SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 62 ભગવઈ - રા/૧૦/૧૪૪ જીવ અભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યવોના,એ પ્રમાણે શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન, કેવલજ્ઞાન મતિઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કેવળદર્શન, દરેકના અનંત પર્યવોના ઉપયોગને પ્રાપ્ત કરે છે-જીવ એ ઉપયોગરૂપ છે. હે ગૌતમ ! તે કારણથી એમ કહ્યું છે કે, “ઉત્થાનવાળો જીવ યાવતુ-જીવભાવને દેખાડે એમ કહેવાય. [45] હે ભગવન્! આકાશના કેટલા કહ્યા છે! હે ગૌતમ! આકાશના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે :- લોકાકાશ અને અલોકાકાશ. હે ભગવન્! લોકાકાશ એ જીવો છે. જીવના દેશો છે, જીવના પ્રદેશો છે, અજીવો છે, અજીવના દેશો છે કે અજીવના પ્રદેશો છે? હે ગૌતમ ! તે જીવો પણ છે, જીવના દેશો પણ છે, જીવના પ્રદેશો પણ છે, અજીવો પણ છે, અજીવના દેશો પણ છે. અને અજીવના પ્રદેશો પણ છે. જે જીવો છે તે ચોક્કસ એકૅકિયો, બે ઈદ્રિયો, તેઈદ્રિયો, ચતુરિટિયો ચેદ્રિયો અને અનિંદ્રિયો છે. જે જીવના દેશો છે તે ચોક્કસ એ કેદ્રિયના દેશો છે અને વાવતુ-અનીદ્રિયના દેશો છે જે જીવના પ્રદેશો છે તે ચોક્કસ એકેંદ્રિયના પ્રદેશો છે. અને યાવતુ-અનીદ્રિયના પ્રદેશો છે. જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - રૂપી અને અરૂપી. જે રૂપી છે તેના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે - સ્કંધ, સ્કંધદેશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુગલ. જે અરૂપી છે તેના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે - ધમસ્તિકાય અને ધમસ્તિકાયનો દેશ, ધમાંસ્તિકાયના પ્રદેશો, અધમસ્તિકાય. અધમસ્તિકાયનો દેશ અને અધમસ્તિ કાયના પ્રદેશો તથા અદ્ધાસમય. [14] હે ભગવનું ! શું અલોકાકશ એ જીવો છે? ઈત્યાદિ પૂર્વવતું પૂછવું. હે ગૌતમ ! તે (અલોકાકાશ) જીવો નથી યાવતુ-અજીવના પ્રદેશો પણ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે. તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સંયુક્ત છે અને અનંત ભાગથી ઊણું સર્વ આકાશરૂપ છે. હે ભગવન્! લોકાકાશમાં કેટલા વર્ણ છે? ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ! લોકાકાશમાં વર્ણ નથી, રસ નથી, ગંધ નથી, યાવતુસ્પર્શ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે, અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સંયુક્ત છે અને સર્વ આકાશના અનંત ભાગરૂપ છે. 147] હે ભગવન! ધમસ્તિકાય કેટલો મોટો કહ્યો છે! હે ગૌતમ! તે લોકરૂપ છે, લોકમાત્ર છે, લોક પ્રમાણ છે, અને લોકને સ્પર્શેલો તથા લોકને જ અડકીને રહેલો છે. એ પ્રમાણે અધમસ્તિકાય, લોકકાશ, જીવાસ્તિકાય. અને પુદ્ગલાસ્તિકાય સંબંધે પણ સમજવું. એ પાંચે સંબંધ એક સરખોજ અભિલાપ છે. 148] હે ભગવન! ધમસ્તિકાયના કેટલા ભાગને અધોલીક સ્પર્શે છે ? હે ગૌતમ ! અધોલોક ધમસ્તિકાયના અડધાથી વધારે ભાગને સ્પર્શે છે. હે ભગવન્ ધમસ્તિકાયના કેટલા ભાગને તિર્યશ્લોક સ્પર્શે છે ? હે ગૌતમ ! અસંખેય ભાગને સ્પર્શે છે. હે ભગવનું ! ધમસ્તિકાયના કેટલા ભાગને ઉદ્ગલોક સ્પર્શે છે? હે ગૌતમ ! ધમસ્તિકાયના દેશોન-કાંઇક ઓછા-અર્ધ ભાગને ઉદ્ગલોક સ્પર્શે છે. 149] હે ભગવન! આ શું રત્નપ્રભા પૃથિવી ધમસ્તિકાયના સંધ્યેય ભાગને અડકે છે, અસંખ્યય ભાગોને અડકે છે કે તેને આખાને અડકે છે? હે ગૌતમ ! તે સંખ્યય ભાગને અડકતી નથી, પણ અસંખ્યય ભાગોને અડકે છે. તથા તે સંખ્યય ભાગોને, અસંખ્યય ભાગોને અને આખાને પણ અડકતી નથી. હે ભગવન્! આ રત્નપ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy