SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 65 શતક-૩, ઉસો-૧ વિશેષ એ કે, તેઓ પોતાના બનાવેલ રૂપોથી અનેક અસુરકુમારો અને અસુરકુમારી ઓથી-સંખેય દ્વીપ સમુદ્રોને ભરી શકે છે. હે ભગવન્! જો અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એટલી મોટી ઋદ્ધિવાળા છે અને યાવતુ તેઓ એટલે વિકુવણ કરી શકે છે, તો અસુરેંદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ કેવી મોટી દ્વિવાળી છે અને તેઓ કેટલું વિકુવણ કરે છે? હે ગૌતમ! અસુરેદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ મોટી ઋદ્ધિવાળી છે, અને યાવતુમોટા પ્રભાવવાળીઓ છે. તેઓ ત્યાં પોતપોતાના ભવનો ઉપર, પોતપોતાના હજાર સામાનિક દેવો ઉપર, પોતપોતાની મિત્રરૂપ મહત્તરિકા દેવીઓ ઉપર અને પોતપોતાની સમિતિનું સ્વામીપણું ભોગવતી રહે છે. પાવતુ તે પટ્ટરાણીઓ એવી મોટી દ્વિવાળીઓ છે. તે સંબંધેની બીજી બધી હકીકત લોકપાલોની પેઠે કહેવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. [154] એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જે તરફ તૃતીય ગૌતમ વાયુભૂતિ અનગાર હતા તે તરફ જવાનું કર્યું અને ત્યાં જઈને તે અગ્નિભૂતિ અનગારે વાયુભૂતિ અનગારને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ ! એ પ્રમાણે નિશ્ચિત છે કે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, એવી મોટી ઋદ્ધિવાળો છે, ઇત્યાદિ બધું ચમરથી માંડીને તેની પટ્ટરાણીઓ સુધીનું અપૃષ્ટ વ્યાકરણ- રૂપ વૃત્તાંત અહીં કહેવું. ત્યારપછી અગ્નિભૂતિ અનગારે પૂર્વ પ્રમાણે કહેલી, ભારેલી, જણાવેલી અને પ્રરૂપેલી એ વાતમાં તે ગૌતમ વાયુભૂતિ અનગારને શ્રદ્ધા બેસતી નથી, વિશ્વાસ આવતો નથી અને એ વાત તેઓને રૂચતી નથી. હવે એ વાતમાં અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ આણતા અને એ વાત તરફ અણગમાવાળા તે ગૌતમ વાયુભૂતિ અનગાર પોતાના આસનથી ઉઠી. શ્રમણ ભગવંત મહાવીર તરફ ગયા અને ત્યાં જઈ તેઓની પર્યાપાસના કરતા આ રીતે બોલ્યા- હે ભગવન્! ગૌતમ અગ્નિભૂતિ અનગારે મને સામાન્ય પ્રકારે કહ્યું. વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રરૂપ્યું કે “અસુરેદ્ર, અસુરરાજ ભોગવે છે. ઈત્યાદિ બધું પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં પૂરેપૂરું કહેવું” એ તેજ પ્રમાણે કેવી રીતે છે? હે ગૌતમ' વગેરે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે તે ગૌતમ વાયુભૂતિ અનગારે તને જે સામાન્ય પ્રકારે કહ્યું, વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રખ્યું કે, હે ગૌતમ ! અસુરેદ્ર, અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, ઈત્યાદિ બધું તેની પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં કહેવું” એ વાત સાચી છે અને હું પણ એમજ કહું છું, ભાખું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે અસુદ્ર, અસુરરાજ ચમર મોટો ઋદ્ધિવાળો છે ઇત્યાદિ તેજ રીતે યાવતુ-પટ્ટરાણીઓ સુધીની હકીકતવાળો બીજો ગમ કહેવો. અને એ વાત સાચી છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! એમ કહી ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી અને જે તરફ ગૌતમ અગ્નિભૂતિ અનગાર છે ત્યાં આવી, તેઓને વાંદી, નમી, તેઓની વાત ન માની’ તે માટે તેઓની પાસે વારંવાર વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગે છે. [155] ત્યારપછી તે ગૌતમ વાયુભૂતિ અનગાર, ગૌતમ અગ્નિભૂતિ નામના અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા અને ત્યાં તેઓની પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! જો અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતુ-એટલું વિદુર્વણ કરી શકે છે, તો ભગવન્! વૈરોચનેદ્ર બલિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy