SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ભગવઈ - ૩-૧/પર થાય છે. વળી હે ગૌતમ ! જેમ કોઇ યુવાન પુરુષ પોતાના હાથ વડે જુવાન સ્ત્રીના હાથને પકડે અથતુ પરસ્પર કાકડા વાળેલા હોવાથી તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે, અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સુસંબદ્ધ હોય, એવીજ રીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમર ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓવડે આખા જેબૂદ્વીપ નામના દ્વિીપને આકીર્ણ કરી શકે છે, તેમજ વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તી, ઋષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે અથવુ તે અમર બીજાં રૂપો એટલાં બધાં વિકુવી શકે છે, કે જેને લઈને પૂર્વ પ્રમાણે આખો જબૂદ્વીપ પણ ભરાઈ જાય છે. વળી હે ગૌતમ ! અસુરેંદ્ર, અસુરરાજ, ચમર ઘણા. અસુરકુમાર દેવો અને ઘણી અસરકાર દેવીઓવડે આ. તિરછલોકમાં પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધીનું ફળ આકીર્ણ કરે છે, તથા વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! પૂર્વ કહ્યા પ્રમાણે એટલાં રૂપો કરવાની અસુરેંદ્ર, અસુરરાજ ચમરની માત્ર શક્તિ છે પણ કોઈ વખતે તે ચમરે પૂર્વ પ્રમાણે રૂપો કય નથી, કરતો નથી અને કરશે પણ નહિ. હે ભગવન! જો અસુરે અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને વાવતતે ઘણું વિકર્વણ કરી શકે છે, તો હે ભગવન્! અસુરેદ્ર, અસુરરાજ ચમરના સામાનીક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે, અને તેઓની વીકુર્વણ શક્તિ કેટલી છે ? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે, અને વાવતુ-મહા પ્રભાવવાળા છે તેઓ ત્યાં પોતે પોતાનાં ભવનો ઉપર, પોતપોતાના સામાનિકો ઉપર અને પોતપોતાની પટ્ટરાણીઓ ઉપર સત્તાધીશ- પણું ભોગવતા, યાવતુ- દિવ્ય ભોગોને ભોગવતા વિહરે છે. અને એઓ એવી મોટી ઋદ્ધિવાળા છે. અને તેઓની વિતુર્વણ શક્તિ આટલી છે કે - હે ગૌતમ ! વિકુવણ કરવા માટે તેઓ અસુરેંદ્ર, અસુરરાજ ચમરના એક એક સામાનિક દેવો-વૈક્રિયસમુદ્દઘાતવડ સવહત થાય છે. અને યાવતુ-બીજીવાર પણ વૈક્રિયસમુઘાતવડે સમવહત થાય છે. તથા હે ગૌતમ ! જેમ કોઈ જુવાન પુરુષ પોતાને હાથે જુવાન સ્ત્રીના હાથને પકડે, અર્થાત્ પરસ્પર કાકડા વાળેલા હોવાથી જેમ તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે, અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સંલગ્ન-સુસંબદ્ધ હોય એવીજ રીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો આખા જંબૂદ્વીપને ઘણા અસુરકુમાર દેવો તથા ઘણી અસુર- કુમાર દેવીઓ વડે આકીર્ણ, વ્યતિકીર્ણ ઉપસ્તીર્ણ, સંતી, ઋષ્ટ અને અવગાઢાવ- ગાઢ કરી શકે છે. વળી હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમનરનો એક એક સામાનિક દેવ અ તિરછા લોકમાં અસંખ્યયે દ્વીપ સમુદ્રો સુધીનું સ્થળ ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ વડે આકીર્ણ, વ્યતિકી, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! અસુરેદ્ર, અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિકમાં પૂર્વ પ્રમાણે વિકવણ કરવાની શક્તિ છે-વિષય છે, વિષયમાત્ર છે, પણ તેઓ સંપ્રાપ્તિવડે કોઇવાર વિકવ્યા નથી, વિકૃવતા નથી, અને વિદુર્વશે નહિં. [૧પ૩ હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે અને વાવતુ-એટલું વિતુર્વણ કરવા સમર્થ છે તો હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના ત્રાયદ્ગિશક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ સામાનિકો કહ્યા તેમ ત્રાયસ્ત્રિકો પણ કહેવા. તથા લોકપાલો સંબંધે પણ એમ કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy