SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉદેસી-૧૦ 3 પૃથિવીનો ઘનોદધિ, ધમસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે, શું સંખેય ભાગને સ્પર્શ છે? ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ ! જેમ રત્નપ્રભા સંબંધે કહ્યું તેમ ધનોદધિ સંબંધે પણ જાણવું અને તેજ પ્રમાણે ધનવાત. તથા તનુવાત સંબંધે પણ સમજવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીનું અવકાશાંતર શું ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે કે યાવતુ તેને આખાને અડકે. હે ગૌતમ ! તે સંખ્યય ભાગને અડકે પણ અસંખ્યય ભાગોને ન અડકે અને તેને આખાને પણ ન અડકે. એજ રીતે બધાં અવકાશાંતરો જાણવાં. રત્નપ્રભા સંબંધે કહેલ વક્તવ્યતાની પેઠે યાવતુ-સાતમી પૃથિવી સુધી સમજવું. તથા બૂઢી - પાદિક દ્વીપો અને લવણસમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, વાવ, ઇષત્રામ્ભારા પૃથિવી. તે બધા અસંખ્યય ભાગને સ્પર્શે. બાકીના ભાગની સ્પર્શનાનો નિષેધ કરવો. એ પ્રમાણે અધમસ્તિકાય અને લોકાકાશને અડકવા વિષે પણ જાણવું. પૃથિવી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, રૈવેયક, અનુત્તરો અને સિદ્ધિ. એ બધાનાં અંતરો ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે છે અને બાકી બધા ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. | શતક-૨-ના ઉદ્દેસા-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયાપૂર્ણ | શતક-૨-ગુર્જરછાયાપૂર્ણ ( શતક 3) - ઉદ્દેશક૧ - [151] અમર નામના ઇદ્રમાં વિકુવણ શક્તિ કેવી છે? ચમરનો ઉત્પાત કાવિકી વગેરે ક્રિયાઓના, દેવે વિદુર્વેલ યાનને સાધુ જાણે? સાધુ બહારના પગલોને લઈને સ્ત્રી વગેરેનાં વૈક્રિય રૂપો કરી શકે, નગર, લોકપાલોના સ્વરૂપ, અસુર વગેરેના દ્વો કેટલા છે? ઈદ્રિયોના વિષય ચમરની સભા એમ દશ ઉદ્દેશકો છે. [152] તે કાળે તે સમયે નામની નગરી હતી, તે મોકા નગરીની બહાર ઉત્તરપૂર્વના દિભાગમાં નંદન નામનું ચૈત્ય હતું. તે કાળે તે સમયે શ્રીમહાવીરસ્વામી પધાય. સભા નીકળે છે અને ધર્મ શ્રવણ કરી સભા પાછી ચાલી ગઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના અનાર પર્ફપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમર કેવી મોટી ઋદ્ધિવાળો છે, કેવી મોટી કાંતિવાળો છે, કેવા મોટા બળવાળો છે, કેવી મોટી કીર્તિવાળો છે, કેવા મોટા. સુખવાળો છે, કેવા મોટા પ્રભાવવાળો છે અને તે કેટલું વીર્વણ કરી શકે છે? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, યાવતુ-મોટા પ્રભાવવાળો છેતે ત્યાં ચોત્રીસલાખો ભવનવાસો ઉપર ચોસઠહજાર સામાનિક દેવો ઉપર અને તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવો. ઉપર સત્તાધીશપણું ભોગવતો યાવતુ-વિહરે છે, અથતુિ તે ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતું-એવા મોટા પ્રભાવવાળો છે. તથા તેની વિકવણ કરવાની શક્તિ પણ આટલી છે - હે ગૌતમ ! વિકુવણ કરવા માટે અસુરેંદ્ર, અસુરરાજ ચમર વૈકિય સમુદ્રઘાતવડે સમવહત થાય છે, સંખ્યય યોજનસુધી લાંબા દંડને નિસ છે-બનાવે છે અને તે દ્વારા રત્નનો યાવતુ-રિષ્ટ રત્નોના ચૂલ પુગલોને સંખેરી નાખે છે, તથા સૂક્ષ્મ પુદ્ગલીનું ગ્રહણ કરે છે. બીજીવાર પણ વૈક્રિયસમુદ્દાત વડે સમવહત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy