વાવતુ-સ્તનિતકુમારો, વાનગૅતરો, તથા જ્યોતિષિકો પણ જાણવા. વિશેષ એ કે-દક્ષિણ દિશાના બધા ઇન્દ્રો વિષે અગ્નિભૂતિ પૂછે છે અને ઉત્તર દિશાના બધા છો. વાયુભૂતી પૂછે છે. હે ભગવન્! એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણ- ભગવંતમહાવીરને વાંદે છે. અને નમે છે નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કેઃ- જો જ્યોતિ-ષિકેંદ્ર, જ્યોતિર્ષિક રાજા એવી મોટી ઋદ્ધિવાળો છે અને એટલું વિકુવણ કરી શકે છે તો દેવેંદ્ર દેવરાજશક કેવી મોટી ઋદ્ધિવાળો છે યાવતુ-કેટલું વિકુવણ કરી શકે છે? હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ શક મોટી ઋદ્ધિવાળ છે યાવતું મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં બત્રીશલાખ વિમાનવાસો ચોરાસીહજાર સામાનિકદેવો, વાવતુ- 3,36,000 આત્મરક્ષક દેવો અને બીજાઓ ઉપર સત્તાધીશપણું ભોગવતો યાવતુવિહરે છે. અથવું શક્ર ઈદ્ર એવી મોટી ઋદ્ધિવાળી છે તેની વિદુર્વણ શક્તિ સંબંધે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે, તે એટલાં બધાં રૂપો વિદુર્વી શકે છે, કે જે રૂપોથી આખ બે જંબૂઢીપો ભરાઇ શકે છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. વળી હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ શક્રનો માત્ર એ વિષય છે, અથતિ પૂર્વે જણાવેલી વિદુર્વણા શક્તિ તે માત્ર શક્તિરૂપ છે, પણ સંપ્રાપ્તિવડે તેમ તેમ વિકુવ્યું નથી. વિફર્વતો નથી અને વિવશે પણ નહિં. [15] હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક એવી મોટો ઋદ્ધિવાળો છે અને એટલું વિકુવણ કરવા શક્ત છે તો સ્વભાવે ભદ્ર અને વિનીત, તથા હંમેશાં છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતો આત્માને ભાવતો, પૂરેપૂરો આઠ વર્ષ સુધી સાધુપણું પાળીને માસિક સંલેખનાવડે આત્માને સંયોજીને તથા સાઠ ટંક સુધીનું અનશન પાળીને, આલોચન તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy